AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan 2021 : રક્ષાબંધન સ્પેશિયલ ઘરે બનાવો શક્કરપારા

એક કપ ગરમ ચા અથવા કોફી સાથે નાસ્તા તરીકે શક્કરપારા ખાય શકાય છે. ચાલો જાણીએ તેની રેસિપી.

Raksha Bandhan 2021 : રક્ષાબંધન સ્પેશિયલ ઘરે બનાવો શક્કરપારા
રક્ષાબંધન સ્પેશિયલ ઘરે બનાવો શક્કરપારા
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 9:59 AM
Share

Raksha Bandhan 2021 :મીઠાઈઓ દરેક તહેવાર (Festival)માં લોકો ખાતા હોય છે. આ રીતે તમે બેકડ શક્કરપારા (Shakkarpara)પણ બનાવી શકો છો. આ નાસ્તાની રેસીપી (Recipe)ભારતના તમામ ભાગોમાં ખૂબ જ લોકપ્રિય છે.

દેશના દક્ષિણ ભાગમાં તેને ‘શંકરપાલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગરમ ચા અથવા કોફીના કપ સાથે નાસ્તા તરીકે માણવામાં આવે છે. તમે આ વાનગી (recipe) સરળતાથી ઘરે તૈયાર કરી શકો છો.

સામાન્ય રીતે, આ વાનગી સ્વાદમાં ખૂબ જ મીઠી હોય છે. શક્કરપારા(Shakkarpara) એક હેલ્ધી રેસીપી છે જે તમે તમારા પરિવાર અને મિત્રો માટે બનાવી શકો છો. આ વાનગી ક્રિસ્પી વાનગી છે. આ બનાવવા માટે ઘઉંનો લોટ, ઘી, દૂધ, મીઠું અને ખાંડ જરૂરી છે. ચાલો જાણીએ કે તમે ઘરે આ સરળ રેસીપી કેવી રીતે બનાવી શકો છો.

શક્કરપારા ની સામગ્રી

  • ઘઉંનો લોટ – 1/2 કપ
  • ખાંડ – 4 ચમચી
  • મીઠું – 2 ચપટી
  • ઘી – 2 ચમચી
  • દૂધ – 5 ચમચી

લોટનું મિશ્રણ બનાવો

સૌપ્રથમ મધ્યમ તાપ પર એક નોન-સ્ટીક પેન મૂકો અને તેમાં ખાંડ અને દૂધ સાથે ઘી ઉમેરો. તેમને સારી રીતે મિક્સ કરો અને મિશ્રણમાં ખાંડ ઓગળી જાય ત્યાં સુધી થોડી મિનિટો માટે હલાવો. મિશ્રણ ઠંડુ થવા માટે બાજુમાં રાખો.

લોટ બાંધો

ઘઉંનો લોટ ચાળી લો. એક બાઉલમાં થોડું ઘી-દૂધનું મિશ્રણ નાખો અને બરાબર મિક્સ કરો. મિશ્રણ કઠણ થાય ત્યાં સુધી તેમાં ધીમે ધીમે લોટ ભેળવો.

લોટના નાના ટુકડા કરો

લોટને 2 સમાન ભાગોમાં અલગ કરો અને પછી તેને જુદા જુદા આકારના સમાન ટુકડાઓમાં કાપો. કાંટા સાથે આકારના ટુકડાઓમાં ડિઝાઈન કરી શકો છો.

બેક કરવાનો સમય

હવે ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ પર લગભગ 10 મિનિટ માટે ગરમ કરો. બેકિંગ ટ્રે લો અને તેને ઘીથી ગ્રીસ કરો. ટુકડાઓ એક ટ્રેમાં મૂકો અને ઓવનમાં બેક કરો.

બેકડ શક્કરપરા તૈયાર 

એકવાર થઈ ગયા બાદ, શક્કરપારા ઠંડા થવા દો. તેને તરત જ સર્વ કરો અથવા તેને એક બોક્સમાં બંધ કરો અને આનંદ કરો.

આ પણ વાંચો : Cutlet recipe : કાચા કેળાની કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે, જાણો રેસિપી

આ પણ વાંચો : Migraine Attack : જુના દુખાવાને દુર કરવા આ 5 રીતો તમારી મદદ કરશે

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">