પશ્ચિમ બંગાળમાં પહેલી ઓક્ટોબરથી સિનેમાગૃહો ખોલવા મંજૂરી
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આગામી પહેલી ઓક્ટોબરથી સિનેમાગૃહ ખોલવાની મંજૂરી આપી છે. મમતા બેનર્જીએ સિનેમારૃહ ખોલવા મંજૂરી આપી હોવાની જાણ ટવીટ કરીને આપી હતી. કોરોનાને લઈને દેશભરમાં સિનેમાગૃહો બંધ કરવામાં આવ્યા હતા. જો કે મમતાએ વધુમા વધુ 50 લોકોને જ સિનેમાગૃહમાં પ્રવેશ આપવાની પણ વાત કરી છે. તેમણે આવનારા દુર્ગાપૂજા જેવા મહત્વના તહેવારોને લઈને […]
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આગામી પહેલી ઓક્ટોબરથી સિનેમાગૃહ ખોલવાની મંજૂરી આપી છે. મમતા બેનર્જીએ સિનેમારૃહ ખોલવા મંજૂરી આપી હોવાની જાણ ટવીટ કરીને આપી હતી. કોરોનાને લઈને દેશભરમાં સિનેમાગૃહો બંધ કરવામાં આવ્યા હતા. જો કે મમતાએ વધુમા વધુ 50 લોકોને જ સિનેમાગૃહમાં પ્રવેશ આપવાની પણ વાત કરી છે.
તેમણે આવનારા દુર્ગાપૂજા જેવા મહત્વના તહેવારોને લઈને પણ દિશા નિર્દેશ જાહેર કર્યા છે. દુર્ગા પુજા માટેના મંડપમાં હવાની આવ જા માટે યોગ્ય અને પૂરતી વ્યવસ્થા હોવી જોઈશે. મંડપ ચારે બાજુથી ખુલ્લા રાખવા. મંડપના પ્રવેશદ્વારે હેન્ડ સેનિટાઈઝેનની પુરતી વ્યવસ્થા રાખવી પડશે. પશ્ચિમ બંગાળના પ્રત્યેક દુર્ગા પુજા સમિતીને 50-50 હજારનો ફાળો આપવાની પણ જાહેરાત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો