વેનેઝુએલાથી ટેન્કર ભરીભરીને ઓઈલ આવશે ભારત, અમેરિકા સાથેની ડીલ બાદ શરૂ થયો ધમધમાટ
જ્યારથી INDIA US ટ્રેડ ડીલ થઈ છે ત્યારથી ક્રુડ ઓઈલ માર્કેટમાં હલચલ મચી ગઈ છે. રૉયટર્સની રિપોર્ટ અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વેનેઝુએલા પાસેથી 20 લાખ બેરલ તેલ ખરીદ્યુ છે. તેનાથી વધુ ડિસ્કાઉન્ટ પર લીધુ છે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી કંપની દુનિયાની સૌથી મોટી રિફાઈનિંગ કોમ્પલેક્સ ચલાવે છે. આ રિફાઈનગરી વેનેઝુએલાવો હેવી ક્રુડ રિફાઈન કરવામાં સમર્થ છે.

વેનેઝુએલાથી ટૂંક સમયમાં ભારતમાં તેલના ટેન્કરો આવવાનું શરૂ થશે. ન્યૂઝ એજન્સી રોયટર્સે ટ્રે઼ડ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ટ્રેડર વિટોલ પાસેથી બે લાખ બેરલ વેનેઝુએલાનું તેલ ખરીદ્યું છે. લગભગ એક વર્ષમાં દક્ષિણ અમેરિકન દેશ પાસેથી આ કંપનીની પહેલી ખરીદી છે.
ટ્રેડિંગ હાઉસ વિટોલ અને ટ્રાફિગુરાને લાખો બેરલ વેનેઝુએલા તેલનું માર્કેટિંગ અને વેચાણ કરવા માટે યુએસ લાઇસન્સ આપવામાં આવ્યા હતા. ગયા મહિને, પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે યુએસ લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ, વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે સપ્લાય કરાર થયો હતો. આ કરાર વેનેઝુએલા તેલના માર્કેટિંગ અને વેચાણ માટે હતો.
કેટલા ડિસ્કાઉન્ટ પર કરી ખરીદી?
ટ્રેડ સૂત્રોના હવાલાથી રોયટર્સ અહેવાલ આપ્યો છે કે રિલાયન્સે એપ્રિલ ડિલિવરી માટે વેનેઝુએલાનું ક્રૂડ તેલ ICE બ્રેન્ટની તુલનામાં આશરે $6.5-7 પ્રતિ બેરલના ડિસ્કાઉન્ટ પર ખરીદ્યું હતું. રિલાયન્સ વિશ્વનું સૌથી મોટું રિફાઇનિંગ કોમ્પ્લેક્સ ચલાવે છે.
રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે તેની કમેન્ટ માગતા ઈમેલ પર રિલાયન્સે કોઈ જવાબ નથી આપ્યો. વિટોલે એક ઇમેઇલમાં કહ્યું કે તેની પાસે કોઈ કોમેન્ટ નથી.
સોદાનો સમય કેમ મહત્વપૂર્ણ?
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર થયો છે. આ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી, અમેરિકા ભારત પર ટેરિફ ઘટાડીને 18% કરવાનો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરશે. ભારતીય માલ હાલમાં 25% ના પ્રતિશોધાત્મક ટેરિફ અને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર વધારાના 25% ટેરિફનો સામનો કરી રહ્યો છે.
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર પર આગામી થોડા દિવસોમાં જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર થવાની અપેક્ષા છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે વેપાર કરારના પ્રથમ તબક્કા પર સંયુક્ત નિવેદન ચારથી પાંચ દિવસમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે.
