Pakistan: રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈમરાન ખાને ભારતના વખાણ કર્યા, કહ્યું- ભારતની વિદેશ નીતિ લોકોના હિતમાં છે

પાકિસ્તાનમાં, સત્તાધારી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના લગભગ બે ડઝન સાંસદોએ બળવાખોર વલણ અપનાવ્યું છે કારણ કે વિરોધ પક્ષોએ સંસદમાં ઈમરાન ખાન સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.

Pakistan: રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈમરાન ખાને ભારતના વખાણ કર્યા, કહ્યું- ભારતની વિદેશ નીતિ લોકોના હિતમાં છે
Pakistan PM Imran Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 10:42 PM

પાકિસ્તાનના (Pakistan) રાજકીય વર્તુળોમાં આ સમયે હલચલ મચી ગઈ છે. મતલબ ઈમરાન સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. વડાપ્રધાન ઈમરાન ખાનને (PM Imran Khan) સરકાર પડી જવાનો ડર સતાવી રહ્યો છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનના વઝીર-એ-આઝમ ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે ભારતની નીતિ મુક્ત છે. ભારતની વિદેશ નીતિ તેના લોકોના હિતમાં છે. પાક પીએમએ કહ્યું કે ભારતની વિદેશ નીતિ કોઈ દબાણમાં નથી. તેમણે કહ્યું કે હું ભારતની નીતિની પ્રશંસા કરું છું. આ સાથે જ પોતાની વિપક્ષી પાર્ટી પર નિશાન સાધતા ઈમરાન ખાને કહ્યું કે વિપક્ષી પાર્ટી ભારત સાથે મળેલી છે. સાથે જ ઈમરાન ખાને વિપક્ષને ડાકુ પણ કહ્યા.

તેમણે કહ્યું કે હું રાજીનામું આપીશ પણ કોઈની સામે ઝૂકીશ નહીં. ઈમરાન ખાને કહ્યું કે હું પૈસા આપીને મારી સરકાર બચાવવા માંગતો નથી. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈમરાન ખાનની સરકાર ગમે ત્યારે પડી શકે છે. વાસ્તવમાં પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના જ સાંસદો તેમની વિરુદ્ધ ઉભા છે. આવી સ્થિતિમાં તેમની ખુરશી ગુમાવવાનું જોખમ વધી ગયું છે.

લગભગ બે ડઝન સાંસદોએ બળવો કર્યો

પાકિસ્તાનમાં, સત્તાધારી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના લગભગ બે ડઝન સાંસદોએ બળવાખોર વલણ અપનાવ્યું છે કારણ કે વિરોધ પક્ષોએ સંસદમાં ઈમરાન ખાન સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. જો કે, ઈમરાન ખાનની આગેવાનીવાળી સરકારે વિરોધ પક્ષો પર સાંસદોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. બળવાખોર સાંસદો ઈસ્લામાબાદના સિંધ હાઉસમાં રોકાયા છે, જે સિંધ સરકારની મિલકત છે. સિંધમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સાંસદોને કારણ બતાવો નોટિસ જાહેર કરી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીએ શનિવારે કથિત પક્ષપલટાને લઈને તેના અસંતુષ્ટ સાંસદોને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. તે જ સમયે, તેમને 26 માર્ચ સુધીમાં ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું હતું કે શા માટે તેમને પક્ષપલટો જાહેર કરવામાં ન આવે અને નેશનલ એસેમ્બલીના સભ્યપદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવે.

ઈમરાન ખાનને હટાવવા માટે વિપક્ષને 172 વોટની જરૂર છે

તમને જણાવી દઈએ કે ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાન ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે અને જો કેટલાક સહયોગી પક્ષ બદલવાનું નક્કી કરે તો તેમને હટાવવામાં આવી શકે છે. 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં વિપક્ષને 172 મતોની જરૂર છે. પીટીઆઈના ગૃહમાં 155 સભ્યો છે અને સરકારમાં રહેવા માટે ઓછામાં ઓછા 172 સાંસદોની જરૂર છે.

આ પણ વાંચો : Russ-Ukraine War: વિદેશી સૈન્યમાં જોડાઈને લડવાના સંબંધમાં ન્યુઝીલેન્ડના કાયદાકીય પાસાઓ શું છે, શા માટે ઉભો થયો આ સવાલ?

આ પણ વાંચો : યુદ્ધમાં પુતિનને વધુ એક ઝટકો, યુક્રેને રશિયાના ટોચના નૌસેના અધિકારીને ઠાર માર્યા, ટોચના જનરલે પણ યુદ્ધમાં ગુમાવ્યો જીવ

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">