AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી બેઠકમાં યુએન સેક્રેટરી જનરલે કહ્યું, રશિયા-યુક્રેન વચ્ચેનુ યુદ્ધ કોઈપણ ભોગે બંધ થવું જોઈએ

UNGAની તાકીદની બેઠકમાં યુક્રેનના પ્રતિનિધિએ જણાવ્યું કે અત્યાર સુધીમાં યુક્રેનના 16 બાળકો સહિત 352 લોકો માર્યા ગયા છે. આ સંખ્યા સતત વધી રહી છે, ગોળીબાર ચાલુ છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી બેઠકમાં યુએન સેક્રેટરી જનરલે કહ્યું, રશિયા-યુક્રેન વચ્ચેનુ યુદ્ધ કોઈપણ ભોગે બંધ થવું જોઈએ
UN Secretary-General António Guterres
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 10:05 PM
Share

Russia-Ukraine War: યુક્રેન (Ukraine) પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (United Nations General Assembly) વિશેષ સત્રની શરૂઆત એક મિનિટના મૌન સાથે થઈ હતી. યુક્રેન-રશિયા કટોકટી પર, યુએનજીએ તેના 11મા તાકીદની યોજાયેલી બેઠકમાં કહ્યું કે અમે તમામ પક્ષો દ્વારા તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરીએ છીએ. શાંતિ રાખો અને વાતચીત શરૂ કરો. એમ પણ કહ્યું કે કૂટનીતિ અને સંવાદ જાળવવો જોઈએ. આ દરમિયાન યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે (António Guterres) કહ્યું કે માનવતાવાદી સહાય મહત્વપૂર્ણ છે, તે કોઈ ઉકેલ નથી. એકમાત્ર ઉકેલ શાંતિ દ્વારા છે. મેં યુક્રેનના રાષ્ટ્રપતિને ખાતરી આપી છે કે સંયુક્ત રાષ્ટ્ર તેમની મદદ કરવાનું ચાલુ રાખશે. યુક્રેનમાં યુદ્ધ કોઈપણ કિંમતે બંધ થવું જોઈએ.

ગુટેરેસે વધુમાં કહ્યું કે વધતી હિંસાના પરિણામે નાગરિકો મરી રહ્યા છે. હવે બહુ થયુ, સૈનિકોને બેરેકમાં પાછા જવાની જરૂર છે. નાગરિકોનું રક્ષણ કરવું જોઈએ. રશિયન પરમાણુ દળોને હાઈ એલર્ટ પર મૂકવું એ ‘ચિંતાજનક ઘટનાક્રમ’ છે. અણુ સંઘર્ષનો માત્ર વિચાર અકલ્પનીય છે. તેમણે એમ પણ કહ્યું કે અમે ગંભીર પ્રાદેશિક કટોકટીનો સામનો કરી રહ્યા છીએ જેની સંભવિત વિનાશક અસરો આપણા બધા પર પડશે.

આ હુમલો રોકો – યુક્રેન પ્રતિનિધિ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની તાકીદની બેઠકમાં, યુક્રેનિયન પ્રતિનિધિએ કહ્યું કે અત્યાર સુધીમાં યુક્રેનના 16 બાળકો સહિત 352 લોકો માર્યા ગયા છે. આ સંખ્યા સતત વધી રહી છે, ગોળીબાર ચાલુ છે. યુક્રેન સામેના આ હુમલાને રોકવામાં આવે. અમે રશિયાને બિનશરતી તેના દળોને પાછા ખેંચવા અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું સંપૂર્ણ પાલન કરવાની માંગ કરીએ છીએ.

રશિયન પ્રતિનિધિએ કહ્યું કે નાટોમાં જોડાવા માટે યુક્રેન અને જ્યોર્જિયા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમની (અમેરિકાની) નીતિ રશિયા વિરોધી યુક્રેન બનાવવાની છે અને યુક્રેન નાટોમાં જોડાય તેવી યોજના હતી. યુક્રેનનું નાટોમાં જોડાવું એ ભયજનક છે, જે અમને બદલો લેવા માટે દબાણ કરે છે અને અમને આ સંઘર્ષની ઘડી પર મૂકી દીધા છે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: લશ્કરી અનુભવ ધરાવતા કેદીઓને યુદ્ધ માટે મુક્ત કરવામાં આવશે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કરી જાહેરાત

આ પણ વાંચોઃ

Russia Ukraine War: યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને મોટું નુકસાન, અત્યાર સુધીમાં 29 એરક્રાફ્ટ અને 191 ટેન્ક નષ્ટ

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">