સુરત પોલીસ કર્મીઓ દ્વારા ફરજ સાથે સેવાના આ કામ માટે પણ આગળ આવ્યા
સુરત: બળદેવ સુથાર વૈશ્વિક કોરોના મહામારીનો માર્ચ-20માં સુરત શહેરમાં પ્રથમ કેસ નોંધાયો હતો. રાજય સરકારે કોવિડ-19 સંક્રમણને રોકવા લોકડાઉનનો અમલ શરૂ કર્યો હતો. લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરવા કોરોના ફ્રન્ટ વોરિયર્સ પોલીસ અધિકારી-કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે. ફરજ દરિમયાન અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓ સંક્રમિત થયા હતા અને સ્વસ્થ થઈ પુનઃફરજમાં જોડાયા છે. જે પૈકી 13 જેટલા […]
સુરત: બળદેવ સુથાર
વૈશ્વિક કોરોના મહામારીનો માર્ચ-20માં સુરત શહેરમાં પ્રથમ કેસ નોંધાયો હતો. રાજય સરકારે કોવિડ-19 સંક્રમણને રોકવા લોકડાઉનનો અમલ શરૂ કર્યો હતો. લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરવા કોરોના ફ્રન્ટ વોરિયર્સ પોલીસ અધિકારી-કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે. ફરજ દરિમયાન અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓ સંક્રમિત થયા હતા અને સ્વસ્થ થઈ પુનઃફરજમાં જોડાયા છે. જે પૈકી 13 જેટલા પોલીસ કર્મીઓએ પોલીસ કમિશનર અજય તોમરથી પ્રેરણાથી સ્મીમેર હોસ્પિટલમાં પોતાના પ્લાઝમા ડોનેટ કરીને સંવેદના સાથે માનવતાનો ધર્મ નિભાવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ અંગે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે સુરત પોલીસ કાનૂન વ્યવસ્થા બંદોબસ્ત અને સલામતીની સાથે પ્રજા હિત માટે હંમેશા તત્પર રહી છે. આજે પણ 22થી વધુ પોલીસ કર્મીઓ જેમાં એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ સામેલ છે. તેઓએ પ્લાઝમા ડોનેટ કરવા માટે તત્પરતા બતાવી છે. પહેલા તમામ પોલીસ જવાનો ટેસ્ટ કરાવ્યા બાદ જે પોલીસ કર્મીઓને નેગેટિવ અને પ્લાઝ્મા લેવા માટે લેવા લાયક હતા. તેના ભાગ રૂપે હાલમાં 13 જવાનોએ પ્લાઝમા ડોનેટ કર્યું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો