Pakistan India Hindus: પાકિસ્તાનની નાપાક હરકત, ભારતમાં ધાર્મીક યાત્રા કરવા આવતા 190 હિન્દુઓને રોક્યા
પાકિસ્તાને પાકિસ્તાનના કેટલાક હિન્દુઓને ભારતમાં આવતા અટકાવ્યા છે. મંગળવારે સવારે બનેલી આ ઘટના બાદ ત્યા વસેલા હિન્દુઓમાં ભયનો માહોલ છે. હજુ સુધી આનું કારણ સ્પષ્ટ નથી થયું કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે. જે લોકોને રોકવામાં આવ્યા છે તેમાં મહિલાઓથી લઈને બાળકોનો પણ સમાવેશ થાય છે.
એક તરફ પાકિસ્તાન ભયંકર આર્થિક સ્થિતિ ખરાબ છે, તો બીજી તરફ તે ગંદી રાજનીતિ રમવાનું બંધ કરી રહ્યું નથી. તાજેતરની ઘટના તેનો પુરાવો છે. પાકિસ્તાની અધિકારીઓએ વાઘા બોર્ડર પર 190 હિન્દુઓને રોક્યા છે. મંગળવારે સવારે જ્યારે આ હિન્દુઓ ભારત આવી રહ્યા હતા. તેમને અટકાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાની મીડિયાએ સૂત્રોને કહ્યું કે, આ હિન્દુઓ અધિકારીઓને કહી શક્યા નથી કે તેઓ શા માટે ભારત જવા માગે છે અથવા તેમની મુલાકાતનો હેતુ શું હતો. હિંદુ સમુદાય પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય છે અને તેના પર અવારનવાર વિવિધ અત્યાચારના અહેવાલો આવે છે.
વિઝા મળ્યા બાદ પણ રોકવામાં આવ્યા
પાકિસ્તાની અધિકારીઓએ બાળકો અને મહિલાઓ સહિત અનેક હિન્દુ પરિવારોને રોક્યા છે. આ તમામ સિંધ પ્રાંતમાંથી ભારત આવી રહ્યા હતા. જ્યારે આ તમામ લોકો વાઘા બોર્ડર પહોંચ્યા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનના એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, આ તમામ પાસે ધાર્મિક યાત્રા માટેના વિઝા હતા.
આ પછી પણ ઇમિગ્રેશન સત્તાવાળાઓએ તેને ભારત જવાની મંજૂરી આપી ન હતી. જો સત્તાવાળાઓ સાથે સંબંધિત સૂત્રોનું માનીએ તો, તેમના દ્વારા આપવામાં આવેલ જવાબ તદ્દન અસંતોષકારક હતો. આવી સ્થિતિમાં તેને રોકી દેવામાં આવ્યો હતો.
પાકિસ્તાનનું નામ બદનામ કરે છે
સૂત્રોએ જણાવ્યું કે આ તમામ પરિવારો ભારત જઈને ઝૂંપડીઓમાં રહે છે. તેણે કહ્યું છે કે આવા પરિવારો ધાર્મિક મુલાકાતો માટે વિઝા લઈને ભારત જાય છે, પરંતુ લાંબા સમય સુધી ત્યાં રહે છે. સૂત્રો તરફથી કહેવામાં આવ્યું હતું કે, ‘ભારત ગયા પછી આ લોકો ઝૂંપડીઓમાં રહે છે, મહેનત કરે છે અને પછી પાકિસ્તાનનું નામ ખરાબ કરે છે. આ લોકો ત્યાં જઈને કહે છે કે તેઓ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી.
પાકિસ્તાની મીડિયા અનુસાર, મોટી સંખ્યામાં હિન્દુઓ પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને રાજસ્થાન અને દિલ્હી જેવા ભારતીય રાજ્યોમાં સ્થાયી થયા છે. પાકિસ્તાની મીડિયાની વાત માનીએ તો અહીંથી ભારતમાં જતા હિન્દુઓ ત્યાં વિચરતી જાતીઓની જેમ રહે છે.
પાકિસ્તાનમાં કુલ હિંદુ વસ્તી
હાલમાં પાકિસ્તાનમાં 22,10,566 હિંદુઓ રહે છે. આ દેશની કુલ 18,68,90,601 વસ્તીના માત્ર 1.18 ટકા છે. આ આંકડા સેન્ટર ફોર પીસ એન્ડ જસ્ટિસ પાકિસ્તાનના છે. હિંદુઓ લઘુમતી છે અને અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવે છે. તેઓ અત્યંત ગરીબ છે અને દેશની સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ નહિવત છે. સિંધ પ્રાંતમાં મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે. અહીં આ સમુદાય મુસ્લિમ વસ્તી જેવી જ સંસ્કૃતિ, પરંપરા અને ભાષાને અનુસરે છે.
પરંતુ દરેક વખતે તેમને શોષણમાંથી પસાર થવું પડે છે. અહીં, કટ્ટરવાદીઓ તેમને ત્રાસ આપે છે એટલા માટે તેઓ પાકિસ્તાન છોડી ભારત આવે છે અને ભારતમાં નાગરિકતા લે છે. ભારત સરકારે એક કાયદો બનાવ્યો છે, જેમાં તે ભારત પાસેના આવેલા દેશોમાંથી આવતા હિંન્દૂઓને નાગરિકતા આપે છે.