AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge : આ 6 જાપાની ફોર્મૂલા આળસ પર કાબૂ મેળવવા માટે કરશે મદદ!

આપણે ઘણીવાર કામ કરવાની અસમર્થતાને આળસ સમજે છે. પરંતુ જાપાની લાઇફસ્ટાઇલ આ વિચારોને અલગ રીતે જુએ છે.

Knowledge : આ 6 જાપાની ફોર્મૂલા આળસ પર કાબૂ મેળવવા માટે કરશે મદદ!
Japanese Laziness FormulaImage Credit source: Google
| Updated on: Jun 05, 2026 | 12:54 PM
Share

ઘણા લોકો જ્યારે પોતાનું કામ સમયસર કરી નથી શકતા અથવા સતત તેને ટાળે છે ત્યારે તરત જ લોકો પોતાને આળસુ સમજે છે. પરંતુ જાપાની વિચારધારા તેને અલગ રીતે જુએ છે. ત્યાં માનવામાં આવે છે કે આવું થવાનું કારણ આળસ નહીં પણ માનસિક થાક, તણાવ અથવા જીવનમાં અસંતુલન હોઈ શકે છે.

કાઈઝેન (Kaizen)

જાપાની ફિલોસૉફી કાઈઝેનનો અર્થ છે સતત સુધારો. તેમાં એકદમ મોટો ફેરફાર લાવવાની જગ્યાએ રોજ થોડું-થોડું આગળ વધવા પર ધ્યાન આપવામાં આવે છે. જો એક કલાકની કસરત મુશ્કેલ લાગે, તો માત્ર 5 મિનિટ ચાલવાથી શરૂઆત કરો. નાની કોશિશો સમય સાથે મોટા ફેરફારો લાવી શકે છે.

ઇકિગાઈ (Ikigai)

ઇકીગાઈનો અર્થ છે જીવનનો હેતુ છે. જ્યારે આપણને આપણા કામ અથવા દૈનિક જીવનનો અર્થ સમજાય છે ત્યારે કામ કરવાની ઇચ્છા પણ વધે છે.

હારા હાચિ બુ (Hara Hachi Bu)

જાપાનના ઓકિનાવા પ્રદેશની આ ફિલોસૉફી કહે છે કે વ્યક્તિએ પેટ 80 ટકા ભરાય ત્યાં સુધી ખાવું જોઈએ. આ સિદ્ધાંત ફક્ત ખોરાક પૂરતો મર્યાદિત નથી. વધુ પડતું કામ, જવાબદારીઓ અથવા માહિતી માનસિક થાક પણ વધારી શકે છે. તેથી, સંતુલન જાળવવું જરૂરી છે.

સેઇરી અને સેઇતોન (Seiri & Seiton)

જાપાનીઝ 5S સિસ્ટમનો ભાગ, સેઇરી અને સેઇતોન આપણને બિનજરૂરી વસ્તુઓ દૂર કરવાનું અને આવશ્યક વસ્તુઓને વ્યવસ્થિત રાખવાનું શીખવે છે. જ્યારે આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને વ્યવસ્થિત હોય છે રે ધ્યાન કેન્દ્રિત કરવું અને શરૂઆત કરવી સરળ બને છે.

કિંત્સુગી (Kintsugi)

કિંત્સુગી એક જાપાની કલા છે જેમાં તૂટેલી વસ્તુઓને સુધારીને વધુ સુંદર બનાવવામાં આવે છે. આ ફિલોસૉફી શીખવે છે કે ભૂલો અને નિષ્ફળતાઓ નબળાઈઓ નથી પરંતુ શીખવાનો ભાગ છે. જ્યારે આપણે નિષ્ફળતાના ડરને છોડી દઈએ છીએ ત્યારે આગળ વધવું સરળ બને છે.

વાબી-સાબી (Wabi-Sabi)

ઘણા લોકો સંપૂર્ણ સમય અથવા સંપૂર્ણ તકની રાહ જોતા રહે છે અને શરૂઆત જ નથી કરતા. વાબી-સાબી દર્શાવે છે કે અધૂરાપણું પણ સુંદર હોઈ શકે છે. પરફેક્ટ શરૂઆતની રાહ જોવા કરતાં આજે જ પહેલું પગલું ભરવું વધુ સારું છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, World Environment Day : પર્યાવરણ દિવસની શરૂઆત ક્યારે થઈ અને તેનો ઉદ્દેશ શું છે?

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">