AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાડલી બહેન યોજના: ખાતામાં દર મહિને આવશે પૈસા, કોણ છે યોજના માટે પાત્ર અને કેવી રીતે મળશે લાભ, જાણો તમામ વિગત

મધ્યપ્રદેશમાં ચાલી રહેલી લાડલી બહેન યોજનાનો લાભ અત્યાર સુધીમાં લગભગ 1.25 કરોડ મહિલાઓને મળ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ રાજ્યના દરેક વર્ગની મહિલાઓને આપવામાં આવી રહ્યો છે. શું છે આ યોજના માટે પ્રક્રિયા અને કોને મળશે લાભ અહીં તમે સમગ્ર વિગત જાણી શકો છો. 

લાડલી બહેન યોજના: ખાતામાં દર મહિને આવશે પૈસા, કોણ છે યોજના માટે પાત્ર અને કેવી રીતે મળશે લાભ, જાણો તમામ વિગત
Sagar Solanki
| Edited By: | Updated on: Mar 08, 2024 | 11:18 AM
Share

લાડલી બહેન યોજનાથી મધ્યપ્રદેશની લાખો મહિલાઓને સીધો ફાયદો થઈ રહ્યો છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને આર્થિક સુરક્ષા આપવામાં આવી રહી છે. હાલમાં જ MP માં ભાજપની જીત થઈ છે. જેમાં કહેવામા આવે છે કે આ યોજના તેમની જીતમાં મહત્વનો ભાગ ભજવે છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓ તેમજ તેમના બાળકોના સ્વાસ્થ્યને સુધારવાનો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ યોજના શરૂ કરી હતી, જેમાં અત્યાર સુધીમાં લગભગ 1.25 કરોડ મહિલાઓને ફાયદો થયો છે.

આ યોજનાને અમલમાં લાવતી વખતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય રાજ્યની મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે. મહિલાઓ આ યોજના હેઠળ મળેલી રકમનો ઉપયોગ તેમના અને તેમના બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે કરી શકે છે. આ યોજના હેઠળ કુલ 1,25,33,145 મહિલાઓએ અરજી કરી હતી, જેમાંથી 1,25,05,947 મહિલાઓ પાત્ર હોવાનું જાણવા મળ્યું છે.

શું છે યોજનાની વિશેષતા?

આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવે છે. એટ્લે કે, દરેક મહિલાને એક વર્ષમાં 12,000 રૂપિયા સહાય સ્વરૂપે આપવામાં આવે છે. અગાઉ આ માટે અરજી કરવાની વય મર્યાદા 23 વર્ષ રાખવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને ઘટાડીને 21 વર્ષ કરી દેવામાં આવી છે.  એટ્લે કે આ યોજનાનો લાભ હવે મોટી માત્રામાં મળશે. સરકાર આ માટે દર વર્ષે 12 હજાર કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવી રહી છે.

યોજનાનો લાભ કોને અને ક્યારે મળશે?

મધ્યપ્રદેશમાં ચાલી રહેલી આ યોજનાનો લાભ તમામ વર્ગની મહિલાઓને આપવામાં આવી રહ્યો છે. સામાન્ય વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી, ત્યજી દેવાયેલી મહિલાઓ અને વિધવાઓને પણ આ યોજના હેઠળ લાભાર્થી બનાવવામાં આવ્યા છે. યોજના હેઠળ 21 વર્ષથી 60 વર્ષની મહિલાઓ અરજી કરી શકે છે.

આ પણ વાંચો : PM સ્વનિધિ યોજના : લોન પર 7% ની વ્યાજ સબસિડી, દર મહિને મળશે કેશ બેક, મોદી સરકારની આ સ્કીમ દરેક નાગરિક માટે કામની

ક્યાં દસ્તાવેજો છે જરૂરી ?

લાડલી બહેન યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે. આ માટે અરજદાર પાસે આધાર કાર્ડ અને તેનો ફોટો હોવો જરૂરી છે. જે  મુખ્ય દસ્તાવેજ છે. ખાસ કરીને બેંક ખાતાની વિગતો ભરવાની સાથે મોબાઈલ નંબર અને મૂળ રહેઠાણનું પ્રમાણપત્ર પણ આપવું જરૂરી રહેશે. જન્મ તારીખ ચકાસવા માટે, જન્મ પ્રમાણપત્ર પણ રજૂ કરવું જરૂરી રહેશે.

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">