Quad Summit 2021: આજે અમેરિકા માટે રવાના થશે PM Narendra Modi, 24 સપ્ટેમ્બરે કરશે બાઈડન સાથે મુલાકાત, જાણો સમગ્ર શેડ્યુલ

Quad Summit 2021: જો બિડેને (Joe Biden) અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ પીએમ મોદી (PM Modi) ની આ પ્રથમ અમેરિકા મુલાકાત હશે

Quad Summit 2021: આજે અમેરિકા માટે રવાના થશે PM Narendra Modi, 24 સપ્ટેમ્બરે કરશે બાઈડન સાથે મુલાકાત, જાણો સમગ્ર શેડ્યુલ
જો બિડેને (Joe Biden) અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ અમેરિકા મુલાકાત હશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 7:44 AM

Quad Summit 2021: ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે અમેરિકા (America) જવા રવાના થશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાની માહિતી અનુસાર, વડાપ્રધાન બુધવારે સવારે અમેરિકા જવા રવાના થશે અને 26 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે.

તેમની સાથે વિદેશ મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ પ્રવાસ કરશે. વિદેશ સચિવે જણાવ્યું કે પીએમ મોદીની મુલાકાતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, ક્વાડ લીડર્સ મીટ અને યુએનજીએ સાથેની પ્રથમ વ્યક્તિગત બેઠકમાં ભાગ લેવાનો કાર્યક્રમ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અમેરિકા જવા રવાના થશે. આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 (United Nations General Assembly) માં સત્રમાં હાજરી આપશે તેમજ અન્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ મહત્વની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી ઉપરાંત 100 દેશોના વડાઓ પણ અમેરિકા આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વડાપ્રધાનના કાર્યક્રમ મુજબ, તેઓ 22 સપ્ટેમ્બરની રાત્રે વોશિંગ્ટન ડીસી પહોંચશે અને બીજા દિવસે સવારે અમેરિકાના ટોચના સીઈઓને મળશે. અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેક ટુ બેક બેઠક બાદ પીએમ મોદી 23 સપ્ટેમ્બરે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળશે.

વ્હાઇટ હાઉસમાં QUAD નેતાઓની બેઠક પ્રધાનમંત્રી એ જ દિવસે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને તેમના જાપાની સમકક્ષ યોશીહિડે સુગાને પણ મળશે. આ બેઠક દરમિયાન, પીએમ મોદી ખુલ્લા, મુક્ત, સમૃદ્ધ અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના વહેંચાયેલા ઉદ્દેશને આગળ ધપાવશે કારણ કે ભારત વિવિધ પહેલ દ્વારા તેની ભાગીદારી વધારવાનું ચાલુ રાખે છે.

વિદેશ મંત્રાલયની માહિતી અનુસાર, પ્રધાનમંત્રી 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં ક્વાડ ગ્રુપના નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે. આ બેઠક બાદ જ વ્હાઈટ હાઉસમાં QUAD નેતાઓની બેઠક થશે, જેમાં અફઘાનિસ્તાન, ઈન્ડો-પેસિફિક, કોવિડ -19 રોગચાળો અને આબોહવા સંકટ જેવી સંવેદનશીલ બાબતો પર ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રી 24 સપ્ટેમ્બરની સાંજે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક જશે જ્યાં તેઓ 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધશે.

આ મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય છે આ મુલાકાત દરમિયાન ભારત-યુએસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ઉપરાંત, અફઘાનિસ્તાનના તાલિબાન અંકુશિત ઇસ્લામિક અમીરાત, ઇન્ડો-પેસિફિકની સુરક્ષા અને રાજદ્વારી પ્રભાવ પર રાજદ્વારી એજન્ડામાં ચર્ચા થવાની શક્યતા છે.

જો બિડેને (Joe Biden) અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ અમેરિકા મુલાકાત હશે. વડાપ્રધાન મોદી છેલ્લી વખત સપ્ટેમ્બર 2019 માં અમેરિકા ગયા હતા. તે દરમિયાન તેમણે અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યુસ્ટનમાં હાઉડી-મોદી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

આ પણ વાંચો: Narendra Giri Last Rites: આજે 12 વાગ્યે નરેન્દ્ર ગિરીનું પોસ્ટમોર્ટમ કરાશે, બાગંબરી મઠના બગીચામાં અપાશે સમાધી

આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં કહી આ વાત, લોકોએ તેમને વધાવી લીધા

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">