શું તમે કેમિકલવાળી કેરી ખાય રહ્યા છો? આ 5 સરળ રીતથી ઓર્ગેનિક કેરીને ઓળખો
કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે પણ તે તેના સ્વાદ, ટેક્ચર અને 1500 થી વધુ જાતો માટે જાણીતી છે. જોકે, આજકાલ કેરીમાં પણ ભેળસેળ થઈ રહી છે. ચાલો આ આર્ટિકલમાં રાસાયણિક રીતે ભેળસેળવાળી કેરીઓને ઓળખવાની કેટલીક સરળ રીતો શીખીએ.

ઉનાળો આવતાની સાથે જ બજારમાં કેરીઓ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. પીળી, રસદાર અને સુગંધિત કેરીઓ જોવા મળે છે જે આકર્ષક લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે કેરીઓ આતુરતાથી ખાઈ રહ્યા છો તે કુદરતી રીતે પાકી ગઈ છે કે પછી તેને ઝડપથી પાકવા માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
આજના વિશ્વમાં વધતી માગ અને ઝડપી નફાની ઇચ્છાથી પ્રેરિત, ઘણા વેપારીઓ કેરીઓને કુદરતી રીતે પાકવા દેવાને બદલે પકવવા માટે રસાયણોનો ઉપયોગ કરી રહ્યા છે. આ કેરીઓનો સ્વાદ સારો હોઈ શકે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.
કેરીને કેમિકલથી પકાવવામાં આવી છે કે નહીં?
તેથી કેરી ખરીદતા પહેલા તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે ખાવા યોગ્ય છે કે નહીં. કેરીની મોસમ શરૂ થવાની છે. આ આર્ટિકલમાં આપણે કેરીને કેમિકલથી પકાવવામાં આવી છે કે નહીં તે નક્કી કરવાની પાંચ રીતો શેર કરીશું. આપણે કેરીને પકવવા માટે વપરાતા રસાયણો વિશે પણ શીખીશું.
FSSAI મુજબ કાચી કેરી ઝડપથી પીળી થવા અને આકર્ષક દેખાવા માટે કેલ્શિયમ કાર્બાઇડ જેવા ખતરનાક કેમિકલનો ઉપયોગ ઘણીવાર કરવામાં આવે છે. આ માત્ર કેરીની ગુણવત્તાને અસર કરતું નથી, પરંતુ તેના સેવનથી માથાનો દુખાવો, ચક્કર અને ઉલટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
ભેળસેળવાળી કેરીઓ
ખાસ વાત એ છે કે આ કેરીઓ તાજી અને પાકેલી દેખાય છે, જેના કારણે સામાન્ય વ્યક્તિ માટે અસલી અને કેમિકલવાળી કેરી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બને છે. જો કે રાસાયણિક રીતે ભેળસેળવાળી કેરીઓને સરળતાથી ઓળખવાની કેટલીક રીતો છે.
- સુગંધ દ્વારા ઓળખો – કુદરતી રીતે પાકેલી કેરીઓમાં મીઠી અને તાજી સુગંધ હોય છે. જો કે રસાયણો (જેમ કે કાર્બાઇડ) થી પાકેલી કેરીઓમાં ખૂબ જ હળવી ગંધ હોય છે અથવા વિચિત્ર, રાસાયણિક જેવી ગંધ હોય છે.
- સ્વાદ દ્વારા ઓળખો – રાસાયણિક રીતે પાકેલી કેરીઓમાં ઘણીવાર વિચિત્ર અથવા પાતળો સ્વાદ હોય છે. ક્યારેક તે બહારથી મીઠી લાગે છે પરંતુ અંદરથી કાચી અથવા ખાટી હોય છે. કુદરતી રીતે પાકેલી કેરીનો સ્વાદ આખી કેરીમાં સતત મીઠો હોય છે.
- નરમ અને રસદાર – આવી કેરી બહારથી નરમ દેખાઈ શકે છે પરંતુ અંદરથી કઠણ અથવા કાચી હોઈ શકે છે. કાપવામાં આવે ત્યારે, પલ્પ અસમાન રીતે પાકેલો દેખાઈ શકે છે. જો કે, કુદરતી રીતે પાકેલી કેરી અંદર અને બહાર બંને બાજુથી સમાન નરમ અને રસદાર હોય છે.
- પાણીમાં મૂકીને પરીક્ષણ કરો – જો પાણીમાં મુકવાથી કેરી તરતી રહે છે, તો તે કેમિકલથી પાકેલી હોઈ શકે છે. કુદરતી રીતે પાકેલી કેરી સામાન્ય રીતે તેમની ઘનતા વધારે હોવાથી પાણીમાં ડૂબી જાય છે.
