T-20 Final: દિલ્હી સામે મેચમાં ઉતરતા પહેલા મુંબઇના કેપ્ટન રોહિત શર્માનું નિવેદન, જાણો શુ કહ્યું

T-20 લીગની 13 મી સિઝનમાં આજનો દિવસ ખુબ જ મહત્વનો છે. 19, સપ્ટેમ્બરે શરુ થયેલ ટુર્નામેન્ટનુ આજે સમાપન થનારુ છે.  13 મીસ સિઝનને જીતવા વાળી ટીમ કોણ હશે તેનો આજે ફેંસલ થનારો છે. મુંબઇ ઇન્ડિયન્સ ને અત્યાર સુધી સૌથી વધુ ચાર વાર ટી-20 લીગ ની ટ્રોફી જીતી લીધી છે. અને તેનો ઇરાદો પણ પાંચમી વાર […]

T-20 Final: દિલ્હી સામે મેચમાં ઉતરતા પહેલા મુંબઇના કેપ્ટન રોહિત શર્માનું નિવેદન, જાણો શુ કહ્યું
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 10, 2020 | 2:34 PM

T-20 લીગની 13 મી સિઝનમાં આજનો દિવસ ખુબ જ મહત્વનો છે. 19, સપ્ટેમ્બરે શરુ થયેલ ટુર્નામેન્ટનુ આજે સમાપન થનારુ છે.  13 મીસ સિઝનને જીતવા વાળી ટીમ કોણ હશે તેનો આજે ફેંસલ થનારો છે. મુંબઇ ઇન્ડિયન્સ ને અત્યાર સુધી સૌથી વધુ ચાર વાર ટી-20 લીગ ની ટ્રોફી જીતી લીધી છે. અને તેનો ઇરાદો પણ પાંચમી વાર ટ્રોફી જીતવાનો છે.

પાંચમી વખત ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર, મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આજે દિલ્હી કેપીટલ્સ સામે થનારી ફાઇનલ મેચ પહેલા કહ્યુ છે. તેમનુ કહેવુ છે કે, ફાઇનલમાં મનોવૈજ્ઞાનિક વધારાનો ઇન્કાર નથી કરતા પરંતુ પાછલા પરીણામો પર નિર્ભર નથી રહી શકતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મુંબઇ ઇન્ડિયન્સે હાલની ટી-20 લીગ સિઝનમાં ત્રણેય મેચમાં દિલ્હી કેપીટલ્સને હાર આપી છે. રોહિતે કહ્યુ હતુ કે અમારી પાસે મનોવૈજ્ઞાનિક બઢતી છે, પરંતુ ટી-20 લીગમાં દરેક દિવસ નવો હોય છે. દરેક દિવસે નવુ જ દબાણ હોય છે, અને દરેક મુકાબલો નવો હોય છે. આવામાં તમે વિચારી નથી શકતા કે પહેલા શુ થયુ હતુ. અમે એ પણ નથી વિચારી શકતા કે અમે દિલ્હી સામે પહેલા રમી ચુક્યા છીએ અને તેમને હરાવી પણ ચુક્યા છીએ. અમારે ફક્ત મેદાન પર યોગ્ય ચિજો કરવાની છે, આમ આશા પણ છે કે અમે પાંચમી વાર ખિતાબ પણ જીતી લઇશુ.

હૈદરાબાદને હરાવી ને ફાઇનલમાં પહોંચનાર દિલ્હી કેપીટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને આશા છે કે તેમની ટીમ મુંબઇ ઇન્ડિયન્સની સામે આક્રમક ક્રિકેટ રમી શકશે. અમે એક પરીવાર ની માફક છે. અમે ખુશ છીએ કે અમારા ખેલાડીઓએ વ્યક્તિગત પ્રદર્શન કર્યુ છે. અમે અમારા કોચ અને સહાયક સ્ટાફની મહેનતને પણ નજર અંદાજ નથી કરી શકતા. આ સિઝનની જ જો વાત કરવામાં આવે તો, ત્રણ વાર દિલ્હી અને મુંબઇ વચ્ચે મેચ રમાઇ ચુકી છે. દરેક વાર મુંબઇની ટીમે દિલ્હીને મ્હાત કરી દીધી છે. સિઝનના પહેલા મુકાબલામં પણ મુંબઇની ટીમને પાંચ વિકેટ થી જીત મળી હતી., જ્યારે બીજી મેચમાં નવ વિકેટે મોટી જીત હાંસલ કરી હતી. પ્રથમ ક્વોલીફાયર મેચમાં મુંબઇને દિલ્હી ને 57 રન થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">