AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અહીં વાંદરાઓ પર થઈ રહી છે જબરદસ્તી, લોકો તેમને પકડીને બનાવી રહ્યા છે નપુંસક

થાઈલેન્ડમાં (Thailand) વાંદરાઓ સાથે અત્યાચારની તસવીરો સામે આવી છે, જેને જોઈને તમને આશ્ચર્ય થશે. અહીં શેરીઓમાંથી વાંદરાઓને પકડીને તેમને નપુંસક (Monkeys Sterilized) બનાવી દેવામાં આવે છે.

અહીં વાંદરાઓ પર થઈ રહી છે જબરદસ્તી, લોકો તેમને પકડીને બનાવી રહ્યા છે નપુંસક
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 3:16 PM
Share

વિશ્વમાં એવા ઘણા દેશો છે. જ્યાંનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસન પર નિર્ભર છે. થાઈલેન્ડનો (Thailand) પણ આવા જ એક દેશમાં સમાવેશ થાય છે. અહીંની અર્થવ્યવસ્થા દેશમાં આવતા પ્રવાસીઓ પર નિર્ભર છે, પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી હતી. આ પછી પ્રવાસીઓએ થાઈલેન્ડ આવવાનું બંધ કરી દીધું. ખાલી રસ્તાઓ પર કોઈ લોકો નહોતા. જો કોઈ હતા તો એ વાંદરાઓ (Monkey) હતા. કોરોનાના સમયગાળા દરમિયાન દેશમાં વાંદરાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ પછી જ્યારે લોકડાઉન (Lockdown) ખુલ્યું તો વાંદરાએ લોકોને ખૂબ પરેશાન કરવાનું શરૂ કર્યું. જેના કારણે હવે લોકો વાંદરાઓ સાથે અત્યાચાર પર ઉતરી આવ્યા છે.

થાઈલેન્ડની સરકારે અહીંના વાંદરાઓને નપુંસક કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લા એક વર્ષમાં લગભગ 600 વાંદરાઓને નપુંસક બનાવીને મુક્ત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં અહીં વાંદરાઓ પોતાની સંખ્યા વધારીને જ લોકોને પરેશાન કરે છે. આવી સ્થિતિમાં તેમની સંખ્યાને નિયંત્રિત કરવી સરકાર માટે એક પડકાર બની ગયું છે. ઘણા જિલ્લાઓમાં વાંદરાઓને પકડીને તેમને ઈન્જેક્શન આપીને નપુંસક બનાવવામાં આવી રહ્યા છે. જેથી ભવિષ્યમાં તેઓ વધુ સંતાનો પેદા કરી શકશે નહીં.

સંખ્યા વધીને હજારો થઈ ગઈ છે

વાંદરાઓના કારણે થાઈલેન્ડના ઘણા જિલ્લાઓ રેડ ઝોનમાં ફેરવાઈ ગયા છે. ઘણી જગ્યાએ ત્રણ હજાર જેટલા વાંદરાઓ રસ્તાઓ પર જોવા મળે છે. આવી સ્થિતિમાં તેઓ લોકો પર હુમલો કરીને ઘાયલ કરે છે. સૌથી ખતરનાક વાત એ છે કે આ વાંદરાઓને ડર પણ લાગતો નથી. તેઓ મનુષ્યોની નજીક આવે છે અને તેમના પર હુમલો કરે છે. કેટલીકવાર વાંદરા લોકોના હાથમાંથી ખોરાક અને ઘણી કિંમતી વસ્તુઓ છીનવી લે છે. વાંદરાના કરડવાથી મનુષ્ય સંક્રમિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તેમનું કરડવું પણ જીવલેણ છે.

ક્રોધિત વાંદરાઓ જોખમમાં

ધ થાઈગરના અહેવાલ મુજબ, થાઈલેન્ડમાં વાંદરાઓ એકદમ ગુસ્સે થઈ ગયા છે. જેના કારણે તેઓ એકબીજા સાથે પણ લડતા રહે છે. આ સ્થિતિ જોયા બાદ થાઈલેન્ડ સરકારે વાંદરાઓને નપુંસક બનાવવા માટે અહીં તેમને પકડવાનું શરૂ કર્યું છે. લોકો પણ આમાં સરકારને મદદ કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકારની આ પહેલને કારણે વાંદરાઓની સંખ્યામાં ઘટાડો થશે. જેનાથી દેશમાં આવતા પ્રવાસીઓને ભય ઓછો થશે.

આ પણ વાંચો: Viral: વાત કરવામાં એટલી મશગુલ થઈ યુવતી કે થયું કંઈક આવું, લોકોએ કહ્યું ‘સાવધાની હટી દુર્ઘટના ઘટી’

આ પણ વાંચો: Guidelines for international arrivals: આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જાહેર કરી નવી ગાઇડલાઈન, 14 ફેબ્રુઆરીથી લાગુ થશે, ફરજિયાત હોમ-ક્વોરેન્ટાઇન નિયમ દૂર કરવામાં આવ્યો

Follow Us
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
કમોસમી વરસાદથી ખેડૂત ચિંતિત, કેરી સહિત પાક પર સંકટ!
કમોસમી વરસાદથી ખેડૂત ચિંતિત, કેરી સહિત પાક પર સંકટ!
ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ
ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ
જામનગરમાં અચાનક વાતાવરણ પલટાયું, લાલપુરમાં કરા સાથે વરસાદ
જામનગરમાં અચાનક વાતાવરણ પલટાયું, લાલપુરમાં કરા સાથે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">