PM મોદીએ કહ્યું, ખેડૂત ભાઈ-બહેનો પર દેશને ગર્વ, તેઓ સશક્ત થશે તો નવું ભારત સમૃદ્ધ થશે

ડેટા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) હેઠળ 11.3 કરોડ ખેડૂતોના ખાતામાં 1.82 લાખ કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

PM મોદીએ કહ્યું, ખેડૂત ભાઈ-બહેનો પર દેશને ગર્વ, તેઓ સશક્ત થશે તો નવું ભારત સમૃદ્ધ થશે
PM Narendra Modi (PTI File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 7:55 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ રવિવારે સવારે કરેલા ટ્વીટમાં કહ્યું, કે ‘દેશનો ખેડૂત જેટલો મજબૂત હશે તેટલું જ નવું ભારત વધુ સમૃદ્ધ થશે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)અને કૃષિ સંબંધિત અન્ય યોજનાઓ દેશના કરોડો ખેડૂતોને નવી તાકાત આપી રહી છે. વડાપ્રધાને આ વાતો એવા સમયે કહી છે જ્યારે દેશનો ખેડૂત ખેતરોમાં પરસેવો પાડી રહ્યો છે અને રવિ પાકની લણણી (Rabi Crops Harvesting)માં વ્યસ્ત છે. આ ટ્વિટ સાથે તેમણે કેટલાક આંકડા પણ શેર કર્યા.

ડેટા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 11.3 કરોડ ખેડૂતોના ખાતામાં 1.82 લાખ કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તમામ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે કૃષિ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 1 લાખ કરોડ રૂપિયાની લોનની સુવિધા આપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સરકારી યોજનાઓમાંથી ખેડૂતોને મળી રહી છે મદદ

એવું પણ કહેવામાં આવ્યું છે કે 11 હજાર 632 પ્રોજેક્ટ માટે 8585 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. આ ફંડ કોવિડ મહામારી દરમિયાન આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ બહાર પાડવામાં આવ્યું હતું. ઈ-નામ (નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ) વિશે વાત કરતી વખતે એવું કહેવામાં આવ્યું છે કે દેશભરની મંડીઓનું ડિજિટલ એકીકરણ કરવામાં આવી રહ્યું છે. 1.73 કરોડ ખેડૂતો e-NAM પર નોંધાયેલા છે અને આ પ્લેટફોર્મ હેઠળ રૂ. 1.87 લાખ કરોડનો બિઝનેસ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારતના ખેડૂતો માટે મોટો આધાર બની છે. દરેક વખતે, દરેક હપ્તે, દર વર્ષે, કોઈપણ વચેટિયા વગર, કોઈપણ કમિશન વિના હજારો કરોડનું ટ્રાન્સફર. અગાઉ કોઈએ કલ્પના પણ કરી ન હતી કે ભારતમાં પણ આવું થઈ શકે છે. નાના ખેડૂતો આ રકમમાંથી સારા ખાતર અને સાધનોનો ઉપયોગ કરીને સારી ગુણવત્તાના બિયારણની ખરીદી કરી રહ્યા છે.

PM Kisanના 11મા હપ્તાની રાહ

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ખેડૂતોને પીએમ કિસાનના 10 હપ્તા મળ્યા છે. યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 11મો હપ્તો જાહેર કરવાની કૃષિ મંત્રાલયની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને આગામી દિવસોમાં ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ શકે છે. ગયા વર્ષે 15 મેના રોજ હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મે મહિનામાં કોઈ દિવસ, વડા પ્રધાન 11મો હપ્તો જાહેર કરશે.

આ પણ વાંચો: Cucumber Farming: ઉનાળામાં ખીરા કાકડીની ખેતીથી મળી શકે છે સારી કમાણી, જાણો સંપૂર્ણ પ્રોસેસ

આ પણ વાંચો: Pakistan’s Next PM: ‘માઈક તોડુ’ છે શાહબાઝ શરીફ, વીડિયોમાં જુઓ કેવી રીતે સંબોધન બાદ ઉખાડી લે છે Mic

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">