Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ યુનાઈટેડ આરબ અમીરાતના નવા રાષ્ટ્રપતિને પાઠવ્યા અભિનંદન, કહ્યું- વ્યૂહાત્મક ભાગીદારી ગાઢ બનશે

શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના અવસાનના કારણે સંયુક્ત આરબ અમીરાતમાં (United Arab Emirates) ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન દેશભરમાં વેપાર અને અન્ય પ્રવૃત્તિઓ બંધ રહેશે.

PM મોદીએ યુનાઈટેડ આરબ અમીરાતના નવા રાષ્ટ્રપતિને પાઠવ્યા અભિનંદન, કહ્યું- વ્યૂહાત્મક ભાગીદારી ગાઢ બનશે
Sheikh Mohamed bin Zayed Al Nahyan Image Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 10:35 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) સંયુક્ત આરબ અમીરાતના (United Arab Emirates) નવા રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને (Sheikh Mohamed bin Zayed Al Nahyan) અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે મને ખાતરી છે કે તમારા ગતિશીલ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બનશે. શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને શનિવારે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. UAEમાં શાસકોએ જાહેરાત કરી કે તેઓએ સર્વસંમતિથી શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે.

રાજ્ય સમાચાર એજન્સી ડબલ્યુએએમએ જણાવ્યું હતું કે અબુ ધાબીના અલ મુશરીફ પેલેસમાં દેશના સાત શેખની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. UAEના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું શુક્રવારે નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. સત્તા પરિવર્તન ત્રીજી વખત થયું છે, જ્યારે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા બાદ સાત શેઠે નવા પ્રમુખની પસંદગી કરી છે.

રોહિત શર્માએ 11,000 રન બનાવી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ગુજરાતનું મુખ્ય વિમાનમથક અમદાવાદ એરપોર્ટ ક્યાં આવેલું છે ?
સસ્તો થયો દારુ ! અમેરિકાની 'Bourbon Whisky' પર ભારત સરકારે ઘટાડ્યો 50% ટેક્સ
શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?
શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન
ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

PM મોદીએ UAEના નવા રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી

શેખ ખલીફાએ તેમના પિતાનું સ્થાન લીધું

શેખ ખલીફા તેમના પિતા સ્વર્ગસ્થ શેખ જાયદ બિન સુલતાન અલ નાહયાનના અનુગામી બન્યા. શેખ જાયદ બિન સુલતાન અલ નાહયાન 1971માં અમીરાતના અસ્તિત્વ પછી 2 નવેમ્બર, 2004ના રોજ તેમના મૃત્યુ સુધી યુએઈના પ્રથમ પ્રમુખ હતા. દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે ટ્વિટર પર કહ્યું કે અમે તેમને અભિનંદન આપીએ છીએ અને અમે અને અમારા લોકો તેમના પ્રત્યે વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.

શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન બાદ સંયુક્ત આરબ અમીરાતમાં ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન દેશભરમાં વેપાર અને અન્ય પ્રવૃત્તિઓ બંધ રહેશે. અમીરાતના વરિષ્ઠ રાજદ્વારી અનવર ગરગાશે જણાવ્યું હતું કે UAEમાં સત્તાનું સરળ સ્થાનાંતરણ સંસ્થાકીય કાર્યની ગંભીરતા અને ગવર્નન્સ સિસ્ટમના અદ્યતન સ્તર અને સ્થિરતાને પ્રતિબિંબિત કરે છે.

સુષ્મા, શીલા, આતિશી અને રેખાથી દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રીઓનું વર્ચસ્વ
સુષ્મા, શીલા, આતિશી અને રેખાથી દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રીઓનું વર્ચસ્વ
ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">