સૌરવ ગાંગુલી રાજકારણની પીચ પર કરશે બેટીગ ? ભાજપના શીર્ષસ્થ નેતૃત્વને ગાગુલીએ કરી મનની વાત
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, રાજકારણની પીચ પર બેટીગ કરશે કે નહી તે અંગે પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાય દિવસથી ચર્ચા ચાલી રહી છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં સૌરવ ગાંગુલીને રાજકારણના મેદાનમાં ઉતારવા માગે છે. જો કે સૌરવ ગાંગુલીએ ભાજપના શિર્ષસ્થ નેતૃત્વને મળીને, પોતાના મનની વાત કરી છે. જો કે સૌરવ ગાંગુલીએ […]
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, રાજકારણની પીચ પર બેટીગ કરશે કે નહી તે અંગે પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાય દિવસથી ચર્ચા ચાલી રહી છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં સૌરવ ગાંગુલીને રાજકારણના મેદાનમાં ઉતારવા માગે છે. જો કે સૌરવ ગાંગુલીએ ભાજપના શિર્ષસ્થ નેતૃત્વને મળીને, પોતાના મનની વાત કરી છે.
જો કે સૌરવ ગાંગુલીએ હજુ સુધી આ મુદ્દે કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ મિડીયા રિપોર્ટ અનુસાર સૌરવ ગાંગુલીએ, ભાજપને કહ્યું છે કે, તેઓ ચૂંટણી લડવા માગતા નથી કે નથી પ્રચાર કરવામાં માનતા. જો કે બીજી બાજુ એવી પણ વાત થઈ રહી છે કે, ભાજપ સૌરવ ગાંગુલીને આગળ કરીને, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. ભાજપે પણ આ મુદ્દે હજુ સુધી કોઈ ઈન્કાર નથી કર્યો કે વાતનું સમર્થન પણ નથી કર્યું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં અભૂતપૂર્વ દેખાવ કરીને મમતા બેનર્જી અને તૃણમુલ કોંગ્રેસને રાજકીય ઝટકો આપ્યો હતો. હવે પશ્ચિમ બંગાળની વિધાનસભા માટે યોજાનાર ચૂંટણીમાં ભાજપ કોઈ એવા આક્રર્ષક ચહેરાની શોધમાં છે કે જે પશ્ચિમ બંગાળમાં મતદારોને આકર્ષીને, ભાજપને પશ્ચિમ બંગાળમાં સત્તા અપાવે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો