રાજસ્થાનમાં શિક્ષકોની ભરતી મુદ્દે ઉગ્ર આંદોલનથી બે દિવસથી શામળાજી – ઉદયપુર નેશનલ હાઇવે બંધ, મોડાસાથી શામળાજી સુધી લાગી વાહનોની લાઈન
રાજસ્થાનમાં શિક્ષક ભરતી મુદ્દે ચાલી રહેલા આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરતા, છેલ્લા બે દિવસથી શામળાજી ઉદયપુર હાઈવે સંપૂર્ણ બંધ છે. હિંસક બનેલા આંદોલનના પગલે, મોડાસાના ગાજણ ટોલ પ્લાઝાથી લઈને શામળાજી સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. અરવલ્લી પોલીસ દ્વારા શામળાજીથી ઉદયપુર તરફ જઈ રહેલા વાહનોને અન્ય માર્ગે ડાયવર્ટ કરાઈ રહ્યાં છે. રાજસ્થાનમાં હિસા ઉપર […]
રાજસ્થાનમાં શિક્ષક ભરતી મુદ્દે ચાલી રહેલા આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરતા, છેલ્લા બે દિવસથી શામળાજી ઉદયપુર હાઈવે સંપૂર્ણ બંધ છે. હિંસક બનેલા આંદોલનના પગલે, મોડાસાના ગાજણ ટોલ પ્લાઝાથી લઈને શામળાજી સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. અરવલ્લી પોલીસ દ્વારા શામળાજીથી ઉદયપુર તરફ જઈ રહેલા વાહનોને અન્ય માર્ગે ડાયવર્ટ કરાઈ રહ્યાં છે. રાજસ્થાનમાં હિસા ઉપર ઉતરી આવેલા આંદોલનકારીઓએ વાહનોને આગચંપી કરી હોવાથી, વાહનચાલકોએ સાવચેતીના ભાગરૂપે તેમના વાહનો ગુજરાતમાં થોભાવી દીધા છે. ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપર પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. સાથોસાથ સતત પેટ્રોલિગ પણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃકોરોનાના વધતા કેસને લઈને, સાત દિવસ બંધ રહેશે ઈડરનુ બજાર
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો