AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રાન્સ અને બ્રિટન ‘માછલી’ પકડવાના અધિકાર માટે કેમ લડી રહ્યા છે? એકબીજા સામે પગલાં લેવાની આપી ચેતવણી

Tensions Between France and UK: 'ઇંગ્લિશ ચેનલ'માં માછીમારીના અધિકારને લઈને બ્રિટન અને ફ્રાન્સ વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે.

ફ્રાન્સ અને બ્રિટન 'માછલી' પકડવાના અધિકાર માટે કેમ લડી રહ્યા છે? એકબીજા સામે પગલાં લેવાની આપી ચેતવણી
Emmanuel Macron-Boris Johnson
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 9:45 PM
Share

Tensions Between France and UK: ‘ઇંગ્લિશ ચેનલ’માં (English Channel) માછીમારીના અધિકારને લઈને બ્રિટન અને ફ્રાન્સ વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફ્રાન્સે આગામી દિવસોમાં બ્રિટિશ બોટ અને ટ્રકોને રોકવાની ચેતવણી આપી છે, જ્યારે બ્રિટને આવા જ પગલાં લેવાની વાત કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને (Emmanuel Macron) કહ્યું છે કે માછીમારીના અધિકારો પર બ્રિટન સાથે ફ્રાન્સનો વિવાદ બ્રેક્ઝિટ (Brexit) પછીની દુનિયામાં બ્રિટનની વિશ્વસનીયતાની કસોટી છે.

બંને દેશોએ એકબીજા પર બ્રેક્ઝિટ પછીના વેપાર સોદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળવાનો અર્થ એ છે કે, બ્રિટનનું તેના પાણીમાં માછીમારીના વ્યવસાય પર સંપૂર્ણ નિયંત્રણ છે. ફ્રાન્સ દાવો કરે છે કે, તેની કેટલીક બોટને તેઓ અગાઉ મુલાકાત લીધેલા વિસ્તારોમાં માછલી પકડવાની મંજૂરી ન હતી (UK and France Tension). બ્રિટને કહ્યું છે કે, તેણે યુરોપિયન યુનિયનની નૌકાઓ માટેની 98 ટકા અરજીઓ સ્વીકારી લીધી છે અને ફ્રાન્સ માત્ર અમુક ડઝન નૌકાઓને લઈને વિવાદમાં છે.

ફ્રાન્સ કઈ દલીલો કરી રહ્યું છે?

બ્રિટનનું કહેવું છે કે, કાયદેસર કાગળ પર પગલાં ન લેવાના અભાવે આ આ કરવામાં આવ્યું છે. જો કે, ફ્રાન્સ દલીલ કરે છે કે તે સિદ્ધાંતની બાબત છે અને તે તેના હિતોનું રક્ષણ કરવા માંગે છે. ફ્રાન્સે ‘ઈંગ્લિશ ચેનલ’ ક્રોસ કરતી બ્રિટિશ બોટને રોકવાની ચેતવણી આપી છે અને કહ્યું છે કે, જો બોટ અને ટ્રકને લાઇસન્સ આપવામાં નહીં આવે તો મંગળવારથી તેની તપાસ કરવામાં આવશે (Fishing Rights Dispute France UK). બ્રિટિશ સરકારે પણ આવા જ પગલા લેવાની ચેતવણી આપી છે.

આ અઠવાડિયે વિવાદ ઉભો થયો જ્યારે ફ્રેન્ચ અધિકારીઓએ આરોપ લગાવ્યો કે, સ્કોટલેન્ડમાં નોંધાયેલ એક જહાજ માછીમારી કરી રહ્યું છે. જહાજના કેપ્ટનને લે હાવરે ખાતે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

ફ્રાન્સ કઈ વાત પર નારાઝ છે?

ફ્રાન્સ યુકેના જળસીમામાં માછલીની પરમિટ પરના પ્રતિબંધથી નારાજ છે અને કહે છે કે, તે યુરોપિયન યુનિયન (EU) છોડતી વખતે બ્રિટને જે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા તેનો વિરોધ કરે છે. બ્રિટનનું કહેવું છે કે, કેટલીક ફ્રેન્ચ યોટ્સને વધુ કાગળ પરની કાર્યવાહિની જરૂર છે. મેક્રોને આ અઠવાડિયે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથેની બેઠક પહેલાં અખબાર ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ સાથેની મુલાકાતમાં ફ્રાન્સની સ્થિતિનો બચાવ કર્યો હતો અને દલીલ કરી હતી કે, માછીમારીનો વિવાદ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. તે યુકેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.

મેક્રોને કહ્યું, ‘કોઈ ભૂલ ન કરો, આ માત્ર યુરોપિયનો માટે જ નહીં પરંતુ તેમના તમામ સહયોગીઓ માટે છે. કારણ કે, જ્યારે તમે સંધિની વાટાઘાટો કરવામાં વર્ષો પસાર કરો છો અને પછી થોડા મહિનાઓ પછી તમે તે પાસાઓ પર જે નક્કી કરવામાં આવ્યું હતું તેનાથી વિરુદ્ધ કરો છો, તે તમારી વિશ્વસનીયતાની મોટી નિશાની નથી.’

ફ્રાન્સના વડા પ્રધાન જીન કાસ્ટેક્સે યુરોપિયન યુનિયનને આ વિવાદમાં ફ્રાંસને સમર્થન આપવા વિનંતી કરતા કહ્યું છે કે, EU એ બતાવવું જોઈએ કે જૂથ છોડવું વધુ નુકસાનકારક છે. જીન-માર્ક પુસીસો, ઉત્તરી ફ્રાન્સમાં કેલાઈસ અને બૌલોન-સુર-મેરોના બંદરના પ્રમુખે આ વિવાદને વાહિયાત ગણાવ્યો અને બંને દેશોને તેનો ઉકેલ લાવવા વિનંતી કરી.

આ પણ વાંચો: IBPS RRB Result 2021: ઓફિસર સ્કેલ I અને ઓફિસ આસિસ્ટન્ટનું પ્રોવિઝનલ લિસ્ટ થયુ જાહેર, આ રીતે ચકાસો

આ પણ વાંચો: UPSC Prelims Result 2021: સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરિક્ષાના પરિણામો થયા જાહેર, સીધી લિંક દ્વારા કરો ચેક

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">