શું તમે પણ કૂલરમાં ફટકડી નાખો છો? જાણી લો આ એક ભૂલ કૂલરને કરી શકે છે બરબાદ
સોશિયલ મીડિયા પર કૂલરના પાણીમાં ફટકડી નાખવાની ટ્રીક વાયરલ થઈ રહી છે. ગંદકી અને દુર્ગંધ દૂર કરવા માટે આ રીત કારગર તો છે, પરંતુ અમુક લોકો માટે આ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સાથે જ જાણો મીઠાની બોટલનો એવો જાદુ જે કૂલરને બનાવશે એસી.

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શિવમ મલિકે ગરમીમાં રાહત મેળવવા માટે એક અનોખો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, કૂલરની ટાંકીમાં માત્ર 10 રૂપિયાની ફટકડીનો ટુકડો નાખવાથી પાણીમાં રહેલી માટી અને ગંદકી નીચે બેસી જાય છે. ફટકડીના એન્ટી-બેક્ટેરિયલ ગુણ પાણીને સડતા અટકાવે છે, જેનાથી કૂલરમાંથી આવતી ભેજવાળી ગંદી વાસ ગાયબ થઈ જાય છે અને હવા તાજી લાગે છે.
સાવધાન! આ એક ભૂલ ન કરતા
જોકે, આ ટ્રીક બધા માટે નથી. જો તમારા વિસ્તારમાં ખારું પાણી આવતું હોય, તો ફટકડીનો ઉપયોગ ટાળવો જોઈએ. ખારા પાણીમાં ફટકડી નાખવાથી પાણી વધુ ઘટ્ટ બની શકે છે અથવા સફેદ પાવડર જેવું જામી શકે છે. આના કારણે કૂલરના પંપ ખરાબ થઈ શકે છે અને કૂલરની ઘાસની જાળીઓ બ્લોક થઈ શકે છે.
મીઠાની બોટલનો ‘એસી’ જેવો જાદુ
કૂલરને બરફ જેવી ઠંડક આપવા માટે શિવમ મલિકે એક શાનદાર દેશી જુગાડ જણાવ્યો છે. સામાન્ય રીતે લોકો કૂલરમાં બરફ નાખે છે જે ઝડપથી ઓગળી જાય છે. તેના બદલે, પ્લાસ્ટિકની બોટલોમાં પાણી ભરો અને તેમાં થોડું મીઠું ઉમેરીને તેને ફ્રીઝરમાં જમાવી દો.
કેવી રીતે કામ કરે છે આ જુગાડ?
મીઠું ભેળવવાથી બરફનું મેલ્ટિંગ પોઈન્ટ ઘટી જાય છે, એટલે કે તે સામાન્ય બરફ કરતા ઘણી મોડી ઓગળે છે. જ્યારે આ મીઠાવાળી બરફની બોટલો કૂલરની ટાંકીમાં રાખવામાં આવે છે, ત્યારે પાણી લાંબા સમય સુધી ઠંડુ રહે છે. જ્યાં સુધી પાણી ઠંડુ રહેશે, ત્યાં સુધી તમારું કૂલર એસી જેવી જ ઠંડી હવા ફેંકશે.
ઓછા ખર્ચે શ્રેષ્ઠ કુલિંગ
આ જુગાડનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે વારંવાર બરફ નાખવાની માથાકૂટ નથી રહેતી. એકવાર બોટલ પીગળી જાય એટલે તેને ફરી ફ્રીઝરમાં મૂકી બીજી તૈયાર બોટલ કાઢી લો. આ રીતે કોઈ વધારાના વીજળી બિલ વગર તમે ઉનાળામાં એસી જેવો આનંદ માણી શકો છો.
ડિસ્ક્લેમર: આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.
