AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Economic Crisis: સરકારની નિષ્ફળ નીતિઓને કારણે સામાન્ય જનતામાં હાહાકાર, પેટ્રોલ 280 રૂપિયાથી પણ વધારે

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાનમાં વધતી મોંઘવારી વચ્ચે સરકારે પેટ્રોલના ભાવ ઘટાડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીઘો છે. જેના કારણે લોકો હેરાન થઈ ગયા છે.

Pakistan Economic Crisis: સરકારની નિષ્ફળ નીતિઓને કારણે સામાન્ય જનતામાં હાહાકાર, પેટ્રોલ 280 રૂપિયાથી પણ વધારે
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 7:24 PM
Share

પાકિસ્તાનમાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. સરકાર દ્વારા સાવચેતીના કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેમ તેમ કરીને પાકિસ્તાનના લોકોએ રમઝાન અને ઈદની ઉજવણી કરી હતી. તેમને આશા હતી કે પાકિસ્તાન સરકાર કેટલાક એવા નિર્ણય લેશે જેના કારણે તેમને રાહત મળશે. પરંતુ સરકારે લોકોની હાલત ખરાબ કરી રહી છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે, પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

આ પણ વાચો: Pakistan Rains: વરસાદને કારણે બલુચિસ્તાન-ક્વેટાની ખરાબ હાલત, વીજળી પડવાથી 4ના મોત, અનેક મકાનો ધરાશાયી

લોકોને આશા હતી કે સરકાર પેટ્રોલના ભાવ ઘટાડશે, પરંતુ ઘટાડવામાં આવ્યું નથી. નાણામંત્રી ઈશાક ડારે રવિવારે સ્પષ્ટ કર્યું કે પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પાકિસ્તાનમાં 15 એપ્રિલે પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે સરકારે પેટ્રોલના ભાવમાં રૂ 10નો વધારો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં પેટ્રોલ માટે 282 રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. 1થી 15 એપ્રિલની વચ્ચે પાકિસ્તાનમાં 20,000 લિટર પેટ્રોલનો વપરાશ થયો હતો.

આવશ્યક દવાઓના ભાવમાં પણ વધારો

ડોલર સામે ઘટી રહેલા પાકિસ્તાની રૂપિયાની કિંમત અને ડૂબી રહેલી અર્થવ્યવસ્થા વચ્ચે પાકિસ્તાન સરકાર પણ જરૂરી દવાઓના ભાવમાં પણ વધારો કરી રહી છે. મોંઘવારીની વચ્ચે સરકારે શુક્રવારે જ સામાન્ય દવાઓના છૂટક ભાવમાં 20 ટકાનો વધારો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ જરૂરી દવાઓના ભાવમાં પણ 14 ટકાનો વધારો થયો છે.

નિષ્ફળ નીતિઓને કારણે સામાન્ય જનતા ત્રસ્ત

પાકિસ્તાની મીડિયા અનુસાર, દવા બનાવનારી કંપનીઓ દ્વારા કિંમતો વધારવાની સતત માંગ કરવામાં આવી રહી હતી. પાકિસ્તાન સરકારે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે નિકાસકારો અને ઉત્પાદકોએ કહ્યું હતું કે, જો દવાની કિંમતો નહીં વધારવામાં આવે તો દવા બનાવનારી કંપની તેમનો ધંધો બંધ કરી દેશે. આ દર્શાવે છે કે નક્કર આર્થિક નીતિના અભાવે દવાઓ બનાવનારી કંપની ચિંતિત છે અને તેની અસર સીધી સામાન્ય જનતા પર પણ પડી રહી છે. પાકિસ્તાનની નિષ્ફળ નીતિઓને કારણે સામાન્ય જનતા ત્રસ્ત છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">