AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી બેઠકમાં યુએન સેક્રેટરી જનરલે કહ્યું, રશિયા-યુક્રેન વચ્ચેનુ યુદ્ધ કોઈપણ ભોગે બંધ થવું જોઈએ

UNGAની તાકીદની બેઠકમાં યુક્રેનના પ્રતિનિધિએ જણાવ્યું કે અત્યાર સુધીમાં યુક્રેનના 16 બાળકો સહિત 352 લોકો માર્યા ગયા છે. આ સંખ્યા સતત વધી રહી છે, ગોળીબાર ચાલુ છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી બેઠકમાં યુએન સેક્રેટરી જનરલે કહ્યું, રશિયા-યુક્રેન વચ્ચેનુ યુદ્ધ કોઈપણ ભોગે બંધ થવું જોઈએ
UN Secretary-General António Guterres
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 10:05 PM
Share

Russia-Ukraine War: યુક્રેન (Ukraine) પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (United Nations General Assembly) વિશેષ સત્રની શરૂઆત એક મિનિટના મૌન સાથે થઈ હતી. યુક્રેન-રશિયા કટોકટી પર, યુએનજીએ તેના 11મા તાકીદની યોજાયેલી બેઠકમાં કહ્યું કે અમે તમામ પક્ષો દ્વારા તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરીએ છીએ. શાંતિ રાખો અને વાતચીત શરૂ કરો. એમ પણ કહ્યું કે કૂટનીતિ અને સંવાદ જાળવવો જોઈએ. આ દરમિયાન યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે (António Guterres) કહ્યું કે માનવતાવાદી સહાય મહત્વપૂર્ણ છે, તે કોઈ ઉકેલ નથી. એકમાત્ર ઉકેલ શાંતિ દ્વારા છે. મેં યુક્રેનના રાષ્ટ્રપતિને ખાતરી આપી છે કે સંયુક્ત રાષ્ટ્ર તેમની મદદ કરવાનું ચાલુ રાખશે. યુક્રેનમાં યુદ્ધ કોઈપણ કિંમતે બંધ થવું જોઈએ.

ગુટેરેસે વધુમાં કહ્યું કે વધતી હિંસાના પરિણામે નાગરિકો મરી રહ્યા છે. હવે બહુ થયુ, સૈનિકોને બેરેકમાં પાછા જવાની જરૂર છે. નાગરિકોનું રક્ષણ કરવું જોઈએ. રશિયન પરમાણુ દળોને હાઈ એલર્ટ પર મૂકવું એ ‘ચિંતાજનક ઘટનાક્રમ’ છે. અણુ સંઘર્ષનો માત્ર વિચાર અકલ્પનીય છે. તેમણે એમ પણ કહ્યું કે અમે ગંભીર પ્રાદેશિક કટોકટીનો સામનો કરી રહ્યા છીએ જેની સંભવિત વિનાશક અસરો આપણા બધા પર પડશે.

આ હુમલો રોકો – યુક્રેન પ્રતિનિધિ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની તાકીદની બેઠકમાં, યુક્રેનિયન પ્રતિનિધિએ કહ્યું કે અત્યાર સુધીમાં યુક્રેનના 16 બાળકો સહિત 352 લોકો માર્યા ગયા છે. આ સંખ્યા સતત વધી રહી છે, ગોળીબાર ચાલુ છે. યુક્રેન સામેના આ હુમલાને રોકવામાં આવે. અમે રશિયાને બિનશરતી તેના દળોને પાછા ખેંચવા અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું સંપૂર્ણ પાલન કરવાની માંગ કરીએ છીએ.

રશિયન પ્રતિનિધિએ કહ્યું કે નાટોમાં જોડાવા માટે યુક્રેન અને જ્યોર્જિયા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમની (અમેરિકાની) નીતિ રશિયા વિરોધી યુક્રેન બનાવવાની છે અને યુક્રેન નાટોમાં જોડાય તેવી યોજના હતી. યુક્રેનનું નાટોમાં જોડાવું એ ભયજનક છે, જે અમને બદલો લેવા માટે દબાણ કરે છે અને અમને આ સંઘર્ષની ઘડી પર મૂકી દીધા છે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: લશ્કરી અનુભવ ધરાવતા કેદીઓને યુદ્ધ માટે મુક્ત કરવામાં આવશે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કરી જાહેરાત

આ પણ વાંચોઃ

Russia Ukraine War: યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને મોટું નુકસાન, અત્યાર સુધીમાં 29 એરક્રાફ્ટ અને 191 ટેન્ક નષ્ટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">