
લોહીને પાતળુ કરવામાં મદદરુપ રમ હ્રદયને સ્વસ્થ રાખવાનુ કામ કરવાનુ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે, જ્યાં સુધી તમે યોગ્ય માત્રામાં રમ પીવો છો, તો આપનુ હ્રદય સુરક્ષિત રહે છે. આમ હ્રદયરોગને લઈ ખતરો ઘટાડવામાં પણ રમ મદદરુપ હોવાનુ માનવામાં આવે છે.

આમ તો આલ્કોહોલને લઈ અનેક માન્યતાઓ રહેલી હોય છે, જેમાં ઉધરશ માટે પણ આલ્કોહોલનો ઉપયોગ આવી જ માન્યતાઓને લઈ કરવામાં આવતો હોય છે. રમમાં એન્ટીમાઈક્રોબિયલ ગુણ હોવાને કારણે તે બેક્ટરીયાને મારતા હોય છે. આથી જ રમને ખાંસી-ઉધરશને ઠીક કરવા માટે કેટલાક લોકો ઉપયોગ કરતા હોય છે. સાથે જ કોમન કોલ્ડમાં પણ ઉપયોગ કરે છે. ઠંડીના દિવસોમાં શરદીને લઈ ઉપયોગ કરાય છે. જોકે આવુ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.

એન્ટીસેપ્ટિકના રુપમાં પણ રમને જોવામાં આવે છે. જોકે આવી રીતે ઉપયોગમાં લેતા અગાઉ તબીબી જાણકારી અને સલાહ મેળવવી જરુરી છે. રમનો ઉપયોગ ઈજા થી થયેલા ઘાને સાફ કરવા માટે અને બેક્ટરીયાના ગ્રોથને રોકવા માટે કરવામાં આવે છે. રમને એટલે જ ઈફેક્ટીવ એન્ટીસેપ્ટિક માનવામાં આવે છે.

અલ્ઝાઈમર અને ડિમેંશિયાથી બચાવવા માટે પણ રમને મદદરુપ માનવામાં આવે છે. રમ મેંટર ઈલનેસના જોખમનો ઘટાડો કરે છે. જોકે વધારે આલ્કોહોલનુ સેવન તમારા સ્વાસ્થ્ય અને મગજ માટે હાનિકારક બની શકે છેચ. આ માટે રમનો ઉપયોગ મર્યાદીત માત્રામાં જ કરવો જોઈએ અને જેનાથી જોખમને ઘટાડી શકાય છે.

રમને પીવાના આમ તો અનેક ફાયદા છે પરંતુ એનો મતલબ એ પણ નથી કે, મન ચાહે એમ તેનો ઉપયોગ કરવામાં આવેય આ માટે ડોક્ટરની સલાહને જ અનુસરવુ જોઈએ અને એટલા પ્રમાણમાં જ આલ્કોહોલનો ઉપયોગ કરવો જોઈએ.