INDvAUS: વન ડે સીરીઝ ગુમાવાને લઇને ઇરફાન પઠાણે ભારતીય બોલરો પર ઉઠાવ્યા સવાલ
ભારત અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ પહેલા જ ટીમ ઇન્ડિયાના બોલીંગ આક્રમણને લઇને ખૂબ સારી ચર્ચાઓ થઇ રહી હતી. ક્રિકેટ સમિક્ષકોનુ પણ કહેવુ હતુ કે જસપ્રિત બુમરાહ અને મહંમદ શામી નુ પેસ એટેક ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનો માટે મોટો પડકાર ઉભો થશે. જોકે અત્યાર સુધી ભારતીય બોલીંગ યજમાન ટીમના ટોચના બેટ્સમેન ડેવિડ વોર્નર, આરોન ફીંચ અને સ્ટીવ સ્મિથને રોકવામાં […]
ભારત અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ પહેલા જ ટીમ ઇન્ડિયાના બોલીંગ આક્રમણને લઇને ખૂબ સારી ચર્ચાઓ થઇ રહી હતી. ક્રિકેટ સમિક્ષકોનુ પણ કહેવુ હતુ કે જસપ્રિત બુમરાહ અને મહંમદ શામી નુ પેસ એટેક ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનો માટે મોટો પડકાર ઉભો થશે. જોકે અત્યાર સુધી ભારતીય બોલીંગ યજમાન ટીમના ટોચના બેટ્સમેન ડેવિડ વોર્નર, આરોન ફીંચ અને સ્ટીવ સ્મિથને રોકવામાં પુરી રીતે અસફળ રહ્યુ છે. આ બેટ્સમેનો એ વન ડે સીરીઝની બંને મેચોમાં સતત મોટી ઇનીંગો રમી દર્શાવી છે.
બુમરાહ અને શામી ઉપરાંત ઝડપી બોલર નવદિપ સૈની પણ ઓસ્ટ્રેલીયાની સામે નવ ડે સીરીઝમાં હવે કંઇક ખાસ નથી કરી શક્યા. સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજા પણ અસરકારક નથી રહ્યા. પૂર્વ ભારતીય ઝડપી બોલર ઇરફાન પઠાણે પણ હવે ભારતીય બોલરોના પ્રદર્શનમાં નિરંતરતાના અભાવને હારનુ કારણ બતાવ્યુ છે.
પઠાણે ટ્વીટ કરી ને કહ્યુ છે કે, આપણાં બોલરોની ગુણવત્તા પર કોઇ જ શક નથી. પરંતુ નિરંતરતા નથી. વાત ઓસ્ટ્રેલીયામાં યોગ્ય લેન્થ શોધવાની છે, તે પણ જલ્દી થી પરંતુ તેવુ થઇ શક્યુ નથી. ભારતીય ક્રિકેટ ટીમ સિડનીમાં રમાયેલ પ્રથમ બે વન ડે મેચ હારીને વન ડે સીરીઝને 0-2 થી ગુમાવી દીધી છે. હવે સીરીઝનુ આખરી મેચ બીજી ડિસેમ્બરે કૈનબરોમાં રમાનારી છે. જ્યાં ટીમ ઇન્ડિયા ક્લીન સ્વિપથી બચવા ના ઇરાદા થી રમશે.
Quality of our Bowlers is unquestionable but consistency is. It was all about finding the right length in Australia that to quickly which hasn’t happened yet #AUSvIND
— Irfan Pathan (@IrfanPathan) November 29, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો