અહીં વાંદરાઓ પર થઈ રહી છે જબરદસ્તી, લોકો તેમને પકડીને બનાવી રહ્યા છે નપુંસક

થાઈલેન્ડમાં (Thailand) વાંદરાઓ સાથે અત્યાચારની તસવીરો સામે આવી છે, જેને જોઈને તમને આશ્ચર્ય થશે. અહીં શેરીઓમાંથી વાંદરાઓને પકડીને તેમને નપુંસક (Monkeys Sterilized) બનાવી દેવામાં આવે છે.

અહીં વાંદરાઓ પર થઈ રહી છે જબરદસ્તી, લોકો તેમને પકડીને બનાવી રહ્યા છે નપુંસક
Thailand government sterilizing monkeys to control population blast after covid (Image-new york post)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 3:16 PM

વિશ્વમાં એવા ઘણા દેશો છે. જ્યાંનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસન પર નિર્ભર છે. થાઈલેન્ડનો (Thailand) પણ આવા જ એક દેશમાં સમાવેશ થાય છે. અહીંની અર્થવ્યવસ્થા દેશમાં આવતા પ્રવાસીઓ પર નિર્ભર છે, પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી હતી. આ પછી પ્રવાસીઓએ થાઈલેન્ડ આવવાનું બંધ કરી દીધું. ખાલી રસ્તાઓ પર કોઈ લોકો નહોતા. જો કોઈ હતા તો એ વાંદરાઓ (Monkey) હતા. કોરોનાના સમયગાળા દરમિયાન દેશમાં વાંદરાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ પછી જ્યારે લોકડાઉન (Lockdown) ખુલ્યું તો વાંદરાએ લોકોને ખૂબ પરેશાન કરવાનું શરૂ કર્યું. જેના કારણે હવે લોકો વાંદરાઓ સાથે અત્યાચાર પર ઉતરી આવ્યા છે.

થાઈલેન્ડની સરકારે અહીંના વાંદરાઓને નપુંસક કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લા એક વર્ષમાં લગભગ 600 વાંદરાઓને નપુંસક બનાવીને મુક્ત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં અહીં વાંદરાઓ પોતાની સંખ્યા વધારીને જ લોકોને પરેશાન કરે છે. આવી સ્થિતિમાં તેમની સંખ્યાને નિયંત્રિત કરવી સરકાર માટે એક પડકાર બની ગયું છે. ઘણા જિલ્લાઓમાં વાંદરાઓને પકડીને તેમને ઈન્જેક્શન આપીને નપુંસક બનાવવામાં આવી રહ્યા છે. જેથી ભવિષ્યમાં તેઓ વધુ સંતાનો પેદા કરી શકશે નહીં.

સંખ્યા વધીને હજારો થઈ ગઈ છે

વાંદરાઓના કારણે થાઈલેન્ડના ઘણા જિલ્લાઓ રેડ ઝોનમાં ફેરવાઈ ગયા છે. ઘણી જગ્યાએ ત્રણ હજાર જેટલા વાંદરાઓ રસ્તાઓ પર જોવા મળે છે. આવી સ્થિતિમાં તેઓ લોકો પર હુમલો કરીને ઘાયલ કરે છે. સૌથી ખતરનાક વાત એ છે કે આ વાંદરાઓને ડર પણ લાગતો નથી. તેઓ મનુષ્યોની નજીક આવે છે અને તેમના પર હુમલો કરે છે. કેટલીકવાર વાંદરા લોકોના હાથમાંથી ખોરાક અને ઘણી કિંમતી વસ્તુઓ છીનવી લે છે. વાંદરાના કરડવાથી મનુષ્ય સંક્રમિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તેમનું કરડવું પણ જીવલેણ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ક્રોધિત વાંદરાઓ જોખમમાં

ધ થાઈગરના અહેવાલ મુજબ, થાઈલેન્ડમાં વાંદરાઓ એકદમ ગુસ્સે થઈ ગયા છે. જેના કારણે તેઓ એકબીજા સાથે પણ લડતા રહે છે. આ સ્થિતિ જોયા બાદ થાઈલેન્ડ સરકારે વાંદરાઓને નપુંસક બનાવવા માટે અહીં તેમને પકડવાનું શરૂ કર્યું છે. લોકો પણ આમાં સરકારને મદદ કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકારની આ પહેલને કારણે વાંદરાઓની સંખ્યામાં ઘટાડો થશે. જેનાથી દેશમાં આવતા પ્રવાસીઓને ભય ઓછો થશે.

આ પણ વાંચો: Viral: વાત કરવામાં એટલી મશગુલ થઈ યુવતી કે થયું કંઈક આવું, લોકોએ કહ્યું ‘સાવધાની હટી દુર્ઘટના ઘટી’

આ પણ વાંચો: Guidelines for international arrivals: આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જાહેર કરી નવી ગાઇડલાઈન, 14 ફેબ્રુઆરીથી લાગુ થશે, ફરજિયાત હોમ-ક્વોરેન્ટાઇન નિયમ દૂર કરવામાં આવ્યો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">