ગુજરાતમાં 10 એપ્રિલ સુધી શાળા કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ

કોરોનાને ( corona ) કારણે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર શહેરમાં શાળા અને કોલેજ કક્ષાએ યોજાઈ રહેલી ઓફલાઈન પરીક્ષા રદ કરીને 10 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.

| Updated on: Mar 18, 2021 | 6:52 PM

ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહેલ કોરોનાના ( corona ) કેસને ધ્યાને લઈને, રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર શહેરમાં શાળા અને કોલેજ કક્ષાએ યોજાઈ રહેલી ઓફલાઈન પરીક્ષા રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર વધતા ગુજરાત સરકાર એકશનમાં આવી છે. કોરોનાના કેસ ઓછા થયા ત્યારે, રાજ્ય સરકારે શાળા અને કોલેજોમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે શાળા અને કોલેજોમાં તબક્કાવાર શિક્ષણ માટે પરવાનગી આપી હતી. જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ, ગુજરાતમાં એકાએક કોરોનાના કેસ વધી ગયા છે. જેના પગલે, ગુજરાત સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા ચાર મોટા શહેરો કે જ્યા કોરોનાના કેસ સૌથી વધુ આવે છે ત્યાં એક પછી એક લોકહીતના પગલાઓ લઈને કોરોનાને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને વિભાવરીબેન દવે તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આવતીકાલ તારીખ 19મી માર્ચથી લઈને 10મી એપ્રિલ સુધી સ્નાતક કક્ષાના ઓફલાઈન પરિક્ષાનો કાર્યક્રમ મોકુફ રખાયેલ છે. યુનિવર્સિટી દ્વારા પરિક્ષાનો નવેસરથી  કાર્યક્રમ જાહેર કરાશે. રાજ્યમાં 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઈન કરાશે. એટલે કે યુનિવર્સિટીની હોસ્ટેલ ચાલુ રહેશે અને હોસ્ટેલમાં રહીને શિક્ષણ મેળવી શકશે. પીજી પરિક્ષા ઓફલાઈન  સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીને આ નિયમ લાગુ પડશે. રાજ્યના આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં શાળાઓની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચમાધ્યામિક શાળાઓમાં આવતીકાલ 19મી માર્ચ 2021થી લઈને પ્રત્યેક્ષ શિક્ષણ કાર્ય બંધ કરીને ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળામાં ઓનલાઈન પરિક્ષા લેવાની રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓફલાઈન શિક્ષણ 10મી એપ્રિલ સુધી બંધ રહેશે.

Follow Us:
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
g clip-path="url(#clip0_868_265)">