AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri lanka Crisis: જનતાના ભારે ગુસ્સા અને વિરોધ વચ્ચે આજે રાત્રે રાષ્ટ્રને સંબોધશે PM મહિન્દા રાજપક્ષે

શ્રીલંકામાં કટોકટીની સ્થિતિ (Sri lanka Crisis) વચ્ચે, લોકો રાજપક્ષે પરિવારની સત્તામાંથી વિદાય ઇચ્છે છે, ત્યાં દરરોજ પ્રદર્શન થઈ રહ્યા છે. વિકટ પરિસ્થિતિ વચ્ચે શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે આજે રાત્રે રાષ્ટ્રને સંબોધન કરવાના છે.

Sri lanka Crisis: જનતાના ભારે ગુસ્સા અને વિરોધ વચ્ચે આજે રાત્રે રાષ્ટ્રને સંબોધશે PM મહિન્દા રાજપક્ષે
Mahinda Rajapaksa
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 3:48 PM
Share

શ્રીલંકામાં આર્થિક સંકટની (Sri lanka Crisis) સ્થિતિ વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાવા-પીવાની જરૂરી વસ્તુઓ માટે પણ લોકોને ભારે સંઘર્ષ કરવો પડે છે. કટોકટીની સ્થિતિ વચ્ચે, ત્યાંના લોકો શ્રીલંકા (Sri lanka) ની સત્તામાંથી રાજપક્ષે પરિવારની વિદાય ઇચ્છે છે, ત્યાં દરરોજ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિકટ પરિસ્થિતિ વચ્ચે ત્યાંનો રાજકીય સંઘર્ષ પણ વધી ગયો છે, આ દરમિયાન શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે (Mahinda rajapaksa) આજે રાત્રે રાષ્ટ્રને સંબોધન કરવાના છે.

આર્થિક સંકટના કારણે સર્જાયેલી રાજકીય કટોકટી વચ્ચે ત્યાંની સ્થિતિ સુધારવાના પ્રયાસો ચાલુ છે. સ્થાનિક મીડિયાનો દાવો છે કે શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે આજે રાત્રે રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમનું સંબોધન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે શ્રીલંકામાં આર્થિક સંકટનો સામનો કરવા માટે સર્વપક્ષીય વચગાળાની સરકાર બનાવવાના તમામ પ્રયાસો અત્યાર સુધી સફળ થયા નથી. આ સંદર્ભે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને તેમના શાસક શ્રીલંકા પોડુજાના પેરામુના (SLPP) ગઠબંધનના સ્વતંત્ર સાંસદો સાથે થયેલી વાતચીત અનિર્ણિત રહી.

11 પક્ષોના ગઠબંધન સાથે ચર્ચા

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશની કથળતી આર્થિક સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે 11 પક્ષોના ગઠબંધનને બોલાવ્યા હતા, જેમાંથી 42 સ્વતંત્ર સાંસદો છે. સ્વતંત્ર જૂથના સભ્ય વાસુદેવ નાનાયકારાએ સોમવારે જણાવ્યું હતું કે, “અમે અમારા પત્ર પર ચર્ચા કરી હતી, જેમાં અમારી દરખાસ્ત અંગે 11 મુદ્દા હતા, વાતચીત ચાલુ રહેશે.” તેમણે અને અન્ય 41 લોકોએ ગયા અઠવાડિયે શાસક ગઠબંધનમાંથી વિદાય લેવાની જાહેરાત કરી હતી. પરંતુ વિપક્ષમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો.

સ્વતંત્ર જૂથના અન્ય સભ્ય અનુરા યાપાએ ગોટાબાયા રાજપક્ષે સાથેની બેઠક પહેલા જણાવ્યું હતું કે તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાની હાજરીમાં મુખ્ય વિપક્ષી નેતા સાજિથ પ્રેમદાસાને મળ્યા હતા. અનુરા યાપાએ કહ્યું, ‘બંને પક્ષોએ વાતચીત કરી પરંતુ કોઈ ફાયદો થયો નહીં.’

બાકીના મંત્રીઓની નિમણૂકમાં વધુ વિલંબ થશે

સરકારી સૂત્રોનું કહેવું છે કે કેબિનેટના બાકીના 26 સભ્યોની નિમણૂકમાં વધુ વિલંબ થશે. ગયા અઠવાડિયે સમગ્ર કેબિનેટે રાજીનામું આપ્યા બાદ રાજપક્ષેએ માત્ર ચાર મંત્રીઓની નિમણૂક કરી છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા સરકાર વિરોધી વિરોધ સોમવારે પણ ચાલુ રહ્યો. એક પ્રદર્શનકારીએ કહ્યું, ‘આ નવી પેઢી છે, જે અહીં વિરોધ કરી રહી છે, અમે આઝાદી પછીના છેલ્લા 74 વર્ષમાં થયેલી તમામ રાજકીય ભૂલોની જવાબદારી ઈચ્છીએ છીએ.’ એવું માનવામાં આવે છે કે 13 અને 14 એપ્રિલે રાષ્ટ્રીય નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો રાજધાની કોલંબોની બહાર ભેગા થશે.

ઘણી જગ્યાએ લોકો રાજપક્ષેના સમર્થનમાં પણ આવ્યા હતા

રાજપક્ષેના સમર્થનમાં દેશના કેટલાક ભાગોમાં લોકો પણ એકઠા થયા હતા. તેમણે રાજપક્ષે પરિવારને સત્તામાં રહેવાની અપીલ કરી હતી. એક સમર્થકે પ્લેકાર્ડ પર લખ્યું, ‘વૈશ્વિક રોગચાળાથી અમારા જીવનને બચાવવા માટે રસી આપવા બદલ અમે રાષ્ટ્રપતિના આભારી છીએ.’

શ્રીલંકામાં મોટી સંખ્યામાં લોકો લાંબા સમય સુધી વીજ કાપ તથા ગેસ, ખોરાક અને અન્ય મૂળભૂત પુરવઠાની અછતને લઈને અઠવાડિયાથી વિરોધ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ અને તેમના મોટા ભાઈ, વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે, તેમનો રાજકીય રીતે શક્તિશાળી પરિવાર જાહેર આક્રોશનું કેન્દ્ર બનવા છતાં સત્તા પર છે.

રાષ્ટ્રપતિએ સરકારના પગલાંનો બચાવ કરતા કહ્યું કે તેમની સરકાર વિદેશી હૂંડિયામણની કટોકટી માટે જવાબદાર નથી અને આર્થિક મંદીનું મુખ્ય કારણ વૈશ્વિક રોગચાળો છે, જેના કારણે મુખ્યત્વે પ્રવાસન દ્વારા દેશમાં આવતા વિદેશી હૂંડિયામણને અસર થઈ છે.

આ પણ વાંચો: જો ભારત વિશ્વભરમાં ઓર્ગેનિક ફૂડની માગ પૂરી કરશે તો અર્થવ્યવસ્થાનું થઈ જશે કાયાકલ્પ: ગૃહ પ્રધાન અમિત શાહ

આ પણ વાંચો: PM મોદીએ કહ્યું, ખેડૂત ભાઈ-બહેનો પર દેશને ગર્વ, તેઓ સશક્ત થશે તો નવું ભારત સમૃદ્ધ થશે

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">