AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નહાવાના પાણીમાં 2થી 3 ચમચી મીઠું નાખો અને જુઓ કમાલ, વર્ષો જૂના દેશી નુસખાથી શરીર અને ત્વચામાં આવશે 5 સકારાત્મક બદલાવ !

મીઠું માત્ર ભોજનનો સ્વાદ વધારતું નથી. પરંતુ તેનો ઉપયોગ શરીરની સંભાળ માટે પણ કરવામાં આવે છે. ઘણા લોકો વર્ષોથી સોલ્ટ બાથ (મીઠાના પાણીથી સ્નાન) કરે છે. માનવામાં આવે છે કે તે શરીરને આરામ આપવામાં મદદરૂપ બની શકે છે.

નહાવાના પાણીમાં 2થી 3 ચમચી મીઠું નાખો અને જુઓ કમાલ, વર્ષો જૂના દેશી નુસખાથી શરીર અને ત્વચામાં આવશે 5 સકારાત્મક બદલાવ !
Salt Bath WaterImage Credit source: AI Generated
| Updated on: Jul 09, 2026 | 2:51 PM
Share

મીઠા વિના કોઈપણ વાનગીનો સ્વાદ અધૂરો હોય છે. વાનગી કેટલી પણ સ્વાદિષ્ટ બની હોય, પરંતુ જો તેમાં મીઠું ઓછું કે વધુ થઈ જાય તો આખો સ્વાદ બગડી જાય છે. આ વાત પરથી જ આપણા જીવનમાં મીઠાનું મહત્વ સમજી શકાય છે. મીઠાનો ઉપયોગ માત્ર રસોડા પૂરતો જ મર્યાદિત નથી. શરીર અને મન બંને માટે પણ મીઠાના અનેક ફાયદા હોવાનું માનવામાં આવે છે. ગામમાં મોટાભાગે લોકો મીઠાના પાણીથી સ્નાન કરે છે. તેથી તેમનું સ્વાસ્થ શહેરના લોકો કરતા વધુ સારૂં હોય છે. વર્ષોથી લોકો તેનો ઉપયોગ કરતા આવેલા છે.

મીઠાથી સ્નાન કરવાની સાચી રીત

મીઠાથી સ્નાન કરવા માટે, તમારે તમારા સ્નાનના પાણીમાં એક થી બે ચમચી મીઠું ઉમેરવાની જરૂર છે. સાદું મીઠું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો સેંધા મીઠાનો ઉપયોગ વધુ યોગ્ય માનવામાં આવે છે. હૂંફાળા પાણીમાં મીઠાથી સ્નાન કરવું વધુ ફાયદાકારક હોય છે. મીઠામાં સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા ખનિજો હોય છે. જે આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

ત્વચાને સ્વચ્છ રાખવામાં મદદરૂપ

પાણીમાં થોડું મીઠું નાખીને સ્નાન કરવાથી શરીર સંપૂર્ણપણે સાફ થાય છે. તે એકઠા થયેલા ગંદકી અને મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં પણ મદદ કરે છે. જો તમે સતત થોડા દિવસો મીઠાના પાણીમાં સ્નાન કરશો, તો તમારી ત્વચામાં એક અલગ ચમક દેખાશે. કોઈપણ સ્કિનનો ચેપ અને ડાઘ પણ દૂર કરવામાં તે મદદરૂપ છે.

વજન ઘટાડવામાં કરે છે મદદ

કેટલાક લોકો માને છે કે સોલ્ટ બાથથી વધુ પરસેવો આવે છે. મીઠાના પાણીથી નહાવાથી શરીરની ચરબી (ફેટ) ઘટે છે અથવા વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે તેવા મજબૂત વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. વજન ઘટાડવા માટે સંતુલિત ડાયટ અને નિયમિત કસરત સૌથી અસરકારક રીત છે.

તણાવ અને થાક થાય છે દૂર

ઘણા લોકોનું માનવું છે કે મીઠાના પાણીથી નહાવાથી દિવસભરનો થાક અને શરીરમાં થતો તણાવ ઓછો થાય છે. ખાસ કરીને લાંબા દિવસ બાદ હૂંફાળા પાણીમાં સોલ્ટ બાથ લેવાથી શરીરને આરામ મળી શકે છે.

વાળમાં ચમક પાછી આવે છે

જો તમને લાગે કે તમારા વાળ ખૂબ જ શુષ્ક અને નિર્જીવ થઈ ગયા છે તો મીઠાના પાણીથી સ્નાન કરવાનો પ્રયાસ કરો. મીઠાના પાણીથી સ્નાન તમારા વાળના સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો કરી શકે છે. તે ખોડો દૂર કરે છે અને વાળને ચમકદાર બનાવે છે.

નકારાત્મકતા થાય છે દૂર

જ્યોતિષ અને પરંપરાગત માન્યતાઓ અનુસાર મીઠાના પાણીથી સ્નાન કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. આ ધાર્મિક અથવા પરંપરાગત માન્યતા છે અને તેને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, મહિલાઓની સંખ્યામાં સૌથી આગળ છે આ 10 દેશ ! આ દેશોમાં ‘લેડીઝ ફર્સ્ટ’ માત્ર કહેવત નહીં, વાસ્તવિકતા છે

Follow Us
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
તમારા કામની પ્રશંસા થશે, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે
તમારા કામની પ્રશંસા થશે, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે
સુરત ખાડીપુર મામલે કોંગ્રેસના પ્રહાર, તંત્રની નિષ્ફળતા
સુરત ખાડીપુર મામલે કોંગ્રેસના પ્રહાર, તંત્રની નિષ્ફળતા
સુરતમાં વરસાદનો વિરામ છતા પૂરની સ્થિતિ, ખાડી પૂરનુ હજુ પણ સંકટ
સુરતમાં વરસાદનો વિરામ છતા પૂરની સ્થિતિ, ખાડી પૂરનુ હજુ પણ સંકટ
તંત્રની નબળી કામગીરી સામે કોંગ્રેસ અને જનતા મેદાને
તંત્રની નબળી કામગીરી સામે કોંગ્રેસ અને જનતા મેદાને
g clip-path="url(#clip0_868_265)">