AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાળઝાળ ગરમીમાંથી ગુજરાતવાસીઓેને મળશે રાહત, આગામી દિવસોમાં તાપમાનમાં બેથીત્રણ ડિગ્રીનો ઘટાડો થશે

હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને (Western Disturbances) કારણે તાપમાનમાં ઘટાડો થશે. જેના કારણે કચ્છ સહિત રાજ્યભરમાં ગરમીમાં ઘટાડો થશે

કાળઝાળ ગરમીમાંથી ગુજરાતવાસીઓેને મળશે રાહત, આગામી દિવસોમાં તાપમાનમાં બેથીત્રણ ડિગ્રીનો ઘટાડો થશે
Heat wave (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 6:10 PM
Share

ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં છેલ્લા થોડા દિવસથી આકરા ઉનાળાનો (summer 2022) અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં ઘણા શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે હવે કાળઝાળ ગરમીનો (Heat) સામનો કરી રહેલા લોકોને ગરમીથી રાહત મળશે. જી હા આકરી ગરમી વચ્ચે રાજયના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. તાપમાનમાં બેથીત્રણ ડિગ્રીનો ઘટાડો થશે જેને લઈને લોકોને ગરમીથી મોટી રાહત મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થશે. જેના કારણે કચ્છ સહિત રાજ્યભરમાં ગરમીમાં ઘટાડો થશે અને દરિયા કિનારા તરફથી ફૂંકાતા પવનના કારણે ભેજવાળું વાતાવરણ રહેશે. જેના કારણે ગુજરાતના મહાનગરોમાં તાપમાનનો પારો ગગડશે અને ગરમીમાંથી રાહત મળશે.

જો કે હાલની વાત કરીએ તો ગુજરાતમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સૂર્યદેવ અગનજ્વાળાઓ વરસાવી રહ્યા છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવનો શરૂ થતાં અસહ્ય તાપ પડી રહ્યો છે. અમદાવાદમાં આજથી આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં હિટવેવનો કેર વર્તાશે.પવનોની દિશા બદલાતાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. સીધો તાપ પડવા અને સૂકા પવનો ફૂંકાવાના કારણે ગરમી વધી છે. 1 મે બાદ ગરમીથી રાહત મળવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે તો ગરમી ઘટશે.

અમદાવાદમાં એકતરફ હીટવેવના કેસ વધી રહ્યા છે. ગરમીનું રેડ એલર્ટ અપાયું છે. તો બીજીબાજુ શહેરીજનો વોટરપાર્ક તરફ વળ્યા છે. લોકો વોટરપાર્કમાં પરિવાર સાથે પહોંચી રહ્યા છે અને પાણીમાં ડુબકી લગાવી ગરમીથી રાહત મેળવી રહ્યા છે. લોકો હવે ગરમીથી બચવા માટે અવનવા ઉપાયો અજમાવી રહ્યા છે. ત્યારે વોટરપાર્કમાં પણ ભીડ વધી રહી છે. ત્યારે બીજી તરફ ગરમીથી બચવા લોકો ઠંડા પીણા તરફ પણ વળી રહ્યા છે. હવામાન વિભાગે લોકોને તડકાથી બચવા સાવચેતી રાખવાની અપીલ કરી છે.

આ પણ વાંચો- Ahmedabad: થલતેજથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રોની ટ્રાયલ શરૂ કરાઈ, સલામતી સહિતના તમામ પાસાઓ ચકાસાશે

આ પણ વાંચો-Vadodara: હરિધામ સોખડા વિવાદમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી, કલેક્ટર અને ડીએસપી સાથે બંધ બારણે બેઠક કરી

Follow Us
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">