ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, સ્કૂલો ખોલવા અંગે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
કોરોના વિસ્ફોટની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે 23 નવેમ્બરથી સ્કૂલો ખોલવાનો નિર્ણય કર્યો છે અને સ્કૂલ ખોલવા અંગે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ સોમવાર, બુધવાર અને શુક્રવારે ધો. 10 અને 12ના વિદ્યાર્થીને સ્કૂલે બોલાવાશે. જ્યારે મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ધો. 11 અને 9ના વિદ્યાર્થીને બોલાવાશે. જોકે માર્ગદર્શિકાનું પાલન કરવા […]
કોરોના વિસ્ફોટની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે 23 નવેમ્બરથી સ્કૂલો ખોલવાનો નિર્ણય કર્યો છે અને સ્કૂલ ખોલવા અંગે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ સોમવાર, બુધવાર અને શુક્રવારે ધો. 10 અને 12ના વિદ્યાર્થીને સ્કૂલે બોલાવાશે. જ્યારે મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ધો. 11 અને 9ના વિદ્યાર્થીને બોલાવાશે. જોકે માર્ગદર્શિકાનું પાલન કરવા વાલીઓએ લેખિતમાં આપવી પડશે સંમતિ. જેમાં વાલીઓ પોતાના બાળક અંગે કેટલીક બાંહેધરી આપવી પડશે. જેમાં વિદ્યાર્થીને ઘરેથી માસ્ક પહેરાવીને મોકલવો, ઘરેથી નાસ્તો આપવો, અન્ય વિદ્યાર્થી સાથે નાસ્તો આપલે ન કરવો વગેરે જેવી સમજ આપી હોવાની વાલીએ શાળામાં સંમતિ આપવી પડશે. જે અંગે સરકારે જાહેર કરેલા સંમતિપત્ર પર સહિ કરીને સ્કૂલમાં જમા કરાવવું પડશે. જોકે વિદ્યાર્થી કન્ટેઇમેન્ટ ઝોનમાં રહેતો હશે અથવા તો ઘરે કોઇ વ્યક્તિ સંક્રમિત હોય તો વિદ્યાર્થી શાળાએ નહીં જઇ શકે.
આ પણ વાંચો: USFDAએ પહેલી સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને આપી મંજૂરી, આ કિટ દ્વારા જાતે જ કરી શકાશે કોરોના ટેસ્ટ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો