એક 8 વર્ષની છોકરીની વાર્તા, જેના બલિદાનથી સેંકડો છોકરીઓ શિક્ષિત થઈ

149 વર્ષ પહેલા સમાજ સુધારા માટે એક મહત્વનું પગલું ભરવામાં આવ્યુ હતુ. 149 વર્ષ પહેલા આજના દિવસે મહાત્મા જ્યોતિરાવ ફુલે એ મહારાષ્ટ્રના પુણેમાં લોકો સાથે મળીને જાતિગત ભેદભાવને નાબૂદ કરવા અને સમાજમાં એકતા લાવવા માટે સત્ય શોઘક સમાજની (Satya Sodhak samaj) સ્થાપના કરી હતી.

એક 8 વર્ષની છોકરીની વાર્તા, જેના બલિદાનથી સેંકડો છોકરીઓ શિક્ષિત થઈ
Kashi Bai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 8:41 PM

Knowledge : 149 વર્ષ પહેલા સમાજ સુધારા માટે એક મહત્વનું પગલું ભરવામાં આવ્યુ હતુ. 149 વર્ષ પહેલા આજના દિવસે મહાત્મા જ્યોતિરાવ ફુલે એ મહારાષ્ટ્રના પુણેમાં લોકો સાથે મળીને જાતિગત ભેદભાવને નાબૂદ કરવા અને સમાજમાં એકતા લાવવા માટે સત્ય શોઘક સમાજની (Satya Sodhak samaj) સ્થાપના કરી હતી. ડો. વિશ્રામ રામજી ઘોલે પુણેના પ્રસિદ્ધ સર્જન હતા. તેમને લોકો ‘વાયસરાય માનદ સર્જન’ તરીકે ઓળખતા. તેઓ પછાત જાતિના હતા, તેમ છતા તેમના સંબંધો ઉચ્ચ જાતિના લોકો સાથે સારા હતા. તેઓ પણ સત્ય શોઘક સમાજની બેઠકમાં સામેલ થયા હતા.

ડો. વિશ્રામ રામજી ઘોલે મહિલા સશક્તિકરણના સમર્થક હતા. તેથી જ તેમણે પોતાની પહેલી દીકરી કાશીબાઈને (Kashi bai) શિક્ષિત કરાવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે તેમના આ નિર્ણયનો સમાજમાં ઘોર વિરોધ થયો હતો. તેમ છતાં ડર્યા વગર, હિંમત સાથે તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. તેમનો આ નિર્ણય સમાજમાં એક નવી ક્રાંતિ લાવવાનો હતો.

તેમનો નિર્ણય જોખમી સાબિત થયો

ડો. ઘોલેની મરાઠી બાયોગ્રાફી અનુશાર, તે સમયનો સમાજ માનતો હતો, કે દીકરીને શિક્ષિત કરવાથી આવનારી પેઢી બર્બાદ થઈ જશે. સમાજના આવી વિચારધારા અને વિરોધ વચ્ચે, રુઢિવાદી સમાજની વિરુધ જઈને દીકરીને શિક્ષિત કરવાનો આ નિર્ણય સરળ ન હતો. તેઓ કાશીબાઈને પ્રેમથી બાહુલી કહેતા હતા. સમાજના વિરોધ વચ્ચે તેઓ એ દીકરીને ભણાવા મોકલી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પહેલા પરિવારનો વિરોધ અને પછી સમાજના વિરોધને કારણે કાશીબાઈના જીવને જોખમ હતુ. ધીરે ધીરે વિરોધ વધવા લાગ્યો. તેમના કેટલાક પરિવારજનો એ કાશીબાઈને મારવાની યોજના બનાવી. તેમણે કાશીબાઈના ભોજનમાં કાચના બારીક ટુકડા ઉમેર્યા. જેને કારણે કાશીબાઈના શરીરની અંદરનો ઘણો ભાગ ખરાબ રીતે ડેમેજ થયો.

દીકરીની હત્યા, છતાં હિંમત ન હારી

પોતાની દીકરીની હત્યા બાદ, ડો. ઘોલે એ દીકરીઓને શિક્ષાનો અધિકાર અપાવવા માટેનું અભિયાન શરુ કર્યુ. વર્ષ 1884માં તેમણે છોકરીઓ માટે સ્કૂલ ખોલી. તેમણે તે જ સ્કૂલમાં પોતાની નાની દીકરી ગંગૂબાઈને પણ ભણાવી. જે આગળ જતા વૈદિક ધર્મની જાણકાર બની. ડો. વિશ્રામ રામજી ઘોલે સતત મહિલાઓના વિકાસ અને શિક્ષા માટે સમાજ સામે લડયા. તેમની દીકરીના બલિદાન અને તેમના આ અભિયાનને કારણે આજે કરોડો દીકરીઓ શિક્ષા લઈ રહી છે. અને શિક્ષા મેળવી સમાજમાં આગળ વધી રહી છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">