તમારા બાળકોને બિમારીઓથી દૂર રાખવા આજે જ ડાયટમાંથી હટાવો આ Unhealthy Foods

Unhealthy foods : તમે જેવા ખોરાકનું સેવન કરો છો, તેની અસર તમારા આરોગ્ય પર પણ પડે છે. બાળકો ઘણીવાર ઘરનો આહાર ખાવાની ના પાડે છે અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓને આહાર લે છે ઓછા પોષણવાળા જંક ફૂડ અથવા પસંદગીના ખોરાકમાં તમામ જરૂરી પોષક તત્વો ન હોઈ શકે.

તમારા બાળકોને બિમારીઓથી દૂર રાખવા આજે જ ડાયટમાંથી હટાવો આ Unhealthy Foods
Healthcare TipsImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 9:09 AM

તમે જેવા ખોરાકનું સેવન કરો છો, તેની અસર તમારા આરોગ્ય પર પણ પડે છે. બાળકો ઘણીવાર ઘરનો આહાર ખાવાની ના પાડે છે અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓને (Unhealthy foods) આહાર લે છે ઓછા પોષણવાળા જંક ફૂડ અથવા પસંદગીના ખોરાકમાં તમામ જરૂરી પોષક તત્વો ન હોઈ શકે. આવી સ્થિતિમાં માતા-પિતાએ સમયસર તેમના બાળકોને (Children) આ વસ્તુઓથી દૂર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. બાળકો માટે આહર ખુબ જ મહત્વનો હોય છે તે પૌષ્ટિક આહાર ના ખાય તો લાંબા સમય સુધી તેને સ્વાસ્થ્યને લગતી બિમારીનો સામનો કરવો પડી શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા, મોસમી રોગો ચેપ સામે રક્ષણ કરવા, મગજ અને શરીરના વિકાસ અને ઉર્જા સ્તર જાળવવા માટે સારો આહાર મહત્વપૂર્ણ છે. તમારા બાળકોને નીચે જણાવેલા આહારથી દૂર રાખો.

ચિપ્સ, ક્રિસ્પ્સ અને ક્રેકર્સ

વધુ પડતું મીઠું કિડની માટે સારું નથી હોતુ. પેકેજ્ડ, પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફૂડ્સ, ચિપ્સ, ક્રિસ્પ્સ, અથાણાં વગેરે કેટલાક એવા આહાર છે જે તમારે તમારા બાળકોને નિયમિતપણે આપવાનું ટાળવું જોઈએ.

કાચું દૂધ અને નરમ પનીર

કાચા ખોરાકમાં હાનિકારક બેક્ટેરિયા હોય છે, જે ઝાડા અને ગંભીર ચેપી રોગનું કારણ બની શકે છે. તે તમારા બાળકના આંતરડાને પણ નબળું પાડે છે, જેનાથી તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિને નુકસાન થાય છે.તેથી તેને ઓછી માત્રામાં જ આપવુ જોઈએ.

આ પણ વાંચો

જંક ફૂડથી દૂર રાખો

આરોગ્ય નિષ્ણાતો માને છે કે બાળકો માટે જરૂરી પોષક તત્વો સાથેનો ખોરાક સ્વાદિષ્ટ બનાવવો જોઈએ. જંક અને તળેલા ખોરાક બાળકો સહિત દરેક વ્યક્તિ માટે બિન-આરોગ્યપ્રદ છે, પરંતુ કેટલાક એવા ખોરાક છે જે બાળકોને ક્યારેય ન આપવા જોઈએ, કારણ કે તે ઘણી સ્વાસ્થ્યની સમસ્યાઓ સાથે એલર્જીનું કારણ બની શકે છે. આ ખોરાકને બાળકના આહારમાંથી સંપૂર્ણપણે દૂર કરવો જોઈએ.

દ્રાક્ષ, કિસમિસ, બદામ

આખી દ્રાક્ષ, કિસમિસ, બદામ જેવા સખત વટાણા જેવા ખોરાક બાળકના શ્વસન માર્ગમાં અટવાઈ શકે છે. આ ખોરાક તમારા બાળકને 5 વર્ષની ઉંમર સુધી આહારમાં આપવાનું ટાળો. જો કે તમે તેનો ઉપયોગ નાના ટૂકડા કે પાવડર સ્વરૂપમાં કરી શકો છો.

આ ખોરાક આપવાનું પણ ટાળો

આ સિવાય કાચા શાકભાજી, બિસ્કિટ, કેક, ચોકલેટ વધારે માત્રામાં આપવુ ના જોઈએ. તેનાથી બાળકોને સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ શકે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">