AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આઝાદી મળ્યા બાદ પણ ઈન્ડિયન કરન્સી પર ગાંધીજી પહેલા કોની તસવીર છપાતી હતી? શા માટે?- વાંચો

ભારતને 1947માં આઝાદી મળી ચુકી હતી, પરંતુ ભારતીય કરન્સીથી બ્રિટીશ છાપ તુરંત ભૂસાઈ શકી ન હતી. નવુ ભારત તેની અલગ ઓળખ બનાવવાની પ્રક્રિયામાં હતુ અને કોલોનિયલ હેંગઓવર સમાજ , પ્રશાસન અને કરન્સી ત્રણેયમાં સ્પષ્ટ જોઈ શકાતો હતો

આઝાદી મળ્યા બાદ પણ ઈન્ડિયન કરન્સી પર ગાંધીજી પહેલા કોની તસવીર છપાતી હતી? શા માટે?- વાંચો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2026 | 2:52 PM
Share

ડિજિટલ ઈન્ડિયાના દૌરમાં ભલે UPI ને કેશનો ઉપયોગ ઓછો કરી દીધો હોય, પરંતુ ભારતીય કરન્સી પર છપાયેલ મહાત્મા ગાંધીના હસતા ચહેરાનું મહત્વ આજે પણ એટલુ જ છે. દરેક ભારતીય આ નોટોને ઓળખે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આઝાદી બાદ તુરંત ભારતીય કરન્સી પર ગાંધીજીની તસવીર ન હતી. એ સમયે કરન્સી પર બ્રિટીસ રાજા કિંગ જ્યોર્જ સિક્સન ફોટો છપાતી હતી. આ ફેરફાર ક્યારે કરાયો, ગાંધીજીની તસવીર કેમ પસંદ કરવામાં આવી અને આ ફોટો ક્યાંની છે- આવો જાણીએ

ભારતને 1947માં આઝાદી મળી, પરંતુ ભારતીય ચલણ પર બ્રિટિશ પ્રભાવ તરત જ સમાપ્ત થયો નહીં. 1947 થી 1949 સુધી, કિંગ જ્યોર્જ સિક્સની છબી નોટો પર છપાતી રહી. આ એવો સમયગાળો હતો જ્યારે નવુ ભારત તેની ઓળખ શોધી રહ્યું હતું અને કોલોનિયલ હેંગઓવર હજુ પણ ચાલુ હતું.

વર્ષ 1949માં ભારતીય ચલણમાં પહેલો મોટો ફેરફાર થયો હતો. એક રૂપિયાની નોટમાંથી રાજા જ્યોર્જ છઠ્ઠાની છબી દૂર કરવામાં આવી હતી અને તેના સ્થાને સારનાથના અશોક સ્તંભની સિંહની પ્રતિકૃતિને સામેલ કરવામાં આવી હતી. આ જ સમયગાળા દરમિયાન, ઈન્ડિયન કરન્સી પર મહાત્મા ગાંધીની છબી શામેલ કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો. ડિઝાઇન પણ તૈયાર હતી, પરંતુ આખરે સરકારે અશોક સ્તંભને અંતિમ સ્વરૂપ આપ્યું કારણ કે તે ભારતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક હતું.

મહાત્મા ગાંધીની છબી સૌપ્રથમ 1969માં ભારતીય ચલણ નોટો પર દેખાઈ હતી. આ વર્ષે ગાંધીજીની જન્મ શતાબ્દી હતી, અને આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે એક ખાસ સ્મારક શ્રેણી જારી કરવામાં આવી હતી. આ શ્રેણીમાં, સેવાગ્રામ આશ્રમની પૃષ્ઠભૂમિ સાથે ગાંધીજીની છબી દર્શાવવામાં આવી હતી. જોકે, તે નિયમિત ચલણનો ભાગ બન્યું નહીં અને મર્યાદિત સમયગાળા માટે જ જારી કરવામાં આવ્યું.

1978ની નોટબંધી પછી, ભારતીય ચલણી નોટોની ડિઝાઇનમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા. નવી નોટો પર ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો. આ સમયગાળા દરમિયાન જ કોણાર્ક ચક્ર, મોર અને અન્ય રાષ્ટ્રીય પ્રતીકો દેખાયા. ત્યારબાદ, 1987માં 500 રૂપિયાની પહેલી નોટ જારી કરવામાં આવી. આ નોટમાં ગાંધીજીનું ચિત્ર હતું, પરંતુ વોટરમાર્કમાં હજુ પણ અશોક સ્તંભને જ રખાયો હતો.

1990ના દાયકામાં, નકલી નોટોનો ભય ઝડપથી વધી રહ્યો હતો. જૂના સિક્યોરિટી ફિચર નબળા સાબિત થઈ રહ્યા હતા. પરિણામે, 1996માં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ‘મહાત્મા ગાંધી શ્રેણી’ નામની નવી કરન્સી સિરીઝ શરૂ કરી. તેમાં બદલાયેલ વોટરમાર્ક, બાજુ પર ધાતુની પટ્ટી, ગુપ્ત છબીઓ અને દૃષ્ટિહીન લોકો માટે ઉંચી છાપ જેવી નવી સુરક્ષા સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ શ્રેણી પાછળથી ભારતીય ચલણની કાયમી ઓળખ બની ગઈ.

આ ફોટો ક્યારે અને ક્યાં લેવામાં આવ્યો હતો?

આજે ભારતીય ચલણી નોટો પર છપાયેલી ગાંધીજીની છબી કોઈ ચિત્ર કે સ્કેચ નથી. તે 1946માં લેવાયેલા વાસ્તવિક ફોટોગ્રાફનો કટ-આઉટ છે. આ ફોટામાં ગાંધીજી લોર્ડ ફ્રેડરિક વિલિયમ પથિક લોરેન્સ સાથે ઉભા હતી અને કોઈ વાતને લઈને હાસ્યની મુદ્રામાં હતા. રિઝર્વ બેંકે તેને નોટો પર છાપવા માટે સૌથી સંપૂર્ણ અને કુદરતી છબી ગણાવી. મહાત્મા ગાંધી સત્ય, અહિંસા અને એકતાનું પ્રતીક છે, તેથી તેમની છબીને ભારતીય ચલણનો મુખ્ય ચહેરો બનાવવામાં આવ્યો હતો.

Breaking News: માત્ર અડધા કલાકમાં ચાંદીમાં ₹65 હજાર રૂપિયાનો ઘટાડો

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">