ગુજરાત પેટાચૂંટણી 2019: આયાતી નેતાઓ ભાજપને અપાવી શકશે જીત?
6 બેઠકની પેટા ચૂંટણી: મત અંકે કરવા ભાજપ-કોંગ્રેસે ‘મોકા’ની રાજનીતિ અપનાવી છે. રાધનપુર, થરાદ, ખેરાલુ ,બાયડમાં ટફ ફાઈટ જોવા મળી રહી છે. જ્યાં એક તરફ શંકર ચૌધરીની ટિકિટ કપાતા ચૌધરી સમાજ નારાજ છે જેની અસર રાધનપુર સાથે થરાદ અને ખેરાલુમાં પણ થાય એવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. બાયડમાં અપક્ષ ઉમેદવારની ફેક્ટરી પર એકાએક GSTના […]
6 બેઠકની પેટા ચૂંટણી: મત અંકે કરવા ભાજપ-કોંગ્રેસે ‘મોકા’ની રાજનીતિ અપનાવી છે. રાધનપુર, થરાદ, ખેરાલુ ,બાયડમાં ટફ ફાઈટ જોવા મળી રહી છે. જ્યાં એક તરફ શંકર ચૌધરીની ટિકિટ કપાતા ચૌધરી સમાજ નારાજ છે જેની અસર રાધનપુર સાથે થરાદ અને ખેરાલુમાં પણ થાય એવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. બાયડમાં અપક્ષ ઉમેદવારની ફેક્ટરી પર એકાએક GSTના દરોડા પડતા રાજકીય વાતાવરણ ગરમાયુ છે અને આક્ષેપ પ્રત્યાક્ષેપ શરૂ થઈ ગયા છે. ત્યારે રાધનપુર અને બાયડમાં ભાજપે ‘આયાતી’ ફોજ ઉતારી દીધી છે તો ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી ચૂંટણીના મેદાનમાં આવી ગયા છે. અને તમામ બેઠકો પર જન સભા સંબોધવાની શરૂ કરી દીધી છે.
રાજકીય તખ્તા ઉપર વિધાનસભાની 6 બેઠકની પેટા ચૂંટણીઓમાં હવે પ્રચારના અંતિમ સપ્તાહે બરાબરની રાજકીય ગરમી પકડી છે. ભાજપ તેની 4 બેઠકો ઉપરાંત બીજી બે બેઠકો પર જીત હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવ્યું છે. તો કોંગ્રેસે પણ રાધનપુર અને બાયડ ઉપર ભાજપને બરાબરની ફાઇટ આપવા માટે સોગઠાં ગોઠવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાધનપુર અને બાયડના ભાજપ ના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર પક્ષ પલટુનો ટેગ લાગી ગયો છે. અને આ જ મુદ્દાને લઈ કોંગ્રેસ પ્રજામાં આગળ વધી રહી છે એક સમયમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહના કોંગ્રેસમાં મિત્રો એ જ તેમની વિરુદ્ધ માં ચૂંટણીના મેદાનમાં મોરચો માંડયો છે. જો કે ભાજપ ને પણ આ પરિસ્થિતિ નો અંદાજ હતો જ એના જ કારણે ભાજપના એ ચહેરો જે કોંગ્રેસ માંથી ભાજપમાં આવ્યા છે.
અને મજબૂત પોઝિશન પર છે તેને ચૂંટણીના મેદાને ઉતારવામાં આવ્યા છે. કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, હકુભા જાડેજા ને રાધનપુર અને બાયડ ની જવાબદારી સોંપાઈ છે. આ નેતાઓ અલગ અલગ જગ્યા પર સભા સંમેલન કરી રહ્યાં છે સાથે જ ભાજપના મતદારોને અલ્પેશ તથા ધવલસિંહ તરફી મતદાન કરવા સમજાવી રહ્યાં છે. સાથે જ આયાતી ઉમેદવાર કરતા સશક્ત ઉમેદવાર હોવાનું પણ સમજાવી રહ્યા છે.
તો બીજી તરફ કોંગ્રેસ ના હાર્ડ કોર મતદારો જેમને વર્ષ 2017 માં બંનેને જીતડયા હતા એ નારાજ ચાલી રહ્યા છે. જેમને સમજાવી ને ભાજપ તરફી મતદાન કરવી રહ્યા છે સાથે જ કોંગ્રેસ માં રહેવાથી મત વિસ્તારની આ સમસ્યા નું સમાધાન થતું હતું ના કોઈ નવા વિકાસ ના કામ આવતા હતા. જેના કારણે પ્રજાહિતમાં પક્ષ બદલ્યો હોવાનું સમજાવી રહ્યા છે. જો કે બીજી તરફ કોંગ્રેસ દ્વારા બનેં બેઠકો પર ભાજપના બન્ને ઉમેદવારોએ માત્ર પોતાના અંગત સ્વાર્થના કારણે પ્રજા સાથે દ્રોહ કર્યો હોવાની વાત વહેતી મુકવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપ એકબીજાના નારજ મતદારોને પોતાના તરફ વાળવાના મોકા શોધી રહ્યા છે. ત્યારે જોવાનું એ છે કે પ્રજા કોની વાત ને સાચી માનશે અને કોને નકારશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]