AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાણી સાથે મીઠું મોઢું કરાવવાની પરંપરા પાછળનું શું છે કારણ ? જાણો આ આદત પાછળ છુપાયેલું સ્વાસ્થ્યનું વિજ્ઞાન

ભારતીય ઘરોમાં મહેમાનને માત્ર પાણી આપવાને બદલે ગોળ કે મીઠાઈ આપવાની રીત સદીઓ જૂની છે. જાણો કેવી રીતે આ નાનકડી આદત શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે.

પાણી સાથે મીઠું મોઢું કરાવવાની પરંપરા પાછળનું શું છે કારણ ? જાણો આ આદત પાછળ છુપાયેલું સ્વાસ્થ્યનું વિજ્ઞાન
Image Credit source: AI
| Updated on: May 14, 2026 | 3:30 PM
Share

ભારતીય ઘરોમાં જ્યારે પણ કોઈ મહેમાન આવે છે, ત્યારે તેમને માત્ર પાણી આપવાને બદલે તેની સાથે થોડું મીઠું (જેમ કે ગોળ, સાકર કે મીઠાઈ) પીરસવાની પરંપરા છે. ભલે આજે આ રિવાજ ઓછો થઈ રહ્યો હોય, પણ તેની પાછળ સ્વાસ્થ્ય અને સંસ્કૃતિ સાથે જોડાયેલા અનેક મહત્વના કારણો છે.

સંસ્કૃતિ અને સન્માનનું પ્રતિક

ભારતીય સંસ્કૃતિમાં મીઠાઈને શુભેચ્છા ખુશી અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત મીઠું મોઢું કરાવીને કરવાની પરંપરા સદીઓ જૂની છે. આથી, ઘરે આવેલા મહેમાનને પાણી સાથે મીઠાઈ આપવી એ તેમને માન અને પોતાપણું આપવાની એક રીત છે.

સ્વાસ્થ્ય માટે કેમ છે ફાયદાકારક?

તબીબી નિષ્ણાતો અને આયુર્વેદ મુજબ, આ પરંપરા પાછળ શારીરિક વિજ્ઞાન પણ કામ કરે છે:

  • ન્યુટ્રિશન લોસની ભરપાઈ: જૂના જમાનામાં લોકો લાંબુ અંતર કાપીને, ઘણીવાર પગપાળા કે સામાન્ય સાધનો દ્વારા મહેમાનગતિએ પહોંચતા હતા. મુસાફરી દરમિયાન થાક અને પરસેવાને કારણે શરીરમાંથી જરૂરી પોષક તત્વો નીકળી જતા હતા.
  • ગોળનો ફાળો: નિષ્ણાતોના મતે, ખાસ કરીને ગોળ આપવો ખૂબ જ ફાયદાકારક હતો કારણ કે તેમાં વિટામિન, આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે. તે શરીરમાં હાઈડ્રેશન અને ન્યુટ્રિશનના લોસને પૂરું કરવામાં મદદ કરે છે.
  • ઈન્સ્ટન્ટ એનર્જી: આયુર્વેદ અનુસાર, મર્યાદિત માત્રામાં મીઠું લેવાથી શરીરને તરત જ ઉર્જા મળે છે. ખાસ કરીને ઉનાળામાં બહારથી આવનાર વ્યક્તિને પાણી સાથે ગોળ કે સાકર આપવાથી શરીરને તાત્કાલિક રાહત મળે છે.

પરંપરાગત સામગ્રીના ફાયદા

મીઠાઈમાં વપરાતી વિવિધ વસ્તુઓ પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે:

  • એલચી: પાચનશક્તિ સુધારવા માટે ઉત્તમ માનવામાં આવે છે.
  • કેસર: મૂડ સારો રાખવામાં મદદરૂપ થાય છે.
  • ગોળ: લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે.
  • ઘી: શરીરમાં પોષક તત્વોના શોષણને વધુ સારી રીતે કરવામાં મદદરૂપ બને છે.

આમ, પાણી સાથે મીઠાઈ આપવી એ માત્ર એક રિવાજ નથી, પરંતુ મહેમાનના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે લેવામાં આવતું એક સાવચેતીભર્યું પગલું છે.

સ્વાદમાં ચટપટી કાચી કેરી ક્યાંક સ્વાસ્થ્ય બગાડી ન દે ! જો વધુ પ્રમાણમાં ખાશો તો થઈ શકે છે આ ગંભીર બીમારીઓ

Follow Us
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
દૂઘના ભાવ વધ્યા, ચા પ્રેમીઓને ચાનો શોખ મોંઘો પડશે, જુઓ વીડિયો
દૂઘના ભાવ વધ્યા, ચા પ્રેમીઓને ચાનો શોખ મોંઘો પડશે, જુઓ વીડિયો
ચૂંટણી સમયે દારૂ પકડાવાના કેસમાં કોંગ્રેસના કાઉન્સિલરની થઈ ધરપકડ
ચૂંટણી સમયે દારૂ પકડાવાના કેસમાં કોંગ્રેસના કાઉન્સિલરની થઈ ધરપકડ
Breaking News: દૂધના ભાવ વધારાથી અમદાવાદ-સુરતમાં લોકોમાં રોષ
Breaking News: દૂધના ભાવ વધારાથી અમદાવાદ-સુરતમાં લોકોમાં રોષ
UPમાં પ્રચંડ આંધીનો કહેર ! હોર્ડિંગ્સ સાથે વ્યક્તિ પણ હવામાં ફંગોળાયો
UPમાં પ્રચંડ આંધીનો કહેર ! હોર્ડિંગ્સ સાથે વ્યક્તિ પણ હવામાં ફંગોળાયો
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
g clip-path="url(#clip0_868_265)">