બજારોમાં ઘટતી માંગની અસર : ઓક્ટોબર મહિનામાં દેશની નિકાસમાં ૫.૪%નો ઘટાડો
દેશના નિકાસમાં ઘટાડો થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનો, રત્ન – ઝવેરાત અને લેધર સેક્ટરના ઘટાડાને કારણે ઓક્ટોબરમાં નિકાસ 5.4 ટકા ઘટીને 24.82 અબજ ડોલર થઈ છે. ઓક્ટોબર 2019 માં ભારતે 26.23 અબજ ડોલરની માલની નિકાસ કરી હતી. તુલનની દ્રષ્ટિએ આ વર્ષે નિકાસમાં ૧.૪૧ અબજ ડોલરનો ઘટાડો […]
દેશના નિકાસમાં ઘટાડો થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનો, રત્ન – ઝવેરાત અને લેધર સેક્ટરના ઘટાડાને કારણે ઓક્ટોબરમાં નિકાસ 5.4 ટકા ઘટીને 24.82 અબજ ડોલર થઈ છે. ઓક્ટોબર 2019 માં ભારતે 26.23 અબજ ડોલરની માલની નિકાસ કરી હતી. તુલનની દ્રષ્ટિએ આ વર્ષે નિકાસમાં ૧.૪૧ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે.
નિકાસ ઘટી છે પણ સાથે આયાત પણ ઘટતાં રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે. ગયા મહિનામાં આયાત પણ 11.56 ટકા ઘટીને 33.6 અબજ ડોલર થઈ છે. એપ્રિલથી ઓક્ટોબરના ગાળામાં ભારતમાંથી નિકાસ 150.07 અબજ ડોલર નોંધાઈ છે જે અગાઉના વર્ષના નિકાસ કરતા 19.05 ટકા ઓછું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરમાં ભારતમાં આયાતથી આ સમયગાળા દરમિયાન દેશની વેપાર ખાદ્ય ૮.78 અબજ ડોલર નોંધાઈ હતી. એક વર્ષ અગાઉના ગાળામાં વેપાર ખાધ 11.76 અબજ હતી. વેપાર ખાધમાં 25.34 ટકાનો ઘટાડો થયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો