IND vs WI: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, Rohit Sharma ઈજાગ્રસ્ત, મેચની અધવચ્ચે જ છોડી બેટીંગ
ભારતીય ટીમ (Team India) અલગ-અલગ સમયે ખેલાડીઓની ઈજાને કારણે સતત પરેશાન રહે છે અને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ની ઈજા સ્થિતિને વધુ મુશ્કેલ બનાવી શકે છે.
ફિટનેસના મોરચે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે છેલ્લા ઘણા સમયથી કોઈ સારા સમાચાર નથી. ઘણા ખેલાડીઓ અલગ-અલગ પ્રસંગોએ કેટલાક સમયથી ઈજાગ્રસ્ત થયા છે. પરંતુ ટીમ ઈન્ડિયા (Team India) નું અસલી ટેન્શન હવે વધી ગયું છે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. સેન્ટ કિટ્સમાં રમાઈ રહેલી ત્રીજી T20 મેચમાં બેટિંગ દરમિયાન રોહિત શર્મા માત્ર દોઢ ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય કેપ્ટન ઘણી મુશ્કેલીમાં જોવા મળ્યો, ત્યારબાદ તેણે મેદાનની બહાર જવાનું નક્કી કર્યું અને તે જ જગ્યાએ શ્રેયસ અય્યર બેટિંગ કરવા આવ્યો.
સોમવાર, 1 ઓગસ્ટના રોજ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ રમાઈ હતી. આ મેચના 24 કલાક પૂરા થાય તે પહેલા જ બંને ટીમો બીજા દિવસે ફરી મેદાનમાં ઉતરી હતી. આવી સ્થિતિમાં ખેલાડીઓની ફિટનેસ પર અસર થવાની સંભાવના હંમેશા રહે છે. એવું જ થયું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી મળેલા 166 રનના ટાર્ગેટના જવાબમાં ભારતે દાવ શરૂ કર્યો કે તરત જ કેપ્ટન રોહિતે આઉટ થયા વિનાજ પરત ફરવું પડ્યું છે.
Rohit Sharma retired hurt in the second over, but India are on the charge in St Kitts 🔥
Watch #WIvIND for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 | 📝 Scorecard: https://t.co/EI8Ehn8VCq pic.twitter.com/qxW7wd9Vg5
— ICC (@ICC) August 2, 2022
બેટીંગ કરવામાં મુશ્કેલી લાગતા મેદાન બહાર થયો
ભારતીય ઇનિંગ્સની બીજી ઓવરમાં રોહિત શર્માએ અલઝારી જોસેફના પહેલા બોલ પર સિક્સર આઉટ કરી દીધી હતી. ત્યારબાદ બીજો બોલ ખાલી રહ્યો અને ત્રીજા બોલ પર રોહિતે સ્ટેપ્સનો ઉપયોગ કર્યો. શોટ બેટની વચ્ચેથી વાગ્યો ન હતો, પરંતુ બેટની ધાર લઈને બોલ 4 રનમાં ગયો હતો. આ ઓવર ભારત માટે સારી સાબિત થઈ રહી હતી, પરંતુ ચોથા બોલ બાદ રોહિત શર્મા ઘણી મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. ભારતીય ટીમના ફિઝિયો મેદાનમાં આવ્યા અને તેની તપાસ કરી, પરંતુ રોહિત ફરીથી બેટિંગ કરવાની સ્થિતિમાં દેખાયો નહીં અને તેને મજબૂરીમાં મેદાન છોડવું પડ્યું.
ફરી હેમસ્ટ્રિંગ ઈજાની આશંકા
હવે, રોહિતને શું નુકસાન થયું છે તે અંગે બીસીસીઆઈ દ્વારા કોઈ અપડેટ જારી કરવામાં આવ્યું નથી, પરંતુ પાછા ફરતી વખતે તેને ચાલવામાં જે રીતે તકલીફ થઈ રહી હતી, તેના કારણે તેની હેમસ્ટ્રિંગની સમસ્યા ફરી ઉભી થવાની આશંકા છે. રોહિત ભૂતકાળમાં પણ આ સમસ્યાથી પરેશાન છે, જેના કારણે તેને ઘણી મહત્વપૂર્ણ ટુર માટે બહાર બેસવું પડ્યું છે. ભારતીય ટીમને આશા છે કે કેપ્ટન રોહિતની આ ઈજા વધારે ગંભીર નથી અને તે ચોથી T20 પહેલા 4 દિવસના બ્રેકમાં સાજો થઈ જશે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ વાઇસ કેપ્ટન કેએલ રાહુલની ઈજાથી પરેશાન છે, જે બે મહિનાથી મેદાનની બહાર છે.