Pakistan : ઈમરાન ખાનને ફટકાર ! કોર્ટે ગુમ થયેલા લોકો માટે વડાપ્રધાન અને તેમની કેબિનેટને ગણાવી જવાબદાર

કોર્ટમાં માનવાધિકાર મંત્રી શિરીન મઝારી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. જસ્ટિસ મિનાલ્લાહે મંત્રીને ફટકાર લગાવતા કહ્યુ કે, સરકાર ગુમ થયેલા લોકોના મુદ્દાનો ઉકેલ કરી રહી નથી.

Pakistan : ઈમરાન ખાનને ફટકાર ! કોર્ટે ગુમ થયેલા લોકો માટે વડાપ્રધાન અને તેમની કેબિનેટને ગણાવી જવાબદાર
PM Imran Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 7:25 AM

Pakistan :  પાકિસ્તાનની એક અદાલતે (Islamabad High Court) બુધવારે ચુકાદો આપ્યો હતો કે, દેશમાં ગુમ થયેલા લોકો માટે વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan) અને તેમની કેબિનેટ જવાબદાર છે. ઉપરાંત તેણે ગુમ થયેલા લોકોને શોધવા  અંગે સરકારના પ્રતિભાવને દયનીય ગણાવ્યો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અમહર મિનાલ્લાએ પત્રકાર મુદસ્સર મેહમૂદ નારોની દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે ઈમરાનની ફટકાર લગાવી હતી. તમને જણાવી દઈએ કે, નારો ઓગસ્ટ 2018 થી ગુમ છે. તેના પિતા મહેમૂદ ઇકરામે કોર્ટમાં આ અંગે અરજી દાખલ કરી હતી.

ગુમ થયેલા લોકોને શોધવામાં સરકારનો પ્રતિભાવ દયનીય

ચીફ જસ્ટિસ મિનાલ્લાએ (Chief Justice Minalla)જણાવ્યુ કે, કોઈને બળજબરીથી ગુમ કરવું એ માનવતા વિરુદ્ધ ગુનો છે અને તેના માટે સરકાર જવાબદાર છે. વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો દેશના લોકોની સેવા કરવા માટે છે. ગુમ થયેલા લોકોને શોધવામાં સરકારનો પ્રતિભાવ દયનીય છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ઉપરાંત મુખ્ય ન્યાયાધીશ મિનાલ્લાએ કહ્યું હતુ કે બળજબરીથી ગુમ થયેલા લોકોના કિસ્સામાં જવાબદારી કેન્દ્ર સરકાર એટલે કે વડાપ્રધાન અને કેન્દ્રીય કેબિનેટના સભ્યોની છે. ગુમ થયેલા વ્યક્તિને શોધવાની તેમની બંધારણીય ફરજ જ નથી, પરંતુ ગુમ થયેલા વ્યક્તિના પ્રિયજનોને સંતુષ્ટ કરવાની પણ સરકારની જવાબદારી છે.

સુનાવણી 14 ડિસેમ્બર સુધી સ્થગિત

જસ્ટિસ મિનાલ્લાહે કહ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાને પરિવારને સંતુષ્ટ કરવા જોઈએ અને ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે પગલાં ભરવા જોઈએ. તેમણે એટર્ની જનરલને રૂબરૂ હાજર રહેવા અને મહમૂદને કોર્ટમાં રજૂ કરવામાં ન આવે અથવા તેની જાણ ન થાય તો જવાબદારી નક્કી કરવામાં ફેડરલ સરકારને મદદ કરવાનો આદેશ આપતા, સુનાવણી 14 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. ઉલ્લેખનીય છે કે, લાહોરનો રહેવાસી નારો પાકિસ્તાનની મનોહર ખીણ કાઘાનની મુલાકાત દરમિયાન વખતે ગુમ થયો હતો. ગુમ થયેલા લોકોનો મુદ્દો પાકિસ્તાનમાં ખૂબ જ સંવેદનશીલ છે કારણ કે માનવાધિકાર જૂથો સતત સરકારો પર આ મહત્વપૂર્ણ મુદ્દાને ઉકેલવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો : Germany: મ્યુનિકમાં ડ્રિલિંગ દરમિયાન બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ ફૂટ્યો! ચાર ઘાયલ, ટ્રેન સેવા ખોરવાઈ

આ પણ વાંચો : Omicron: અમેરિકામાં આફતે આપી દસ્તક, દેશમાં સામે આવ્યો એમીક્રોનનો પ્રથમ કેસ

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">