ઉનાળાનું ફળ તરબૂચ ગળ્યું હોય છે કે નહીં, ખરીદતા પહેલા આ રીતે ઓળખો
તરબૂચ ખરીદવું એ એક કળા છે. થોડી સમજણ અને યોગ્ય ઓળખ સાથે, તમે ગળ્યા અને રસદાર તરબૂચ ખરીદી શકો છો. આ લેખમાં, ચાલો તમને કેટલીક રીત જણાવીએ જેના દ્વારા તમે નક્કી કરી શકો છો કે તરબૂચ અંદરથી ગળ્યું છે કે નહીં.

ઉનાળાની શરૂઆત થતાની સાથે, લાલ, ગળ્યાં અને રસદાર તરબૂચથી બજાર છલકાઈ જાય છે. તીવ્ર તડકો અને વધતી ગરમી વચ્ચે, તરબૂચ શરીરને ઠંડક આપે છે અને ડિહાઇડ્રેશન દૂર કરવામાં પણ મદદ કરે છે. આ જ કારણ છે કે ઉનાળાની ઋતુમાં લગભગ દરેક ઘરમાં તરબૂચ ખરીદવામાં આવે છે. લીલુછમ અને આકર્ષક દેખાવ હોવા છતાં, તરબૂચ અંદરથી કેટલું ગળ્યું અને લાલ હશે તે પ્રશ્ન ઘણીવાર તેને ખરીદતી વખતે સૌથી મોટો પ્રશ્ન બની જાય છે. લોકો ઘણીવાર યોગ્ય માહિતી વિના તરબૂચ ખરીદે છે, પરંતુ ઘરે લાવ્યા પછી ખબર પડે છે કે તરબૂત ફીકુ, કાચુ અથવા ઓછું ગળ્યું આવે છે.
આનાથી ફક્ત પૈસા નથી બગડતા પણ ખાવાની મજા પણ બગડે છે. ક્યારેક ભલે તરબૂચ મોટો કે ઘેરો રંગનો હોય, છતાં તેનો સ્વાદ સારો હોતો નથી, કારણ કે તેની મીઠાશ ઘણા નાના-નાના પરિબળો પર આધાર રાખે છે જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ. ચાલો આ લેખમાં શોધી કાઢીએ કે તરબૂચ મીઠો છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય.
પીળા ડાઘ (Field Spot) જરૂર જુઓ
તરબૂચ ખરીદતા પહેલા તમારે ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. પહેલું એ છે કે તરબૂચ પર પીળા ડાઘ છે કે નહીં તે તપાસો. જો તરબૂચનો ડાઘ ઘેરો પીળો કે ક્રીમ રંગનો હોય, તો તરબૂચ પાકેલું અને મીઠુ હોય છે. જો ડાઘ સફેદ કે આછો હોય, તો ફળ સંપૂર્ણપણે પાકેલું નથી હોતું.
ટપલી મારીને અવાજ સાંભળો
જો તરબૂચને હળવા હાથે ટપલી મારવાથી તે થપથપાવવાનો અવાજ કરે છે, તો તે પાકેલા હોવાની નિશાની છે. જો અવાજ ભારે કે નીરસ હોય, તો તે આછુ કાચું અથવા અંદરથી ઓછું મીઠો હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે આ તરબૂચ લેવાનું ટાળવું જોઈએ.
સૌથી ભારે વજન પસંદ કરો
તરબૂચનું વજન પણ તેના પાકેલા કે ન પાકેલા હોવાનો સંકેત આપે છે. તેથી, તરબૂચ ખરીદતી વખતે, હંમેશા સમાન કદના બે તરબૂચ સાથે રાખો. જે ભારે હોય છે તે વધુ રસદાર અને મીઠા હોય છે. જે તરબૂચ વધારે વજન એટલે કે તેમાં પાણી અને મીઠાશ થી ભરપૂર છે.
છાલમાં ચમક અને તેના પર પટ્ટા જુઓ
મીઠા તરબૂચ સામાન્ય રીતે થોડા ઓછા ચમકદાર હોય છે, જેમાં ઘાટા અને સ્પષ્ટ પટ્ટાઓ હોય છે. ખૂબ જ ચમકતી છાલ ઘણીવાર કાચા ફળની નિશાની હોઈ શકે છે. તેથી આ પ્રકારના તરબૂચ ખરીદવાનું ટાળો.
કદ અને આકાર પર ધ્યાન આપો
તરબૂચનો આકાર તેની મીઠાશ દર્શાવે છે. હંમેશા ગોળ અથવા એકસરખા આકારનું તરબૂચ પસંદ કરવું. ખૂબ જ વાંકાચૂકા કે અનિયમિત આકાર ધરાવતા તરબૂચ અંદરથી યોગ્ય રીતે વિકાસ પામતા નથી. જેના કારણે તેનો સ્વાદ ઓછો મીઠો હોઈ શકે છે.
વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો, હેલ્થ સેક્ટરમાં રોકાણથી લાખો રોજગારની તકો, જાણો PPP મોડેલ પર સરકારનો ભાર