પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં વિસ્ફોટ, બે પોલીસ અધિકારીઓ સહિત પાંચના મોત

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે સ્વાત જિલ્લાના કબાલ તહસીલની શાંતિ સમિતિના સભ્ય અને ગ્રામીણ સંરક્ષણ પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ ઇદ્રિસ ખાનના વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. બડા બંદાઈ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં ખાન, તેના સુરક્ષા ગાર્ડ અને બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં વિસ્ફોટ, બે પોલીસ અધિકારીઓ સહિત પાંચના મોત
Pakhtunkhwa In BlastImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 9:42 PM

પાકિસ્તાનમાં (Pakistan)આતંકી હુમલાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અશાંત ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa )જિલ્લામાં મંગળવારે એક વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોતના અહેવાલ છે. આ બ્લાસ્ટમાં (Blast) શાંતિ સમિતિના એક સભ્ય અને બે પોલીસ અધિકારીઓ પણ સામેલ હતા.

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે સ્વાત જિલ્લાના કબાલ તહસીલની શાંતિ સમિતિના સભ્ય અને ગ્રામીણ સંરક્ષણ પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ ઇદ્રિસ ખાનના વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. બડા બંદાઈ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં ખાન, તેના સુરક્ષા ગાર્ડ અને બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

મુખ્યમંત્રી મહેમૂદ ખાને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તે જ સમયે, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મુખ્ય પ્રધાન મહમૂદ ખાને આ ઘટનાની નિંદા કરી છે અને વિગતવાર અહેવાલ માંગ્યો છે, તેમણે કહ્યું કે જવાબદારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. ગયા વર્ષે ઓગસ્ટમાં અમેરિકી દળોની હકાલપટ્ટી બાદ તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યો ત્યારથી પાકિસ્તાનને નિશાન બનાવતા હુમલામાં વધારો જોવા મળ્યો છે.

અગાઉ પણ વિસ્ફોટ થયા છે

અગાઉ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદ નજીકના વિસ્તારમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકો માર્યા ગયા હતા અને લગભગ છ લોકો ઘાયલ થયા હતા. પેશાવરમાં જ 4 માર્ચ 2022ના રોજ મસ્જિદ પર હુમલો થયો હતો, જેમાં 57 લોકોના મોત થયા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા. લોકો શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. પાકિસ્તાનમાં દરરોજ બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ બને છે, જેમાં લોકો જીવ ગુમાવે છે. આ વર્ષે માર્ચમાં બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટામાં પોલીસ વાન પાસે બોમ્બ વિસ્ફોટ થતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. જ્યારે અન્ય 24 લોકો ઘાયલ થયા છે. આ હુમલો ક્વેટાના ફાતિમા જીન રોડ પર થયો હતો. ગુપ્તચર માહિતી અનુસાર વિસ્ફોટમાં બેથી અઢી કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">