Travel : આ મંદિરમાં 8 દિવસ સુધી લોકો આગ સાથે રમે છે, કારણ જાણીને તમે હેરાન થઈ જશો

મેંગ્લોર (Mangalore)થી લગભગ 30 કિમીના અંતરે આવેલું આ મંદિર નવરાત્રીના તહેવાર દરમિયાન લોકોની ભીડથી ભરેલું હોય છે. ખાસ વાત એ છે કે અહીં લોકો 8 દિવસ સુધી આગ સાથે રમે છે. આ મંદિર દેવી દુર્ગાને સમર્પિત છે.

Travel : આ મંદિરમાં 8 દિવસ સુધી લોકો આગ સાથે રમે છે, કારણ જાણીને તમે હેરાન થઈ જશો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 11:16 AM

Durgaparameshwari Temple: ભારતમાં આવા ઘણા મંદિરો (Temple) છે, જેની અંદર ઘણા રહસ્યો છુપાયેલા છે. અહીં અમે તમને એવા જ એક મંદિર વિશે જણાવીશું, જેના વિશે તમે કદાચ જ જાણતા હશો. આ મંદિરનું નામ દુર્ગાપરમેશ્વરી છે, જે ભારતના દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં આવેલું છે. આ મંદિર દેવી દુર્ગાને સમર્પિત છે. આ મંદિરને કોકટીલા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

મેંગ્લોરથી લગભગ 30 કિમી દૂર આવેલું આ મંદિર નવરાત્રીના તહેવાર દરમિયાન લોકોની ભીડથી ભરેલું હોય છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીંના લોકો આગ સાથે રમે છે. ચાલો જાણીએ દુર્ગાપરમેશ્વરી મંદિરના આ રહસ્ય વિશે

આ પણ વાંચો : Ganesh Chaturthi 2023 : ગણેશ ઉત્સવ દરમિયાન હેલ્ધી ડાયેટ મેઇન્ટેઇન કરવા આ ટિપ્સ અનુસરો

લોકો આગ સાથે રમે છે

તમને જણાવી દઈએ કે ,દર વર્ષે એપ્રિલ મહિનામાં આ મંદિરમાં લગભગ આઠ દિવસ સુધી અગ્નિની રમત રમાય છે. આ રમત મેષ સંક્રાંતિના એક દિવસ પહેલા શરૂ થાય છે. અગ્નિ કેલી નામ આપવાની પરંપરા અત્તૂર અને કલત્તુર નામના બે ગામોના લોકોમાં થાય છે. આ રમતમાં લોકો નારિયેળની છાલથી બનેલી ટોર્ચ એક બીજા પર ફેંકે છે અને તે 15 મિનિટ સુધી રમવામાં આવે છે. લોકોનું માનવું છે કે આમ કરવાથી તેમની પીડા અને તકલીફ ઓછી થાય છે.

મંદિર ખોલવાનો સમય

દુર્ગાપરમેશ્વરી મંદિર સવારે 4 વાગે જ ખોલવામાં આવે છે. આ પછી બપોરે 12.30 થી 3 વાગ્યા સુધી મંદિરના દરવાજા બંધ રહે છે. આ મંદિરમાં ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા છે. તમે અહીં 8:30 અને 10:00 વચ્ચે ભોજન પણ લઈ શકો છો.

કેવી રીતે પહોંચવું

જો તમે દિલ્હીથી આ મંદિરના દર્શન કરવા માંગો છો, તો તમારે મેંગ્લોર રેલવે સ્ટેશન સુધી ટિકિટ લેવી પડશે. આ મંદિર ત્યાંથી લગભગ 28 કિલોમીટરના અંતરે આવેલું છે. આ સિવાય તમે ફ્લાઈટ દ્વારા પણ જઈ શકો છો. મંદિર મેંગલોર એરપોર્ટની નજીક પણ છે.

 લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video