મુંબઈના ભીડભાડવાળી કામઠીપુરાના નાગપાડા વિસ્તારમાં એક જૂની ઈમારતમાં આગ
મુંબઈના ભીડભાડવાળી કામઠીપુરાના નાગપાડા વિસ્તારમાં આવેલી એક જૂની ઈમારતમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક બાળકી સહિત આઠ લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટનાના પાંચ કલાક બાદ આગ પર સૂપંર્ણ રીતે કાબૂ મેળવ્યો હતો. આ પણ વાંચોઃ JNU હિંસા મામલે મહારાષ્ટ્રના CM […]
મુંબઈના ભીડભાડવાળી કામઠીપુરાના નાગપાડા વિસ્તારમાં આવેલી એક જૂની ઈમારતમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક બાળકી સહિત આઠ લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટનાના પાંચ કલાક બાદ આગ પર સૂપંર્ણ રીતે કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ JNU હિંસા મામલે મહારાષ્ટ્રના CM ઉદ્વવ ઠાકરેએ આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO
ફાયર વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ચાઈના બિલ્ડિંગમાં સવારે આ આગ લાગવાની ઘટના બની હતી. આ વિસ્તાર ગીચ હોવાથી ફાયર વિભાગને સ્થળ સુધી પહોંચવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ઘાયલોને નજીકની નાયર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં 70 વર્ષીય એક વૃદ્ધની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.