IPL 2020: RCBને ગાવસ્કરે શું આપી સોનેરી સલાહ?, કયા ફેરફાર કરવાથી નસીબમાં આવી શકે છે પલટો

સુનિલ ગાવસ્કારે કહ્યુ છે કે, ટીમ આરસીબી જો પોતાની ઓપનીંગ જોડી માં ફેરફાર કરે તો તેના નસીબ પણ પલટાઇ શકે છે. વિરાટ કોહલી અને એબી ડીવીલીયર્સ ની જોડી થી ઓપનીંગ કરવામાં આવે તો આઇપીએલમાં તેનુ સારુ પરીણામ મળી શકે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી આઇપીએલમાં રન બનાવવામા ટોપ પર છે. આવા સમયે જો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ […]

IPL 2020: RCBને ગાવસ્કરે શું આપી સોનેરી સલાહ?, કયા ફેરફાર કરવાથી નસીબમાં આવી શકે છે પલટો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 6:30 PM

સુનિલ ગાવસ્કારે કહ્યુ છે કે, ટીમ આરસીબી જો પોતાની ઓપનીંગ જોડી માં ફેરફાર કરે તો તેના નસીબ પણ પલટાઇ શકે છે. વિરાટ કોહલી અને એબી ડીવીલીયર્સ ની જોડી થી ઓપનીંગ કરવામાં આવે તો આઇપીએલમાં તેનુ સારુ પરીણામ મળી શકે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી આઇપીએલમાં રન બનાવવામા ટોપ પર છે. આવા સમયે જો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એ સારુ પ્રદર્શન કરવુ હોય તો આ બંને ખેલાડીઓએ સારુ પ્રદર્શન કરવુ પડશે. ઉલ્લેખનીય છે કે, પાવર પ્લે નો ફાયદો ઉઠાવવામાં ટીમ બેંગ્લોર માહિર છે.

યુએઇમાં વિકેટ ખુબ ધીમી છે અને આવામાં ચહલ પણ કમાલ કરી શકે છે, ગાવાસ્કરનુ માનવુ છે.  ચહલ બેંગ્લોર ની ટીમ તરફ થી સારુ પ્રદર્શન કરી શકે છે. ચહલે આઇપીએલમાં ભાગ લેવા દરમ્યાન બેંગ્લોરની ટીમમાં જોડાયા બાદ સફળ નિવડી રહ્યો હતો.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

જોકે ગાવાસ્કરે બંને બેટ્સમેન કોહલી અને વિલીયર્સને લઇને કહ્યુ છે કે, એક તરફ જ્યારે પીચ ધીમી હોય એવા સમયે આ બંને બેટ્સમેન દડાને તીવ્રતા થી મારી શકે છે અને રન બનાવી શકે છે. આમ જો તેઓ સારા રન ખડકી શકે છે,  તો આવી પીચ પર યઝુવેન્દ્ર ચહલ મેચ પર વિનર સાબીત થઇ શકે છે.

ગાવાસ્કરે એમ પણ કહ્યુ છે કે, ટીમમાં મોટા સ્ટાર ખેલાડીઓ સામેલ હોવા છતાં પણ પાછળની બાર સિઝનમાં ત્રણ વાર જ આઇપીએલ ના ફાઇનલમેં પહોચી શકી છે. આમ છતાં પણ ટીમ એક પણ વાર ફાઇનલમાં વિજેતા બની શકી નથી. આગામી 21 સપ્ટેમ્બરે પહેલી મેચ આરસીબી નો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">