AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ PM બોરિસ જોન્સનના ભાઈએ છોડી અદાણી ગ્રુપની કંપની, કોંગ્રેસે કહ્યું- PM મોદી ક્યાં છે ?

અમેરિકા સ્થિત રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચે Adani ગ્રૂપની કંપનીઓ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યા બાદ ઇલારાનો એસેટ મેનેજમેન્ટ બિઝનેસ ચર્ચામાં આવ્યો હતો. સાથે જ આ રિપોર્ટના આધારે કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

પૂર્વ PM બોરિસ જોન્સનના ભાઈએ છોડી અદાણી ગ્રુપની કંપની, કોંગ્રેસે કહ્યું- PM મોદી ક્યાં છે ?
ગૌતમ અદાણી Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 9:22 AM
Share

બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનના નાના ભાઈ લોર્ડ જો જોન્સને અદાણી એન્ટરપ્રાઈઝ સાથે સંબંધિત યુકેની રોકાણ કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝે મંગળવારે જ તેની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO) પાછી ખેંચવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં યુકે કંપનીઝ હાઉસના આંકડાઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે લોર્ડ જોન્સન (51)ને ગયા વર્ષે જૂનમાં લંડન સ્થિત એલારા કેપિટલના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે બુધવારે રાજીનામું આપ્યું હતું. તે જ દિવસે અદાણી જૂથે એફપીઓ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ઈલારા પોતાને એક મૂડી બજાર કંપની તરીકે વર્ણવે છે જે ભારતીય કંપનીઓ માટે ભંડોળ એકત્ર કરવાનું કામ કરે છે. આ કંપની એફપીઓના બુકરનરમાં પણ સામેલ હતી. જ્હોન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને કંપનીની સારી સ્થિતિ વિશે ખાતરી આપવામાં આવી હતી અને આ ક્ષેત્રમાં તેમની જાણકારીના અભાવને કારણે ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું હતું.

વડાપ્રધાન સંસદમાંથી કેમ ભાગી રહ્યા છે?

અહેવાલો અનુસાર, યુએસ સ્થિત રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથની કંપનીઓ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યા બાદ ઇલારાનો એસેટ મેનેજમેન્ટ બિઝનેસ ચર્ચામાં આવ્યો હતો. સાથે જ આ રિપોર્ટના આધારે કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે કહ્યું કે બોરિસ જોન્સનના પુત્રના અદાણી સાથે સંબંધો છે. સુપ્રિયા શ્રીનાતે ટ્વિટ કર્યું કે પીએમ ક્યાં છે? સંસદમાંથી કેમ ભાગી રહ્યા છો?

એલારા કેપિટલ શું છે? અદાણી જૂથ સાથે કેવી રીતે જોડાયેલ છે?

ઇલારા કેપિટલની સ્થાપના રાજ ભટ્ટ દ્વારા 2002 માં મૂડી બજારોના વ્યવસાય તરીકે કરવામાં આવી હતી, જેમાં GDRs (ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સ), FCCBs (ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ) અને લંડન AIM દ્વારા ભારતીય કોર્પોરેટ માટે ભંડોળ ઊભું કરવામાં આવ્યું હતું. તેની પાસે ન્યૂયોર્ક, સિંગાપોર, મુંબઈ, અમદાવાદ અને લંડનમાં સંપૂર્ણ લાઇસન્સવાળી ઓફિસો છે. એલારા કેપિટલ FPOની 10 બુક રનર્સ પૈકીની એક છે, જે જૂથ દ્વારા બંધ કરવામાં આવી હતી.

શેરની કિંમતમાં ફેરફાર કરવાની યોજનાનો ભાગ

ઉપરાંત, હિંડનબર્ગના અહેવાલ મુજબ, લંડન સ્થિત ફર્મ દ્વારા સંચાલિત મોરેશિયસ આધારિત ફંડ્સ અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં છેડછાડ કરવાની યોજનાનો ભાગ હતા. મીડિયા અહેવાલો અનુસાર, મોરેશિયસ સ્થિત બે ઈલારા ફંડ્સ – ઈલારા ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને વેસ્પેરા – અદાણીની સાર્વજનિક રીતે ટ્રેડ થતી કંપનીઓમાં નોંધપાત્ર રોકાણકારો છે.

2022માં ગૌતમ અદાણીને મળ્યા હતા

એસએન્ડપી ગ્લોબલ ઇન્ટેલિજન્સનાં ડેટા અનુસાર, 2021ના ઉનાળામાં 5.1 ટકા હિસ્સા સાથે ઇલારા કેપિટલની એસેટ મેનેજમેન્ટ શાખા અદાણી એન્ટરપ્રાઇઝિસમાં ત્રીજી સૌથી મોટી શેરહોલ્ડર હતી. બોરિસ જ્હોન્સન એપ્રિલ 2022 માં ગૌતમ અદાણીને મળ્યા હતા જ્યારે તેઓ ભારતની બે દિવસની મુલાકાતે અમદાવાદમાં હતા.

(ઇનપુટ-ભાષાંતર)

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">