AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ યુનાઈટેડ આરબ અમીરાતના નવા રાષ્ટ્રપતિને પાઠવ્યા અભિનંદન, કહ્યું- વ્યૂહાત્મક ભાગીદારી ગાઢ બનશે

શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના અવસાનના કારણે સંયુક્ત આરબ અમીરાતમાં (United Arab Emirates) ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન દેશભરમાં વેપાર અને અન્ય પ્રવૃત્તિઓ બંધ રહેશે.

PM મોદીએ યુનાઈટેડ આરબ અમીરાતના નવા રાષ્ટ્રપતિને પાઠવ્યા અભિનંદન, કહ્યું- વ્યૂહાત્મક ભાગીદારી ગાઢ બનશે
Sheikh Mohamed bin Zayed Al Nahyan Image Credit source: AFP
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 10:35 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) સંયુક્ત આરબ અમીરાતના (United Arab Emirates) નવા રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને (Sheikh Mohamed bin Zayed Al Nahyan) અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે મને ખાતરી છે કે તમારા ગતિશીલ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બનશે. શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને શનિવારે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. UAEમાં શાસકોએ જાહેરાત કરી કે તેઓએ સર્વસંમતિથી શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે.

રાજ્ય સમાચાર એજન્સી ડબલ્યુએએમએ જણાવ્યું હતું કે અબુ ધાબીના અલ મુશરીફ પેલેસમાં દેશના સાત શેખની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. UAEના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું શુક્રવારે નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. સત્તા પરિવર્તન ત્રીજી વખત થયું છે, જ્યારે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા બાદ સાત શેઠે નવા પ્રમુખની પસંદગી કરી છે.

PM મોદીએ UAEના નવા રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી

શેખ ખલીફાએ તેમના પિતાનું સ્થાન લીધું

શેખ ખલીફા તેમના પિતા સ્વર્ગસ્થ શેખ જાયદ બિન સુલતાન અલ નાહયાનના અનુગામી બન્યા. શેખ જાયદ બિન સુલતાન અલ નાહયાન 1971માં અમીરાતના અસ્તિત્વ પછી 2 નવેમ્બર, 2004ના રોજ તેમના મૃત્યુ સુધી યુએઈના પ્રથમ પ્રમુખ હતા. દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે ટ્વિટર પર કહ્યું કે અમે તેમને અભિનંદન આપીએ છીએ અને અમે અને અમારા લોકો તેમના પ્રત્યે વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.

શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન બાદ સંયુક્ત આરબ અમીરાતમાં ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન દેશભરમાં વેપાર અને અન્ય પ્રવૃત્તિઓ બંધ રહેશે. અમીરાતના વરિષ્ઠ રાજદ્વારી અનવર ગરગાશે જણાવ્યું હતું કે UAEમાં સત્તાનું સરળ સ્થાનાંતરણ સંસ્થાકીય કાર્યની ગંભીરતા અને ગવર્નન્સ સિસ્ટમના અદ્યતન સ્તર અને સ્થિરતાને પ્રતિબિંબિત કરે છે.

Follow Us
ગીરમાં બોલિવુડનો જમાવડો! આયુષ્માન-રકુલપ્રીતે માણી સિંહ સફારી
ગીરમાં બોલિવુડનો જમાવડો! આયુષ્માન-રકુલપ્રીતે માણી સિંહ સફારી
રમૂજી વર્તન ઘરમાં ખુશનુમા વાતાવરણ બનાવશે, નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
રમૂજી વર્તન ઘરમાં ખુશનુમા વાતાવરણ બનાવશે, નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">