AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનનું મોટું એલાન, iPhoneના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ ! જાણો કારણ

રશિયામાં, પુતિનની સરકારે આગામી વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેનારા અધિકારીઓને માર્ચના અંત સુધીમાં iPhonesનો ઉપયોગ બંધ કરવાની સૂચના આપી છે.

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનનું મોટું એલાન, iPhoneના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ ! જાણો કારણ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 3:39 PM
Share

યુક્રેન સામેના યુદ્ધની વચ્ચે રશિયાની પુતિન સરકારે તેના કેટલાક કર્મચારીઓને માર્ચના અંત સુધીમાં Apple iPhonesનો ઉપયોગ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. પુતિન સરકારે આઈફોનનો ઉપયોગ બંધ કરવા પાછળ જાસૂસીની શક્યતા વ્યક્ત કરી છે.

રશિયન અખબાર કોમર્સન્ટે સોમવારે અહેવાલ આપ્યો હતો કે, 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીમાં સામેલ તમામ રશિયન અધિકારીઓને માર્ચના અંત સુધીમાં iPhonesનો ઉપયોગ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આઇફોન દ્વારા પશ્ચિમી દેશોને માહિતી શેર થઈ શકે છે.

આ પણ વાચો: વૈશ્વિક નેતા બનવાની લાગી હોડ! બાયડેનની યુક્રેન મુલાકાત બાદ જિનપિંગ રશિયા પહોંચ્યા, સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રશિયામાં રાષ્ટ્રપતિ વહીવટના પ્રથમ નાયબ વડા સર્ગેઈ સુરોવિકિને આ મહિનાની શરૂઆતમાં મોસ્કોમાં એક સેમિનાર દરમિયાન ચૂંટણી અધિકારીઓને iPhonesનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે, આવા અધિકારીઓએ 1 એપ્રિલ સુધીમાં પોતાનો આઈફોન બદલી નાખે.

અધિકારીઓ મળી શકે છે અલગ ફોન

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સામેલ અધિકારીઓને સરકાર દ્વારા અલગ-અલગ ઓપરેટિંગ સિસ્ટમના ફોન પણ આપવામાં આવશે. જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે અધિકારીઓ એન્ડ્રોઇડ અથવા ચાઇનીઝ ફોનનો ઉપયોગ કરી શકે છે અને તેના પર કોઈ પ્રતિબંધ નથી.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એપલે યુક્રેનના આક્રમણ બાદ રશિયામાં સત્તાવાર રીતે iPhones વેચવાનું બંધ કરી દીધું હતું. આ પછી, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયન નાગરિકોને આયાત કાર્યક્રમ દ્વારા iPhone 14 મળી રહ્યો છે. જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

જાસૂસી અંગે ગુપ્તચર એજન્સીઓ એલર્ટ

રશિયા શરૂઆતથી જ પોતાના દેશની સુરક્ષા અને ગોપનીય માહિતીને લઈને ખૂબ જ સજાગ છે. ખાસ કરીને ઈન્ટેલિજન્સ એજન્સીઓ ફોન અને તેમાં ઈન્સ્ટોલ કરાયેલી એપ્લીકેશનને લઈને ઘણી સતર્ક રહે છે. હાલમાં યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે અધિકારીઓને વધુ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

જિનપિંગ રશિયાની મુલાકાતે

ચીનના રાષ્ટ્રપતિની મોસ્કોની આ મુલાકાતને ‘વિઝિટ ફોર પીસ’ ગણાવી છે અને કહ્યું છે કે જિનપિંગ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવવા માંગે છે. જો કે જિનપિંગ આમાં કેટલા સફળ થાય છે તે તેમની મુલાકાત બાદ જ ખબર પડશે. આખું વિશ્વ ઇચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલું યુદ્ધ બંધ થાય અને શાંતિ પ્રવર્તે.

શી જિનપિંગની રશિયા મુલાકાત પર પશ્ચિમી દેશો પણ નજર રાખી રહ્યા છે. પશ્ચિમી દેશોને લાગે છે કે જિનપિંગ રશિયા અને યુક્રેન વચ્ચેની શાંતિ મંત્રણાને આગળ વધારી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે શી જિનપિંગ પ્રથમ વખત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરવાની પણ યોજના બનાવી શકે છે.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">