AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scholarship Scam: 830 સંસ્થા, 21 રાજ્ય, 144 કરોડ રૂપિયા, જાણો શું છે સ્કોલરશિપ સ્કીમ ફ્રોડ, CBI એ દાખલ કર્યો કેસ

લઘુમતી મંત્રાલય દ્વારા વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે. તેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન આવી જ એક શિષ્યવૃત્તિમાં ગેરરીતિ મળી આવી છે, મંત્રાલયે જ આ અંગે CBIમાં ફરિયાદ નોંધાવી હતી.

Scholarship Scam: 830 સંસ્થા, 21 રાજ્ય, 144 કરોડ રૂપિયા, જાણો શું છે સ્કોલરશિપ સ્કીમ ફ્રોડ, CBI એ દાખલ કર્યો કેસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 10:28 AM
Share

Central Bureau of Investigation: દેશની સૌથી મોટી તપાસ એજન્સી, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયની એક યોજનામાં કથિત કૌભાંડના સંબંધમાં FIR નોંધી છે અને હવે આ મામલાની તપાસ કરી રહી છે. મંત્રાલયની લઘુમતી શિષ્યવૃત્તિ યોજના હેઠળ લગભગ 830 નકલી સંસ્થાઓને 144 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, આ યોજના 2017 થી 2022 સુધી સક્રિય હતી અને તે દરમિયાન આ કૌભાંડ થયું હતું. CBIએ બેંક, સંસ્થા અને અન્ય પક્ષકારોના અજાણ્યા વ્યક્તિઓ સામે છેતરપિંડી, કાવતરું, બનાવટી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

CBIએ લઘુમતી બાબતોના મંત્રાલયની ફરિયાદ પર જ આ કેસ નોંધ્યો છે. મંત્રાલયની આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે યોજના હેઠળ લગભગ 21 રાજ્યોમાં કૌભાંડ થયું છે, જ્યારે પ્રારંભિક તપાસમાં આ બાબતો સામે આવી ત્યારે 10મી જુલાઈના રોજ સીબીઆઈને ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી સીબીઆઈએ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, આ મામલે લઘુમતી મંત્રાલયનું નિવેદન પણ આવ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે શિષ્યવૃત્તિ યોજના હેઠળના ભંડોળમાં અનિયમિતતાના ઘણા અહેવાલો આવ્યા હતા, ત્યારબાદ મંત્રાલયે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ સાથે મળીને સમગ્ર યોજનાની થર્ડ પાર્ટી તપાસ કરાવી હતી. આ સાથે, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલની મદદથી મંત્રાલયે પણ આ યોજનાની સંપૂર્ણ તપાસ કરી અને તેમાં ગેરરીતિઓ મળી. NSP હેઠળ કુલ 1572 સંસ્થાઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી, મંત્રાલયે શોધી કાઢ્યું હતું કે લગભગ 830 સંસ્થાઓ બિન-ઓપરેશનલ અથવા બોગસ હતી.

મોટાભાગના નકલી અરજદારો બંગાળ જેવા રાજ્યોના

મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે આ તમામ સંસ્થાઓ 21 રાજ્યોમાં ફેલાયેલી છે, જેમાંથી સૌથી વધુ આસામ (225), કર્ણાટક (162), ઉત્તર પ્રદેશ (154) અને રાજસ્થાન (99) છે. આમાંની મોટાભાગની ગેરરીતિઓ શાળાઓ અને સંસ્થાઓના સ્તરે જોવા મળી છે, જ્યાં આ યોજના સક્રિય નથી પરંતુ તેનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે. મોટાભાગના નકલી અરજદારો બંગાળ જેવા રાજ્યોના છે, જેમણે શિષ્યવૃત્તિ માટે અરજી કરી છે. મંત્રાલયના મૂલ્યાંકન મુજબ, 2017-18 થી 2021-22 સુધીમાં, મંત્રાલયને લગભગ 144.33 કરોડનું નુકસાન થયું છે.

આ પણ વાંચો : અમેરિકા, રશિયા, જાપાન અને યુરોપને નહીં ભારત આ ખાસ મિત્ર દેશમાં કરશે ચોખાની નિકાસ

કેન્દ્રીય લઘુમતી મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી શિષ્યવૃત્તિ યોજના હેઠળ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી બાળકોને લાભ આપવામાં આવી રહ્યો છે. તેનો લાભ દેશભરની લગભગ 1.80 લાખ સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો હતો, મંત્રાલયનો દાવો છે કે 2017-22ના કાર્યકાળ દરમિયાન વાર્ષિક 65 લાખ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળ્યો છે. પોતાના નિવેદનમાં મંત્રાલયે તમામ શાળાઓ, સંસ્થાઓ, બેંકો અને અધિકારીઓનો આભાર માન્યો છે, જેમની મદદથી આ કૌભાંડ બહાર આવ્યું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
g clip-path="url(#clip0_868_265)">