AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાપાનમાં તો અવારનવાર મોટા ભૂકંપ આવે છે, છતા ત્યાં કેમ નથી થતુ જાન-માલને મોટાપાયે નુકસાન ? જાણો

ભૂકંપને રોકવો અશક્ય છે, પરંતુ ભૂકંપને કારણે થતા નુકસાન અને વિનાશને ચોક્કસપણે ઘટાડી શકાય છે. જાપાન આ જ પદ્ધતિ ઉપર કામ કરે છે. ભૂકંપને લઈને કરાયેલ આગોતરી તૈયારીના પગલાંની સાથેસાથે, જાહેર જાગૃતિ લાવવાની પણ કાર્યવાહી જાપાનમાં હાથ ધરાય છે, જેના કારણે જાપાનમાં આવતા મોટા ભૂકંપના આચંકા છતા કોઈ જાનહાની થતી નથી.

જાપાનમાં તો અવારનવાર મોટા ભૂકંપ આવે છે, છતા ત્યાં કેમ નથી થતુ જાન-માલને મોટાપાયે નુકસાન ? જાણો
| Updated on: Jun 26, 2026 | 2:50 PM
Share

ભારતથી આશરે 15,000 કિલોમીટર દૂર આવેલા વેનેઝુએલામાં ગઈકાલે, બુધવારે, સતત બે મોટા ભૂકંપના આંચકાએ વિનાશ વેર્યો હતો. ભૂકંપના કારણે વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત અનેક શહેરોમાં વ્યાપક નુકસાન થયું હતું. ઘણી ઇમારતો પતાના મહેલની માફક તુટી પડી. વિવિધ સ્થળોએ રસ્તાઓમાં મોટી તિરાડો પડી ગઈ. ભૂકંપ બાદની રાહત અને બચાવ કામગીરી તીવ્ર ગતીએ ચાલી રહી છે. જો કે હજારો લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે. તો બીજી તરફ આ જ સમયે જાપાનમાં પણ એક મોટો ભૂકંપ આવ્યો છે, છતાં ત્યાં જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ સામે નથી આવ્યા.

વેનેઝુએલામાં 7.2 અને 7.5 ની તીવ્રતાના ઉપરા છાપરી આવેલા બે ભૂકંપના આંચકાથી સમગ્ર દેશમાં વ્યાપક ભય ફેલાયો હતો, જેના કારણે અનેક શહેરોમાં ઇમારતો ખાલી કરાવવાની ફરજ પડી હતી. વેનેઝુએલામાં આવેલ ભૂકંપના આંચકાની અસર બ્રાઝિલમાં એમેઝોન પ્રદેશ જેટલી દૂર, એટલે કે આશરે 2,000 કિલોમીટર દૂર અનુભવાઈ હતી. મોડી રાત્રે રાષ્ટ્રને આપેલા ટૂંકા સંબોધનમાં, વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે, ઘણા રાજ્યોને નુકસાન થયું છે પરંતુ વિગતવાર આંકડા આવ્યા નથી. જો કે જાપાન એક નાનો દેશ હોવા છતા, વારંવાર ભૂકંપનો ભોગ બને છે. જાપાનમાં ખરેખર ભૂકંપથી બચવા માટે એવુ તો શું કરવામાં આવ્યું છે કે, ત્યાં ગમે એટલો મોટા ભૂકંપના આંચકા આવે તો પણ જાન-માલને વ્યાપક નુકસાન થતુ નથી. આ બાબત ભારત સહિત વિશ્વભરના દેશોએ શીખવાની જરૂર છે ?

વિનાશ ઘટાડવાની જાપાનની વ્યૂહરચના

ભૂકંપને રોકવો તો અશક્ય છે, પરંતુ ભૂકંપને કારણે થતા વિનાશને ચોક્કસપણે કેટલીક તૈયારી દ્વારા ઘટાડી શકાય છે. જાપાન આ જ સિદ્ધાંત પર કામકાજ કરે છે. જાપાને, ભૂકંપ-પ્રતિરોધક ઇમારતો બનાવી છે. જેમાં બેઝ આઇસોલેશન, સિસ્મિક ડેમ્પર્સ અને લવચીક સ્ટીલ સ્ટ્રક્ચર્સ જેવી તકનીકોનો ઉપયોગ ફરજિયાત છે.

જાપનમાં ઘડવામાં આવેલ બિલ્ડિંગ કોડ્સનું પાલન કડકપણે લાગુ કરવામાં આવે છે. જાપાનમાં, બિલ્ડિંગ નિયમોનો અમલ પણ કડક રીતે પાલન કરાવવામાં આવે છે. જો બિલ્ડિંગ નિયમનુ ઉલ્લંઘ કરવામાં આવે છે તો તેના પર કડક દંડ લાદવામાં આવે છે. માત્ર નવી જ બનતી ઈમારતો માટે નહીં પરંતુ, જૂની ઇમારતોની માળખાકીય બાબતો પર પણ નોંધપાત્ર ધ્યાન આપવામાં આવે છે. ભૂકંપનો સામનો કરવા માટે ફક્ત નવી રચનાઓ બનાવવામાં આવતી નથી, પરંતુ વર્તમાન ઇમારતોને તેમના ભૂકંપ પ્રતિકારને વધારવા માટે સિસ્મિક રેટ્રોફિટિંગ કરાવવામાં આવે છે.

નિયમિત મોક ડ્રીલ અને સતત પ્રેક્ટિસ

જાપાનમાં, ભૂકંપના શરૂઆતના આંચકાઓના સંકેત મળતાં જ, મોબાઇલ ફોન, ટેલિવિઝન, રેડિયો અને જાહેર ચેતવણી પ્રણાલીઓ દ્વારા વહેલી ચેતવણીઓ આપવામાં આવે છે. જે થોડીક સેકન્ડ અગાઉથી પૂર્વસૂચના આપે છે. વધુમાં, નિયમિત પણ મોક ડ્રીલ હાથ ધરવામાં આવે છે. જેમાં સૌ કોઈને સામેલ થવુ આવશ્યક હોય છે. આટલું જ નહીં, શાળાઓ, કચેરીઓ, હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ સમયાંતરે ભૂકંપ સલામતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે.

જાપાનમાં ભૂકંપ અંગે જનજાગૃતિ ઝુંબેશ એક મુખ્ય બાબત તરીકે ગણવામાં આવે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેકને ભૂકંપ દરમિયાન, કેવા પ્રકારના યોગ્ય પગલાં લેવા અને શું કરવાનું ટાળવું જોઈએ તે અંગે શિક્ષિત કરવામાં આવે છે. ભૂકંપને લઈને ઇમરજન્સી કીટ હંમેશા તૈયાર રાખવામાં આવે છે. દરેક પરિવાર દીઠ પાણી, સૂકા રાશન, ફ્લેશલાઇટ, દવાઓ, પાવર બેંક, રેડિયો અને આવશ્યક દસ્તાવેજો ધરાવતી બેગ તૈયાર જ રાખે છે.

હંમેશા ચેતવણી આપતી પ્રતિભાવ પ્રણાલી

ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલી ખૂબ જ સતર્ક રહે છે. ભૂકંપની સ્થિતિમાં, રાહત અને બચાવ એજન્સીઓ, ફાયર વિભાગો, તબીબી ટીમો અને સૈન્ય ગણતરીની મિનિટોમાં જ નિર્ધારીત સ્થળે એકઠા થઈ જાય છે. આખરે, ટેકનોલોજી અને શિસ્તનું સંયોજન નુકસાનને ઓછું કરે છે. જાપાનમાંથી ભૂકંપ સામે બચાવ અને જાનમાલને ઓછુ નુકસાન કરવા અંગે મળેલ જાણકારી છે કે માત્ર ટેકનોલોજી જ નહીં, પરંતુ કડક કાયદાઓ, શ્રેષ્ઠ શહેરી આયોજન અને નાગરિક શિસ્તનું મિશ્રણને કારણે જ સૌથી શક્તિશાળી ભૂકંપોને પણ જાનમાલના મોટા નુકસાનમાં ફેરવાતા અટકાવે છે.

Venezuela Earthquake : 235 લોકોના મોત, 200 થી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા, 39,000 લોકો ગુમ

Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">