AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સબમરીનમાં બ્લાસ્ટ, દર્દનાક મોત, હજુ પણ નથી સુધર્યું ઓસનગેટ! ટાઇટેનિકના પ્રવાસ માટે ફરીથી બોલાવવામાં આવ્યા મુસાફરો

ટાઇટેનિકના કાટમાળને જોવા માટે ડાઇવિંગ કરતી વખતે, ઓશનગેટનું સબમર્સિબલ વિસ્ફોટ થયું હતું, જેમાં પાંચ મુસાફરો માર્યા ગયા હતા. સબમરીન પાણીમાં ઉતર્યાના લગભગ બે કલાક બાદ તેના જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

સબમરીનમાં બ્લાસ્ટ, દર્દનાક મોત, હજુ પણ નથી સુધર્યું ઓસનગેટ! ટાઇટેનિકના પ્રવાસ માટે ફરીથી બોલાવવામાં આવ્યા મુસાફરો
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 2:58 PM
Share

ટાઈટેનિક જહાજનો ભંગાર જોવા ગયેલી ટાઈટન સબમરીનના અવશેષો સમુદ્રમાં 12,500 ફૂટની ઉંડાઈમાંથી મળી આવ્યા હતા. પાણીમાં ઉતર્યાના થોડા સમય પછી, તેનો તેના જહાજ સાથે સંપર્ક તૂટી ગયો હતો અને વિસ્ફોટમાં સબમરીનના નાના નાના ટુકડા થઈ ગયા હતા. યુએસ કોસ્ટ ગાર્ડે પણ પાંચ મુસાફરોના અવશેષો મળી આવ્યા હોવાની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: Titanic Submersible Missing : ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલો દાઉદ પણ ડૂબ્યો ! જાણો કોણ છે આ પાકિસ્તાની મૂળનો અબજોપતિ

Oceangate કંપની હજુ પણ તેની વેબસાઈટ પર ટાઈટેનિકના ભંગાર જોવા માટે અભિયાનોની જાહેરાત કરી રહી છે. કંપની જૂન 2024માં જહાજના કાટમાળની મુલાકાત લેવા માટે બે મિશનનું આયોજન કરી રહી છે.

વેબસાઈટ અનુસાર, 2023ના મિશન હજુ ચાલુ છે, જેના માટે તારીખો વિશે માહિતી મેળવી શકાય છે. વેબસાઇટમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે કે, મુસાફરોમાં ફ્રેન્ચ ડાઇવર PH નાર્જિયોલેટ પણ સમાવેશ થઈ શકે છે, જે આ મહિનાની શરૂઆતમાં ટાઇટન સબમર્સિબલ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં સામેલ હતો.

સબમરીન સાથે બે કલાક બાદ તેના જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો

ટાઇટેનિકના કાટમાળને જોવા માટે ડાઇવિંગ કરતી વખતે, ઓશનગેટનું સબમર્સિબલ વિસ્ફોટ થયું હતું, જેમાં પાંચ મુસાફરો માર્યા ગયા હતા. સબમરીન પાણીમાં ઉતર્યાના લગભગ બે કલાક બાદ તેના જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

તમામ મુસાફરોને શોધવા અને બચાવવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કંપનીના સીઈઓ સ્ટોકટન રશ પણ સબમરીનમાં સવાર હતા. ગુરુવારના સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે ટાઇટન સબમરીનનો કાટમાળ સમુદ્રમાં 12,500 ફૂટ નીચેથી મળી આવ્યો છે.

મુસાફરોએ સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા

યુએસ કોસ્ટ ગાર્ડે ટાઈટેનિક સબમરીનના કાટમાળમાંથી માનવ અવશેષો મળવાની પુષ્ટિ કરી છે. યુએસ અને કેનેડાના અધિકારીઓ સબમર્સિબલમાં કેવી રીતે અને શા માટે વિસ્ફોટ થયો તેની તપાસ કરી રહ્યા છે. સબમરીન પહેલીવાર ગુમ થઈ ત્યારથી તેની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને ભૂતકાળના ઘણા મુસાફરો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ટાઇટન સબમરીન અકસ્માતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.

ઈતિહાસનો સૌથી મોટો સમુદ્ર અકસ્માત

ટાઇટેનિક જહાજ, જે તેની પ્રથમ સફર પર હતું, તે 14 એપ્રિલ 1912ના રોજ ડૂબી ગયું હતું. તેને ઈતિહાસનો સૌથી મોટો દરિયાઈ અકસ્માત માનવામાં આવે છે. તે સમયે ટાઇટેનિક વિશ્વનું સૌથી મોટું જહાજ હતું. ટાઇટેનિકને બનાવવામાં ત્રણ વર્ષ લાગ્યા અને તેની કિંમત £1.5 મિલિયન હતી. તેમાં 2200 લોકો સવાર હતા અને લગભગ 1500 લોકો મૃત્યુ પામ્યા હતા. તે એક વિશાળ આઇસબર્ગ સાથે અથડાયા પછી બે ભાગમાં તૂટી ગયું અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">