પાયલટ લાંબી દાઢી કેમ નથી રાખી શકતા ? દાઢીનો મુસાફરોની સલામતી સાથે શું છે સંબંધ ?

|

Feb 29, 2024 | 10:10 PM

એવું નથી કે પાયલટ દાઢી રાખી શકતા નથી. અલગ-અલગ એરલાઈન્સના અલગ-અલગ નિયમો હોય છે. આ જ કારણ છે કે કેટલાક પાયલોટ નાની દાઢી રાખે છે અને કેટલાક દાઢી રાખતા નથી. પરંતુ પાયલોટ ફિલ્મી હીરોની જેમ લાંબી અને સ્ટાઇલિશ દાઢી નથી રાખી શકતા. તેની પાછળનું કારણ મુસાફરોની સુરક્ષા છે.

પાયલટ લાંબી દાઢી કેમ નથી રાખી શકતા ? દાઢીનો મુસાફરોની સલામતી સાથે શું છે સંબંધ ?
Pilots

Follow us on

વિમાનની મુસાફરી જેટલી રોમાંચક છે, તેટલી જ સાવધાની પણ જરૂરી છે. આકાશમાં ઉડતા મુસાફરોની સલામતીની પ્રથમ જવાબદારી છે. તેથી એરલાઇન કંપનીઓના કેટલાક નિયમો છે, જેનું પાલન કરવું પડે છે. પ્લેનમાં મુસાફરો માટે અલગ-અલગ નિયમો હોય છે અને ક્રૂ મેમ્બર માટે પણ કેટલાક નિયમો છે. આ જ નિયમ પાયલટ પર પણ લાગુ પડે છે. આવો જ એક નિયમ છે કે પાયલટ દાઢી નથી રાખી શકતા. આની પાછળનું પણ એક કારણ છે, જે આજે અમે તમને જણાવીશું.

એવું નથી કે પાયલટ દાઢી રાખી શકતા નથી. અલગ-અલગ એરલાઈન્સના અલગ-અલગ નિયમો હોય છે. આ જ કારણ છે કે કેટલાક પાયલોટ નાની દાઢી રાખે છે અને કેટલાક દાઢી રાખતા નથી. પરંતુ પાયલોટ ફિલ્મી હીરોની જેમ લાંબી અને સ્ટાઇલિશ દાઢી નથી રાખી શકતા. તેની પાછળનું કારણ મુસાફરોની સુરક્ષા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પાયલટને માસ્ક પહેરવામાં મુશ્કેલી પડી શકે છે

ઉંચાઈ પર પહોંચ્યા બાદ પ્લેનમાં ઓક્સિજનનો અભાવ હોય છે. પ્લેનની અંદરનું હવાનું દબાણ સામાન્ય લોકોના હિસાબે સેટ કરવામાં આવે છે, જે બહારના દબાણ કરતા વધારે હોય છે. પરંતુ વધુ ઉંચાઈ પર ગયા બાદ કેબિનની અંદર હવાનું દબાણ ઘટવા લાગે તેવી શક્યતાઓ ઉભી થાય છે. જ્યારે હવાનું દબાણ ઓછું હોય છે, ત્યારે મુસાફરો સહિત તમામ ફ્લાઇટ કર્મચારીઓએ ઓક્સિજન માસ્ક પહેરવા પડે છે.

પાયલટને પણ ઓક્સિજન માસ્ક પહેરવું પડે છે. ત્યારે જો તેની દાઢી જો લાંબી હોય, તો તેને માસ્ક લગાવવામાં મુશ્કેલી થશે અને માસ્ક ચહેરા પર યોગ્ય રીતે ફિટ થશે નહીં. આ સ્થિતિમાં ઓક્સિજનના અભાવે પાયલટનો જીવ પણ જઈ શકે છે અને જો પાઈલટનો જીવ જોખમમાં હોય તો તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ જાય છે.

Next Article