રાજ્યમાં વધી રહ્યો છે કોરોનાનો કેર, આજે નોંધાયા 1120 પોઝિટિવ કેસ અને 6 દર્દીઓના થયા મોત
રાજ્યમાં ફરી એકવાર કોરોના વાઇરસ માથું ઉચકી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1120 પોઝિટિવ કેસ નોંધાયા, તો 6 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1.84 લાખને પાર પહોંચી છે, તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3785 પર પહોંચ્યો છે. જ્યારે 1038 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી […]
રાજ્યમાં ફરી એકવાર કોરોના વાઇરસ માથું ઉચકી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1120 પોઝિટિવ કેસ નોંધાયા, તો 6 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1.84 લાખને પાર પહોંચી છે, તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3785 પર પહોંચ્યો છે. જ્યારે 1038 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1.68 લાખ દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો, તો હજુ પણ 69 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ, તો સુરતમાં 183 પોઝિટિવ કેસ સાથે 2 દર્દીઓએ જીવ ગુમાવ્યો. અમદાવાદમાં 3 દર્દીઓના મોત સાથે 199 પોઝિટિવ કેસ નોંધાયા. વડોદરામાં 1 દર્દીના મોત સાથે નવા 127 પોઝિટિવ કેસ નોંધાયા. આ તરફ રાજકોટમાં 126 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો