જાણો ઇજિપ્તના પિરામિડનું રહસ્ય!!! 4000 વર્ષ પૂર્વે 5000000000 કિલો વજનના પથ્થર 180 મીટર ઊંચાઈ સુધી કેવી રીતે ગોઠવાયા?

|

Jul 13, 2024 | 11:23 AM

જ્યારે પણ દુનિયાના રહસ્યમય સ્થળોની વાત આવે છે ત્યારે મનમાં પહેલો વિચાર ઇજિપ્તના પિરામિડ(Egyptian Pyramids)નો આવે છે. આ અંગે આજદિન સુધી અનેક પ્રકારના સંશોધનો થયા છે પરંતુ રહસ્ય ઠેરના ઠેર છે.

જાણો ઇજિપ્તના પિરામિડનું રહસ્ય!!! 4000 વર્ષ પૂર્વે 5000000000 કિલો વજનના પથ્થર 180 મીટર ઊંચાઈ સુધી કેવી રીતે ગોઠવાયા?

Follow us on

જ્યારે પણ દુનિયાના રહસ્યમય સ્થળોની વાત આવે છે ત્યારે મનમાં પહેલો વિચાર ઇજિપ્તના પિરામિડ(Egyptian Pyramids)નો આવે છે. આ અંગે આજદિન સુધી અનેક પ્રકારના સંશોધનો થયા છે પરંતુ રહસ્ય ઠેરના ઠેર છે. જેમ કે તેઓ કેમ બાંધવામાં આવ્યા હતા? તેમને બનાવવા માટે આટલા મોટા પથ્થરો ક્યાંથી લાવવામાં આવ્યા હતા ? આટલા ઊંચા કેવી રીતે લગાવવામાં આવ્યા હતા? આવા પ્રશ્નોનો સમાવેશ થાય છે જેના જવાબો હજુ સુધી બહાર આવ્યા નથી.

કેમ નદી કિનારે પિરામિડ બનાવવામાં આવ્યા?

પિરામિડને લગતા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પિરામિડની રચના સંબંધિત એક ખાસ માહિતી મળી આવી છે. આ અહેવાલના તર્કની ચર્ચાએ ત્યારે વેગ પકડ્યો જ્યારે રચનાની શોધની મહત્વની હકીકત વિશ્વની સામે આવી હતી. આ અંગે એક સંશોધન બહાર આવ્યું છે જેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે 31 કરતા વધુ પિરામિડ છે. જે નાઇલ નદીથી નજીક છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે તેઓ મુખ્ય પ્રવાહમાંથી નીકળતી નદીના અલગ 64 કિમી પટ પર બાંધવામાં આવ્યા હશે.

પિરામિડ માટે પથ્થર કેવી રીતે લાવવામાં આવ્યા હતા?

તેમને જોયા પછી યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના વિલ્મિંગ્ટનના અધિકારીઓએ પૂછ્યું કે શા માટે તેઓ પાણીથી પાંચ માઇલ દૂર બનાવવામાં આવ્યા છે. આ દાવો માટીના નમૂનાઓ અને સેટેલાઇટ છબીઓ બંનેના આંશિક વિશ્લેષણના આધારે પ્રકાશિત કરવામાં આવ્યો છે. અહેવાલમાં, વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે તે અહરામત નામના પાણીના ભાગ તરફ નિર્દેશ કરે છે. તે હવે અસ્તિત્વમાં નથી.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો હતો કે અહરામ શાખાએ પિરામિડના નિર્માણમાં ભૂમિકા ભજવી હતી જે કામદારો માટે પરિવહન જળમાર્ગ તરીકે સેવા આપી હતી અને પિરામિડ સાઇટ પર બાંધકામ સામગ્રી પહોંચાડી હતી. નાઇલ નદીની મુખ્ય પ્રાચીન શાખાઓમાંની એકનો પ્રથમ નકશો મોટા પાયે રજૂ કરવામાં આવ્યો હતો અને તેને ઇજિપ્તના સૌથી મોટા પિરામિડ વિસ્તારો સાથે જોડવામાં આવ્યો હતો અને તેમના પત્થરોનું રહસ્ય ઉકેલવાનો દાવો કરાયો છે.

ઇજિપ્તના પિરામિડનો 4000 વર્ષ જૂનો ઇતિહાસ છે

ઇજિપ્તની સૌથી રહસ્યમય કલાકૃતિ ‘ગીઝાનો મહાન પિરામિડ’ (The Great Pyramid of Giza)આજે પણ સંશોધનનો વિષય બન્યો છે જે વિશ્વની સાત અજાયબીઓમાંની એક પણ છે. ઇજિપ્તના પિરામિડનો 4000 વર્ષ જૂનો ઇતિહાસ છે જેને સમજવો સંશોધકો માટે મુશ્કેલ બની રહ્યો છે. અનેક તર્ક રજૂ કરાયા પણ હજુ ઘણા રહસ્યો એવા છે જેના વિશે સાચી અને તાર્કિક માહિતી ઉપલબ્ધ નથી.

ઇતિહાસકારો અનુસાર ગીઝાનો મહાન પિરામિડ 2560 બીસીમાં બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. આ પિરામિડને કુફુ પિરામિડ કહેવામાં આવે છે. એક થિયરી અનુસાર આ પિરામિડ પ્રાચીન ઇજિપ્તના રાજા કુફુ માટે બનાવવા માં આવ્યો છે. ઇજિપ્તની સંસ્કૃતિ મૃત્યુ બાદના જીવનમાં વિશ્વાસ રાખતી હતી માટે રાજાના શરીરને સાચવવા માટે પિરામિડ બનાવવામાં આવ્યો હતો. ગીઝાના મહાન પિરામિડની ઊંચાઈ લગભગ 450 ફૂટ ઊંચી માનવામાં આવે છે.

પિરામિડનું વજન 5 અબજ 21 કરોડ કિલોગ્રામ છે

આ પિરામિડનો નીચેનો ભાગ 13 એકરમાં ફેલાયેલો છે જે લગભગ 16 ફૂટબોલ મેદાન જેટલો મોટો છે. આ પિરામિડ બનાવવા માટે 23 લાખ પથ્થરના બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનું વજન લગભગ 5 અબજ 21 કરોડ કિલોગ્રામ છે. આ પથ્થરોમાં લાઈમસ્ટોન અને ગ્રેનાઈટની મદદથી પિરામિડને આકાર આપવામાં આવ્યો છે.

આ પિરામિડ બનાવવા માટે વપરાયેલા પથ્થરોનું વજન 2000 કિલોથી લઈને 30 હજાર કિલો સુધી રહ્યું છે. આ ઉપરાંત કેટલાક પથ્થરોનું વજન 45 હજાર કિલો સુધી રાખવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આજે પણ એક ક્રેન મહત્તમ 20 હજાર કિલો વજન ઉપાડી શકે છે તો તે સમયે 45 હજાર કિલો વજનનો પથ્થર કેવી રીતે ઉપાડવામાં આવ્યો હશે?

ગીઝાના ગ્રેટ પિરામિડમાં કેટલા ભોંયરાઓ છે તેની કોઈને ખબર નથી પરંતુ અત્યાર સુધીના સંશોધન મુજબ તેમાં ત્રણ ભોંયરાઓ મળી આવ્યા છે…આધાર ભોયરુ , રાજાનું ભોંયરું અને રાણીનું ભોંયરું… પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે બેમાંથી કોઈ રાજાની મમી રાજાના ભોંયરામાં મળી ન હતી અને રાણીની મમી રાણીના ભોંયરામાં મળી ન હતી જ્યારે આ પિરામિડ માત્ર રાજા અને રાણીના મૃતદેહોને સાચવવા માટે બનાવવામાં આવ્યો હતો.

પિરામિડ ચંદ્ર પરથી પણ નજરે પડતા હોવાનું અનુમાન

આ પિરામિડ એવા સ્થાને બનાવવામાં આવ્યા છે કે તે ઈઝરાયેલના પહાડો પરથી પણ સ્પષ્ટ નજરે પડે છે. એવું કહેવાય છે કે ઇજિપ્તના આ પિરામિડ ચંદ્ર પરથી સ્પષ્ટ નજરે પડતા હશે જે મૃતયુ બાદના જીવનને અનુલક્ષીને બનાવાયા છે.

ગીઝાનો પિરામિડ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તેની અંદરનું તાપમાન હંમેશા નિયંત્રિત રહે છે. પિરામિડની બહારનું તાપમાન ગમે તેટલું હોય તેની અંદરનું તાપમાન હંમેશા 20 ડિગ્રી સેલ્સિયસ રહે છે. આ સિવાય આ પિરામિડને ભૂકંપથી નુકસાન થતું નથી.

‘ધ ગ્રેટ સ્ફિન્ક્સ’ એ સમગ્ર ઇજિપ્તની સૌથી અદભૂત પ્રતિમા છે, જેના વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે તે કોના માટે બનાવવામાં આવી હતી. આ પ્રતિમા 73 મીટર લાંબી અને 20 મીટર ઉંચી છે. જે પ્રતિમા ખાસિયત અને રહસ્યનો ખજાનો છે કે તેને એક પથ્થરને કાપીને બનાવવામાં આવી છે. તે વિશ્વની સૌથી મોટી સિંગલ સ્ટોન સ્ટેચ્યુ છે જે 4000 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી.

ઇજિપ્તના પિરામિડની જેમ વિશ્વમાં ઘણી જગ્યાએ પિરામિડ બનાવવામાં આવ્યા છે. જો કે ઇજિપ્ત જેવા પિરામિડનું નિર્માણ આજે પણ શક્ય નથી. આજ સુધી વૈજ્ઞાનિકો અને ઈતિહાસકારો આ ન સમજી શકાય તેવો કોયડો સમજી શક્યા નથી કે પિરામિડના નિર્માણમાં કેવા પ્રકારની ટેકનોલોજી અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે હજારો વર્ષો પછી પણ આ પિરામિડ સુરક્ષિત છે અને તેમની ચમક યથાવત છે.

પિરામિડમાં જ મૃતદેહો શા માટે રાખવામાં આવ્યા હતા

પિરામિડની કુલ ઊંચાઈની ઊંચાઈએ રાખવામાં આવેલા મૃતદેહો (મમી) આજે પણ અવિભાજ્ય છે. પિરામિડમાં પ્રકાશ, આબોહવા અને ઊર્જાનો પ્રવાહ સંતુલિત સ્વરૂપમાં રહે છે, જેના કારણે કંઈપણ વિકૃત થતું નથી. પ્રાચીન કાળના લોકો આ રહસ્ય જાણતા હતા. એટલા માટે તેઓ તેમની કબરોને પિરામિડ જેવા બનાવતા હતા અને તેમને એટલો ભવ્ય આકાર આપતા હતા કે તે હજારો વર્ષ સુધી ટકી રહે.

પ્રાચીન ઇજિપ્તના સમ્રાટ અખાતુનનું નામ સંસ્કૃતમાં અક્ષયનુતનું અપભ્રંશ છે, જેનો અર્થ થાય છે શરીર અખૂટ છે અને સદા નવું રહે છે. આમ, પિરામિડ જ્ઞાન એ અમરત્વનું જ્ઞાન છે. દરરોજ થોડો સમય પિરામિડમાં રહેવાથી વ્યક્તિની વૃદ્ધત્વ અટકે છે.

આ પણ વાંચો : Swiss Bank ધનકુબેરોની પહેલી પસંદ બની, અહીં કાળું નાણું છુપાવવાની રમત કેવી રીતે ચાલે છે?

Next Article