આજનું રાશિફળ: આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, રાશિ અનુસાર કરો આ રીતે ભગવાન શિવની પૂજા
મેષ: મેષ રાશિના લોકો સોમવારના દિવસે પાણીમાં દૂધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો, 5 સફેદ આંકડાના ફુલ ભગવાન શિવને અર્પણ કરવાથી તમારા મનની ચિંતાઓ દુર થશે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું […]
મેષ:
મેષ રાશિના લોકો સોમવારના દિવસે પાણીમાં દૂધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો, 5 સફેદ આંકડાના ફુલ ભગવાન શિવને અર્પણ કરવાથી તમારા મનની ચિંતાઓ દુર થશે.
વૃષભ:
વૃષભ રાશિના જાતકોએ સોમવારના દિવસે શિવલિંગ પર પાણી મિશ્રિત દૂધ ચઢાવવુ. સફેદ ચંદન ભગવાન શિવને અર્પણ કરવુ. તેનાથી તમારા ધનની સ્થિતી સારી થઈ જશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મિથુન:
મિથુન રાશિના બધા જ લોકો સોમવારના દિવસે દાડમના રસથી ભગવાન શિવનો અભિષેક કરે અને એક બિલી પત્ર પર સફેદ ચંદન લગાવીને અર્પણ કરે, પારિવારિક કલેશ ખત્મ થઈ જશે.
કર્ક:
કર્ક રાશિના જાતકો દરેક સોમવારે શિવલિંગ પર ઘીનો અભિષેક કરે, તેનાથી તમારા બધા જ રોગ ખત્મ થવાની સાથે જીવનમાં દરેક જગ્યાએ તમને સફળતા મળશે.
સિંહ:
સિંહ રાશિના જાતકો સોમવારના દિવસે ગોળ અને ખાંડ મિશ્રિત પાણીથી શિવલિંગ પર અભિષેક કરે અને શિવલિંગની પાસે ગાયના ઘીનો દિવો કરે, તેનાથી દામ્પત્યજીવનની મુશ્કેલીઓમાં રાહત મળશે.
કન્યા:
કન્યા રાશિના લોકો સોમવારના દિવસે પાણીમાં બીલીપત્ર નાખીને ભગવાન શિવનો અભિષેક કરે, તમારી નકારાત્મકતા દુર થશે અને તમારા મનની ઈચ્છા પૂરી થશે.
તુલા:
તુલા રાશિના જાતકો સોમવારના દિવસે સુગંધવાળા પાણીથી ભગવાન શિવનો અભિષેક કરે, સફેદ મિઠાઈનો પ્રસાદ ચઠાવીને બાળકોમાં વહેંચે, તેનાથી નોકરીમાં પરેશાની ખત્મ થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના લોકો સોમવારના દિવસે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરે, તેનાથી સતત થોડા દિવસમાં વેપારીની મુશ્કેલીઓ ખત્મ થશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
ધન:
ધન રાશિના લોકો સોમવારના દિવસે ગાયના દુધમાં કેસર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરે, એક બીલીપત્ર પર પીળુ ચંદન લગાવીને શિવલિંગ પર અર્પણ કરે, તેનાથી તમારા જમીન-મિલકતની મુશ્કેલીઓ ખત્મ થશે.
મકર:
મકર રાશિના બધા જ લોકો સોમવારના દિવસે ડાભના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરો, થોડા દિવસ અભિષેક કર્યા પછી તમારા પરિવારની બીમારી હંમેશા માટે ખત્મ થઈ જશે.
કુંભ:
કુંભ રાશિના જાતકો સોમવારના દિવસે પાણીમાં તલ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરે, સરસવના તેલનો દિવો ભગવાન શિવની પાસે કરે, તેનાથી જીવનની દરેક મુશ્કેલી ખત્મ થશે.
મીન:
મીન રાશિના લોકો સોમવારના દિવસે દુધમાં કેસર અને ચોખા મિક્સ કરીને શિવલિંગ પર ચઢાવે, તેનાથી પ્રેમસંબંધોની મુશ્કેલીઓ ખત્મ થશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]