AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Germany: મ્યુનિકમાં ડ્રિલિંગ દરમિયાન બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ ફૂટ્યો! ચાર ઘાયલ, ટ્રેન સેવા ખોરવાઈ

બુધવારના રોજ જર્મનીના મ્યુનિકમાં વ્યસ્ત રેલ્વે લાઇનની બાજુમાં એક બાંધકામ સ્થળ પર બીજા વિશ્વયુદ્ધ વખતના બોમ્બમાં વિસ્ફોટ થયો હતો.

Germany: મ્યુનિકમાં ડ્રિલિંગ દરમિયાન બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ ફૂટ્યો! ચાર ઘાયલ, ટ્રેન સેવા ખોરવાઈ
Germany
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 11:53 PM
Share

બુધવારના રોજ જર્મનીના મ્યુનિકમાં વ્યસ્ત રેલ્વે લાઇનની બાજુમાં એક બાંધકામ સ્થળ પર બીજા વિશ્વયુદ્ધનો (Second World War) બોમ્બ વિસ્ફોટ (Bomb Blast in Munich) થયો હતો. આ વિસ્ફોટને કારણે ચાર લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. જર્મન અધિકારીઓએ આ માહિતી આપી હતી. Donnersburgerbrücke સ્ટેશન નજીક બાંધકામ સ્થળ પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. મ્યુનિકના સેન્ટ્રલ સ્ટેશન નજીક નવી કોમ્યુટર ટ્રેન લાઇન માટે બાંધકામ સ્થળ છે.

મ્યુનિક સ્ટેશન એ જર્મનીના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે. વિસ્ફોટને પગલે સ્ટેશન પર આવતી અને જતી ટ્રેનો સ્થગિત કરી દેવામાં આવી હતી. પરંતુ બપોર બાદ સેવા ફરી શરૂ થઈ હતી. સાવચેતીના ભાગરૂપે કેટલીક લોકલ ટ્રેનો ખાલી કરાવવામાં આવી હતી.

ફાયર સર્વિસે જણાવ્યું હતું કે, બ્લાસ્ટને કારણે ટ્રેકને કોઈ નુકસાન થયું નથી. યુદ્ધના અંતના 76 વર્ષ પછી પણ, અને ઘણીવાર બાંધકામ સાઇટ્સ પર કામ દરમિયાન, બીજા વિશ્વયુદ્ધના વણવિસ્ફોટિત બોમ્બ હજુ પણ જર્મનીમાં મળી આવ્યા છે. તેઓ સામાન્ય રીતે તટસ્થ અથવા નિયંત્રિત વિસ્ફોટોમાં નિકાલ કરવામાં આવે છે. આ એક એવી પ્રક્રિયા છે જેને કેટલીકવાર સાવચેતી સાથે મોટા પાયે સ્થળાંતરની જરૂર પડે છે.

ડ્રિલિંગ કામ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ થયો હતો

જર્મન સમાચાર એજન્સી ડીપીએએ અહેવાલ આપ્યો છે કે, બાવેરિયા રાજ્યના આંતરિક પ્રધાન જોઆચિમ હેરમેનએ જણાવ્યું હતું કે, 550 પાઉન્ડનો બોમ્બ ડ્રિલિંગ કામ દરમિયાન મળી આવ્યો હતો. હેરમેને કહ્યું કે સત્તાવાળાઓએ હવે તપાસ કરવી જોઈએ કે શા માટે તે અગાઉ શોધાયું ન હતું. તેમણે નોંધ્યું હતું કે, આવી બાંધકામ સાઇટ્સ સામાન્ય રીતે સંભવિત ફૂટ્યા વગરના બોમને કાળજીપૂર્વક સ્કેન કરવામાં આવે છે.

બ્રિટિશ અને અમેરિકન લડાકુ વિમાનોએ જર્મની બોમ્બનો વરસાદ કર્યો હતો. જેમાં 6,00,000 લોકોના મોત થયા હતા. અધિકારીઓનો અંદાજ છે કે, 15 ટકા બોમ્બ ફૂટ્યા ન હતા, જેમાંથી કેટલાક 20 ફૂટ ઊંડે દટાયેલા હતા. નોંધપાત્ર વાત એ છે કે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મનીને હારનો સામનો કરવો પડ્યો હતો. જર્મનીને હરાવવા માટે અમેરિકન અને બ્રિટિશ વિમાનોએ તેના શસ્ત્રો અને ઓર્ડનન્સ ફેક્ટરીઓને નિશાન બનાવ્યા.

આ પણ વાંચો: UPSC IAS Mains 2021: આવતીકાલે સિવિલ સર્વિસ મેઈન્સ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Career in Music: જો તમને સંગીતમાં રસ છે, તો તમે ભારતીય નેવીમાં નોકરી મેળવી શકો છો, જાણો કેવી રીતે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">